SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ નરેન્દ્રકુમાર પી. મહેતા જોઈએ. બાલારિષ્ટભંગ અંગેના ચંદ્રના મેગે અને વિવિધ રંગો તથા તેના ઉપચારોનું એક સાથે લેખકે સુંદર નિદર્શન કર્યું છે.૯ હવે કમશઃ દરેકનું રસપ્રદ અને ઉપગી મૂલ્યાંકન કરીશું. ૧ વાયુગના નાશ માટે બસ્તિક્રિયાઃ સારાવલીના ૧૧ મા અધ્યાયના ૪ થા લોકમાં ચંદ્રગથી થતા બાલારિષ્ટભંગના જ્યોતિષવિષયક નિરૂપણમાં લેખકે જણાવે છે કે જે પૂર્ણ કળાએથી યુક્ત ચંદ્ર જન્મસમયે - મિત્રના નવમાંશ ચંદ્રમાં સ્થિત હોય અને તે શકથી દષ્ટ હોય તે અરિષ્ટ દૂર કરવાવાળા ગોમાં આ શ્રેષ્ઠ યોગ છે. આ બાબત સમજાવવા માટે લેખક વૈદકીય ઉદાહરણ સાથે તુલના કરતાં જણાવે છે કે જેમ વાયુરેગના નાશ માટે બતિક્રિયા કોઇ મનાય છે તેમ અરિષ્ટના નાશ માટે ચંદ્રથી બનતે ઉપર્યુક્ત યુગ છેષ્ઠ છે. આ વાયુગના નાશ માટે આયુર્વેદિક ઉપચારોમાં સુંઠ, ગઠડા, મેથી,હિંગાષ્ટક વગેરે ઔષધે જાણીતાં છે, છતાં બસ્તિક્રિયા (વિવિધ રીતે કરવામાં આવતી શરીરની આંતરિક શુદ્ધિ) વાયુરોગના વિનાશ માટે ઉત્તમ માનવામાં આવે છે. બસ્તિક્રિયાથી શરીર વાયુદોષરહિત અને ફૂર્તિવાન તથા તંદુરસ્ત રહે છે. બસ્તિક્રિયાને એક પ્રકારની યોગિક ક્રિયા પણ માનવામાં આવે છે. લેખકે અહીં તિષવિષયક નવમાંશને એક રાશિના નવ ભાગ નક્ષત્રપદ્ધતિને મહત્વ પણ બતાવી દીધું છે. જ્યોતિષશાસ્ત્રમાં નવમાંશ કુંડળીનું વર્ગીય, દશવર્ગવ વગેરે કુંડળીઓમાં વિશેષ મહત્વ જોવા મળે છે. . ૨ કફ અને પિત્તદોષના વિનાશ માટે વિરેચન અને વમનયા – * " આ અધ્યાયના પાંચમા લેકમાં જલાબ અને ઊલટી દ્વારા કફ તથા પિત્તના દોષના શમનની ચર્ચા છે. જેમ કફ અને પિત્તના દેશને જલાબ (રેચ) એ વમનથી દૂર કરી શકાય છે તેમ જે ચંદ્ર જન્મસમયે પરમ ઉચ્ચને એટલે કે વૃષભ રાશિમાં ત્રણ અંશને હોય અને તે શુક્રથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ થાય છે. અર્થાત બાલારિષ્ટને ભંગ થાય છે અહીં જુલાબ તેમજ ઊલટીના ઉપચારથી કફ અને પિત્તદોષ શરીરમાંથી નીકળી જાય છે અને તે શાંત થાય છે તે વિચાર રજૂ થાય છે. ઉરચના પ્રહનું મહત્વ પણ અંકાયું છે. ભારતીય તિષમાં ઉયના ગ્રહોને પ્રબળ અને શક્તિશાળી–પ્રભાવશાળી માનવામાં આવે છે. નૈસર્ગિક શુભ ગ્રહ શુક્ર અને તેની દૃષ્ટિનું પણ મહત્વ જોવા મળે છે. ૯ એજન, પૂ. ૭૯, ૮૦ અને ૮૧ (વિવિધ રોગો અને ઉપચારે) ૧૧/૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૩ અને ૧૫ (મહા.) : For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy