SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૪ અરુણા કે, પહેલ પ્રસ્તુત કારિકા ધર્માંકાતિના ‘ પ્રમાણુવાર્તિક 'માંથી લેવામાં આવી છે. પ્રસંગ એવા છે કે એ બંધ ઓરડાના બારણાની તિરાડમાંથી બહાર પ્રકાશ રેલાય છે. એક એરડામાં શુ છે, અન્ય એડમાં દીપક. બહાર રેલાતી પ્રભાને જોઇને, પ્રભાને મણિ સમજીને, બે જણુ માંણુની પ્રાપ્તિ માટે દોડયા. તેમાંથી મણિની પ્રભાતે જે મચ્છુ સમજીને દોડયા હતા, તેને બારણું ખોલતાં મર્માણુ પ્રાપ્ત થયા. પરંતુ દીપકની પ્રભાતે જે મણુિ સમજયા હતા, તે ઠગાયે, તેને મર્માણ પ્રાપ્ત થયો નહિ. ખરેખર તેા, દીપકની પ્રભા અને મણિની પ્રભા——તેને મણિ સમજીને દોડનાર બ તેનું જ્ઞાન મિથ્યા હતું. કારણ કે બહાર રેલાર્ક, તે તા પ્રભા હતી, મણિ નહિ. આમ, તેનું જ્ઞાન મિથ્યા હોવા છતાં ફળપ્રાપ્તિની બાબતમાં તફાવત જોવા મળ્યા. એકને ફળપ્રાપ્તિ થઇ, અન્યને ના થઈ, જેને ફળપ્રાપ્તિ થઈ, તેનુ મણિપ્રભામાં મણુિંનુ' જ્ઞાન, તે સંવાદી ભ્રમ હતા. જેને ફળપ્રાપ્તિ ના થઈ તેનું દીપપ્રભામાં મણિનુ` જ્ઞાન, તે વિસ ́વાદી ભ્રમ હતા. ઉપરના શ્લોક એ બૌધ્ધનૈયાયિક ધ કીતિના ‘ પ્રમાણુવાર્તિક ને કલાક છે. ધર્માંકીત એમ કહે છે કે સવાદી ભ્રમ એ સમ્યક્ જ્ઞાનનું સાધન બને છે. મણિ-પ્રભાત મણિ સમજ્યો, તે તેને ભ્રમ હતા. પરંતુ તે સંવાદી ભ્રમ હોઇને તેના જ્ઞાતાને ફળપ્રાપ્તિ થઇ, તે ઠગાયા નહિ. જે મિથ્યાજ્ઞાન તેના જ્ઞાતાને ઝગતું ન હોય, તે સંવાદી ભ્રમ છે અને તેવા જ્ઞાનને અક્રિયાકારિત્વ એટલે કે પરિણામ નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે આમ, અક્રિયાકારિત્વ એ સમ્યક્ત્તાનની એટલે કે વસ્તુના અસ્તિત્વની કસોટી છે. મુગજળ જોઇને પાણી માટે દોડનારના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ અ ંધારામાં, દોરડાને સર્પ સમજીને ભયથી મૃત્યુ થયાનાં ઉદાહરણા વ્યવહારમાં જોવા મળ્યાં છે. ધ કીર્તિનુ આ તારણુ નાટ્યના સંદર્ભ માં અવલેાકીએ, તે નટમાં અનુમાન કરવામાં આવતા રિતના ભાવ અનુકરણરૂપ દ્ગાઇ મિથ્યા છે. આમ છતાં, એ મિથ્યાજ્ઞાન તેના પ્રેક્ષકને વાસ્તવિક રત્યાદિના આસ્વાદની આન ંદાનુભૂતિ કરાવી શકે છે. તે સંવાદી ભ્રમ હાઇને તેમાં ભાવકો ગાતા નથી. ઊલટું તેમની અપેક્ષા પૂરી થાય છે. આમ, ધર્મ કીતિએ મિથ્યાજ્ઞાનનું અક્રિયાકારિત્વ દર્શાવ્યું છે. તેને ઉલ્લેખ કરીને શંકુક સ્પષ્ટતા કરે છે કે અનુકારરૂપ જ્ઞાનને પશુ અર્થ (યાકારિત્વ હૈાય છે. તેથી જ, નાટ્યપ્રયોગમાં રજૂ થયેલા મિથ્યા રામના મિથ્યા ભાવેશને પણુ સહદય આસ્વાદ લઈ શકે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શકુંક રજૂ કરેલા મણિ–પ્રદીપ-પ્રભાન્યાયને કેટલાક હિંન્દી વિવેચકો આ રીતે સમજાવે છેઃ “ એક માણસ દીવાને ણુ સમજી, પકડવા દોડયો. પરિણામે દીપકની જવાળાથી તે દાઝયા. તે દાઝયે, ત્યારે તેને ખબર પડી કે, આ તે દીપક છે, મણુિ નહીં. તેથી પેાતાનું જ્ઞાન મિથ્યા હતું.? અહીં કહેવું જોઈએ કે, સવાદી ભ્રમ અને વિસવાદી ભ્રમનેા તફાવત દર્શાવવા લેાકમાં મણુિ-પ્રદીપ-પ્રભા પાછળ ઘેડનાર બે વ્યક્તિને ઉલ્લેખ છે. ક્રિયાપદ પણ દ્વિવચનમાં છે. વળી ઝળહળતા દીવાને હાથમાં પકડે ત્યાં સુધી તેને તેમાં મણા ભ્રમ થાય તે તે મહામૂખ વ્યક્તિ ગણાય. દીપક અને મણિ એ બે વસ્તુને નહિ, બંનેની પ્રભા જોઇ તે ભ્રમ થવાની સભાવના સાચી લાગે છે. આમ, શ્રી દીક્ષિતનું અર્થઘટન થાડુ` નવાઇ પ્રેરક છે. કેટલાક હિન્દી ૨ દીક્ષિત આનન્દપ્રકાશ-રસસિદ્ધાંત, સ્વપવિશ્લેષણ, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૬૦, ૪. ૨૪. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy