________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જગન્નાથ આમ કહીને ઉપમા અને રૂપકના શાબ્દોધ વિશેની પેાતાની ચર્ચાનુ' સમાપન કરે છે.
આ સંદર્ભમાં પ્રાચીન અલંકારિકા ઉપમા અને રૂપકના ભેદ કઈ રીતે દર્શાવે છે, તે જોવું રસપ્રદ થશે, યાસ્કથી શરૂ કરીએ તે તેમણે નિરુક્ત'ના ત્રીજ અધ્યાયમાં ઉપમાના જુદા જુદા પ્રકારે દર્શાવતી વખતે કહ્યું છે : ગ્રંથ જીતાોવમાન્યયે વમાનીયાન્નક્ષતે । (૩. ૧૮, ૧.) આમ જે પદ્યમાં ફેવ' વગેરે ઉપમાવાચક શબ્દોના લાપ છે, તેમને યાક અર્થાપમા' કહે છે અને તેએ વૃત્તિ ફ્રેમ્યાત્ર: વગેરેનું ઉદાહરણ આપે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જેને તે અર્થાપમા પ્રયાગ કહે છે, તે અને ઉપમા બંને વચ્ચે તેમણે એક ભેદરેખા દોરી આપી છે કે અર્શીપમામાં ઉપમાવાચકના લેપ હાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાટયશાસ્ત્ર',ના સેાળમા અધ્યાયમાં ભરતે ઉપમા અને રૂપક એ એ અલ કારાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ
यत्किञ्चित् काव्यबन्धेषु सादृश्येनेापमीयते ।
૩૧મા નામ સા શૈયા મુળાક્રૃતિસમાશ્રયા || (૧૬.૪૧.) स्वविकल्पेन रचित तुल्यावयवलक्षणाम् ।
નિશ્ચિભાદચમ પન્ન થવ* 'તુ તત્ ॥ (૧૬.૫૬)
આ વ્યાખ્યા પરથી બંને અલંકાર વચ્ચેતેા તફાવત સ્પષ્ટપણે જણાઈ આવતા નથી.
ભામહે કાવ્યાલ કાર(૨. ૩૦)માં ઉપમાની વ્યાખ્યામાં ઉપમેયનુ' ઉપમાન સાથેનું સામ્ય ગુણુ લેશથી ડાવાતુ દર્શાવ્યું છે, જ્યારે ‘ગુણાની સમતા' જોઈ તે અને ઉપમેય પરના આરાપ તે રૂપક (૨.૨૧) એમ જણાવ્યું છે. ભામહે આ વ્યાખ્યામાંના ‘ઘ્યતે’ પદ વડે રૂપકમાં અભેદ્નું કથન કર્યુ. છે. દંડી કાવ્યાદશ’''માં ૩પૌત્ર તિરામૂતમેના મુચ્યતે। (ર. ૬૬), એમ વ્યાખ્યા આપીને બુને વચ્ચેના ભેદ સ્પષ્ટ કરે છે. કાવ્યાલ કારસારસંગ્રહ'ના કર્તા ઉદ્ભટ રૂપકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છેઃ
श्रुत्या संबन्धविरहाद्यत्पदेन पदान्तरम् ।
તુવૃત્તિપ્રધાનેન મુખ્યતે વ તુ તત્ ॥ (૧, ૧૧)
આદ્ય'કારિક વામન આ અને અલંકારાની વ્યાખ્યા ખાભૂતમાં ભામને અનુસરે છે. રુદ્રર કાવ્યાલંકાર”માં રૂપક(૮. ૩૮)માં સામાન્ય ધમનું કથન હતુ` નથી અને તેમાં અભેદ્રની કલ્પના હાય છે. એમ કહી ઉપમાથી તેને ભેક દર્શાવે છે. કુન્તકે રૂપકની વ્યાખ્યામાં ‘વચારત' શબ્દ મૂકીને તેના તફાવત દર્શાવવા પ્રયત્ન કર્યાં છે(૩. ૨૦). ઉપચારના અ་ઉપમેયમાં સાદસ્યમૂલક ઉપમાનના તત્ત્વને અધ્યારોપ એવા થાય છે. આમ તેએ રૂપકમાં લક્ષણા સ્વીકાર કરતા જણાય છે.
ભોજ “સરસ્વતીક’ઠાભરણ''(૪, ૨૪)માં રૂપકની વ્યાખ્યામાં ગૌણ વૃત્તિનાં નિર્દેશ કરે છે. આ ગૌણુ વૃત્તિ એટલે ગૌણી સાદશ્યવતી લક્ષણુાવૃત્તિ છે. ભોજ રૂપકમાં લક્ષણાને સ્વીકાર કરે છે, તે
આથી સ્પષ્ટ થાય છે.
ભોજે ‘શૃંગારપ્રકાશ''માં આપેલી રૂપકની વ્યાખ્યા ક્રૂડીની વ્યાખ્યાને મળતી આવે છેઃ વમૈવાસ્વન્નાઇયાત્તિને મૂતમેવા સમ્। (પ્ર. ૧૦, પૃ. ૪૧૨). તેાંધપાત્ર બાબત એ છે કે તેમણે “શુંગારપ્રકાશ”ના સાતમા અઘ્યાયમાં ઉપમા અને રૂપક વચ્ચેને તફાવત નીચેના શબ્દોમાં એકદમ સ્પષ્ટપણે જણાવ્યા છે :
૧૪૮ ]
[ સામીપ્સ : આકટોબર, '૯૩–માર્ચ', ૧૯૯૪
For Private and Personal Use Only