SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકની રાહાલ બાબતમાં આનંદકુમાર સ્વામી દ્વારા અમુક અંશે સિદ્ધ થયું. વાસુદેવશરણું અગ્રવાલે, વેદિક સાહિત્યને પોતાનો સૂક્ષમ અભ્યાસ કલાવિવેચનમાં કામે લગાવ્યો તે ડો. મોતીચંદ્ર જેવા વિચક્ષણ કલામર્મરે ચિત્રકલાના અનુષંગે “ પશ્ચિમ ભારતીય કલામેલી 'ના લાક્ષણિક અંશે તારવવાનું કામ કર્યું. આમ તે “પશ્ચિમી શૈલા ને પ્રથમ ઉલેખ સત્તરમી સદીના તિબેટના ઇતિહાસલેખક તારાનાથે " બૌદ્ધ પ્રતિ કલાના સંદર્ભે કરેલ, જેના આધારે કાલે ખંડાલવાલાએ અને પછી ડે. ઉમાકાંત શાહે એને લગતા વિશિષ્ટ કલાનમૂનાઓ રજૂ કર્યા, પરિણામે ગુપ્તશાસનના અંત પછી, રાજકીય દૃષ્ટિએ મૌત્રકકાળ દરમિયાન ઈ. સ. ની છઠ્ઠી સદીથી સ્વતંત્ર એવી “પશ્ચિમી શૈલી ને ઉદ્દભવ સ્વીકારાય છે. ગુજરાતની કલા પરંપરાને લાગેવળગે છે ત્યાં સુધી જે કંઈ ગૂંચ અથવા અસ્પષ્ટતા છે તે અહીં છે. પશ્ચિમી કલાશૈલીનાં સર્જક પરિબળે કયાં ? આ શૈલીની પૂર્વવર્તી કલાશેલીઓનું શું ? જે સમયગાળે આ શેલીને સ્વીકારાયો છે તે જ સમયગાળામાં પ્રાપ્ત અન્ય કલાશૈલીઓનું શું અને સૌથી વધુ કઠિન સમસ્યા આ શૈલીની અનુગામી શૈલીઓની છે. આ ઉપરાંત જે તે કલાશૈલી, એનાં રૂપવિધાન અને ભાવસંવેદનાના પ્રશ્નો, એનાં સ્થળ અને કાળના પ્રશ્નો તેમ જ એનું નામકરણ' બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ એમ ધર્મ પ્રમાણે નામકરણ કે મૈત્રક, પ્રતિહાર, સોલંકી એમ રાજવંશ મુજબ કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ એમ પ્રદેશમુજબ–નામકરણની એકવાક્યતા લાવવા માટે શું કરવું જોઇએ ? ઈ. સ.ની છઠ્ઠી સદીમાં પશ્ચિમી કલાએ દેખા દીધી તેની પ્રાર્વભૂમાં ગુપ્તકલા છે. કલાના પ્રત્યેક ક્ષેત્રમાં ગુપ્ત સુવર્ણને પર્યાય છે. ગુજરાતમાં ઈ. સ.ની પાંચમી સદીથી ગુપ્તકલાનાં પગરણ થયાં ત્યારે અહીં ક્ષત્રપકલા' છે. (અક્ષત્રપકલા ” એ આમ ધારું જાડું વિધાન છે). એ કલાને વધુ પડતે ઝોક લેકકલા તરફને હતે. જોકકલાની પરંપરા એ આદિ પરંપરા છે, જેના નામના ગઈકાલ અને આજે પણ સર્જાતા રહ્યા છે. માનવીના પ્રથમ ઓજારથી માંડી. સિધુ સભ્યતા અને છેક મોર્યકલા સુધીની કલા પરંપરાને જોકકલા (પ્રિમિટિવ આર્ટ)કહેવામાં આવેલ છે. શૃંગ અને કુષાણુમાં રૂ૫વિધાનની અમુક દષ્ટિ' નોંધી શકાય છે, જ્યારે ક્ષત્રપ તે આમ જ અર્ધ કુદરતી, અર્ધ માનવસર્જિત કલાકૃતિ, જેમાં પ્રાકૃત અંશે પ્રધાન છે. શૃંગ અને કુષાણુના સંપર્કમાં આવ્યા હોવા છતાંય ક્ષત્રપ પિતાની આગવી કલાશૈલી ઉપજાવી શકયા નથી તે સાંસ્કૃતિક દૃષ્ટિએ તેમની મર્યાદા ગણાવી જોઈએ. ૨ આજના આપણા ઈતિહાસ પુરાતત્તવાહિના લેખકે, સરકારી તેમ જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આદિનાં પ્રકાશનો “ગુજરાત” એટલે “ ઉત્તમ ગુજરાત' એ અર્થ કેન્દ્રમાં રાખીને કામ કરતાં જણાય છે, જ્યારે હવે ૧૯૬૦ પછી ‘ ગુજરાત ” સંજ્ઞા ઘણી વ્યાપક બની છે, એમાં દક્ષિણ પજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને સમાવેશ થઈ જાય છે. હવે ‘ ગુજરાત’ શબ્દમાં આ પ્રદેશને પણ સમતોલ વિચાર “. આ નહિ સમજનાર સમયથી વણે પાછળ અને જે તે વિષયની ડિસ્સર્વિસ કરનાર છે. “લા કકલાની ધાતુમતિઓ” વિરો જુએ, ‘ઇતિહાસ વિમર્શ' (૧૯૭૪)-નરેતમ પલાણ. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy