SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir uથાવલોકન | કવિ હસિતકાન્ત બચે તો શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીને એક સાહિત્યિક કે ધર્માચાર્ય જ નહીં પરંતુ એક રાષ્ટ્રશિપી તરીકે નવાજ્યા છે. મહાત્મા ગાંધી માટે “એક ભારતને સાચે માનવી-” ગરબે રચનાર, મીઠાના સત્યાગ્રહ પછી મીઠું ખાવાનું છોડી દેનાર, રાષ્ટ્રપ્રેમી શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી અને સહજ રીતે યોગની ક્રિયાઓ શીખવી દેતા આદર્શ શિક્ષક, સાધક, યોગી, સમાજસેવક, સંયોજક, કવિ, સાહિત્યકાર, તંત્રી વગેરે અનેકવિધ રૂપમાં ઝળહળતા મહાત્મા વિશ્વવંદ્ય દ્વારા નિર્મિત અને સંવર્ધિત આ વર્ગને શ્રી રમણલાલ વ. દેસાઈએ વેદાંત, ઉપનિષદની ધારાને નવા દેશકાળના સંદર્ભમાં મૌલિક રીતે અભિવ્યકત કરતા વર્ગ તરીકે બિરદાવ્યો છે તે સર્વથા યથાર્થ છે. વળી વર્ગના અગણિત કવિઓ અને ધુરંધર વિદ્વાને એ ધર્મતત્વ અને જીવન પગી વિષયો પર મંથે અને લેખ લખ્યા છે અને સમાજની અને સાહિત્યની ઉત્કૃષ્ટ કોટિની સેવા કરી છે. પ્રચારની કે પ્રસિદ્ધિની ખેવના કર્યા વગર વગે કરેલી સમાજની વિવિધલક્ષી સેવા ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત નોંધપાત્ર છે. આ ગ્રંથના રચયિતાએ નોંધ્યું છે તેમ શૈશ્વર્યસંપન્ન આચાર્યપુરષોએ અને નારીરનેએ • ચમત્કાર ” નામના પ્રતને વર્ગમાં પ્રવેશવા દીધું નથી એ સાચે જ આ વર્ગની વિલક્ષણતા છે. વળી શ્રીમમ્નસિંહાચાર્યજીનાં યોગનાં સૂમ રહસ્યને બોધ કે “વિશ્વવંઘ'ની "ગિની કુમારી'ના યોગ અને ગક્રિયા અને તેની વિવિધ મુદ્રાઓના આલેખનમાં આ ગ્રંથના લેખકનાં જ્ઞાન અને અભ્યાસની પ્રતીતિ થાય છે. ખૂબ ઊંચી કક્ષાના, સાધનાને અંતે જ સમજાય તેવા સાહિત્યને વિસ્તૃત પરિચય, એક સાધકના સુપુત્ર હોવાથી તથા પોતે પણ એક સાધક હોવાને નાતે, ગ્રંથકર્તા સહજપણે કરાવી શક્યા છે. આ વર્ગની વાટિકાને વિકસાવનાર શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી પર લેખક મન મૂકીને વરસ્યા છે—હેત, ગુરભક્તિ અને અહોભાવથીઅને સાબિત કરી આપ્યું છે કે ગસિદ્ધ પિતાને વાર મેળવનાર, પ્રતિભાવંત ધર્માચાર્ય ઉપેન્દ્રાચાર્યજી પિતાના સમયથી ઘણા આગળ હતા. જીવતક અને દેશોન્નતિ સંબંધી ઘણુ સારી બાબતના પુરસ્કર્તા અથવા પ્રોજક અને સંપષક હતા. તેજસ્વી તારકદના પરિચય દ્વારા લેખકે વર્ગના સમસ્ત નમંડળનું તાદશ્ય દર્શન કરાવ્યું છે. વર્ગનાં જે નરરત્ન અને નારીરતનાં વિરાટ વ્યકિતને ઉલેખ કર્યો છે. તે પૈકીના પ્રત્યેકના જીવન અને સાહિત્યકર્મ વિશે સ્વતંત્રપણે સંશોધન કરી શકાય તેવી શક્યતાઓ છે. એમ કહી શકાય કે પ્રસ્તુત ગ્રંથ દ્વારા લેખકે ભાવિ સંશાધને માટે જાણે કે અનેક દ્વાર ખોલી આપ્યાં છે. વર્ગના ચિંતનાત્મક ગદ્ય અને પ્રવાહી શૈલીમાં આલેખાયેલા સાહિત્યના આ દર્શનથી જેઓ આ વર્ગના સાધકો નથી કે વર્ગ સાથે સીધી રીતે સંકળાયેલા નથી તેવા સુજ્ઞજને અને જિજ્ઞાસુઓ પણું વર્ગ તરફ આકર્ષાય એવી ખૂબી આ ગ્રંથમાં છે. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy