SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir આ રીતે જગનાથ પહેલાં ઉપમા અને પાક વચ્ચેનો ભેદ, વ્યાખ્યા ઉપરાંત પણ વધારાની સમજુતી આપીને સ્પષ્ટ દર્શાવવાનો પ્રયત્ન ભોજે કર્યો છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ ઉપમાની વ્યાખ્યા (1. ૧૨૫), અને રૂપકની વ્યાખ્યા(૧૦, ૧૩૯)માં અનુક્રમે ભેદ અને અભેદ શબ્દ મૂકીને તફાવત ઉપસાવે છે. “અલંકાર સર્વસ્વકાર યયક પણ રૂ૫કની વ્યાખ્યામાં “અભેદપ્રાધાન્ય” અને “આરોપ” શબ્દ મૂકી ઉપમાથી તેને જદ અલંકાર દર્શાવે છે. કાવ્યાનુશાસન'માં હેમચંદ્ર રૂપકની વ્યાખ્યામાં મrs’ શબદ મૂકીને તેને ઉપમાથી જુદે અલકાર દર્શાવવા મથે છે, અને તેના પરની વિવેક ટીકામાં બંને વચ્ચેનો ફરક સ્પષ્ટપણે દર્શાવે છે (અ. ૬, સૂત્ર ૫). " સાહિત્ય દર્પણના કતાં વિશ્વનાથ ઉપમાની (૧૦. ૧૪) વ્યાખ્યા આપી વૃત્તિમાં જણાવે છે કે ઉપમામાં સામ્ય વાચ્ય હોય છે, જયારે રૂપક વગેરેમાં તે વ્યગ્ય હોય છે. ‘ચિત્રમીમાંસા' ના કત અય દીક્ષિત ઉપમાથી રૂપક અલંકારને જડા પાડવામાં અભેદપ્રતિપત્તિને કારણભૂત ગણે છે. પણ તેમના મતે અભેદપ્રતિપત્તિ સંગમર્યાદાથી જ સંભવે છે. તેથી તે માટે લક્ષણની સહેજે જરૂર નથી. જગન્નાથે “નડ્યા:” કહીને જેમના મતનું ખંડન કર્યું છે, તે નવીન આલંકારિકોમાં મુખ્ય અપ્રિય દીક્ષિત છે. તેમનો મત જગન્નાથે કરેલા ઉપર્યુક્ત સંદર્ભમાં ચર્ચાઈ ચૂક્યો છે, તેથી અહીં તેને ઉલેખ માત્ર કર્યો છે. - ભામણથી માંડીને અયદીક્ષિત સુધીના આલંકારિકના મતો જોઈએ તે ૫ષ્ટ થાય છે, કે આ બાબતમાં જગન્નાથ જેવી સુક્ષ્મ ચર્ચા કેઈએ કરી નથી. જગન્નાથે ઉપમા અને રૂપકને શાદબોધ જુદા તારવી દર્શાવ્યો છે, રૂપક લક્ષણો વિના નિષ્પન્ન થાય જ નહીં', અને જે થાય તે તેમાં ચમત્કારિતા પ્રવેશે નહીં, એ સિદ્ધ કર્યું છે, અને જે લોકો રૂપકમાં લક્ષણું સ્વીકારતા નથી, તેમને જોરદાર ખંડન કર્યું છે. તેમની આ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહી છે, તેમાં સહેજે શંકા નથી. પાદટીપ ૧. રસFાપરઃ (સં. મથુરાનાથ શાસ્ત્રી), પ્રકાશક : નિર્ણયસાગર પ્રેસ, ષષ્ઠ સંસ્કરણ, ૧૯૪૭, મુંબઈ, પૃ. ૧૮૭-૨૦૨ ૨. લાધર: સંસ્કૃત ટીમ વરિદ્રા સહિતૈ: (સં. પંડિત બદરીનાથ ઝા), પ્ર. ચૌખમ્બા વિવા ભવન, ૧૯૬૯, વારાણસી, પૃ. ૧૫૯ પંડિતરાજ જગનાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ] [૧૩૯ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy