________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહી ભાનુદત્તનો ઇશારો ધનંજય-ધનિક તરફને જણાય છે. - “દશરૂપકકાર અનુભાવરૂપ હેવા છતાં, સાત્વિક ભાવને સ્વંતત્ર સ્વીકાર કરી રસસૂત્રમાં પણ તેને સમુચિત ઉલેખ કરતાં કહ્યું છે–
पृथग्भावा भवन्त्यन्येऽनुभावत्वेऽपि सात्त्विकाः । सत्त्वादेवं समुत्पत्तैस्तच्च तद्भावभावनम् ।। તથા તેને સમજાવતાં ધનિક નોધે છે કે
બીજાનાં સુખદુઃખને વિષે પિતાના અતઃકરણને એકદમ અનુકૂળ બનાવી દેવામાં આવે તેને સર્વ કહે છે. કહ્યું પણ છે કે, સત્ત્વ એ એક મને વિકાર છે, જે એકાગ્ર બનેલ ચિત્તમાંથી જન્મે છે. સન્ત તે છે કે, જેનાથી દુઃખી કે આનહિંત થતાં, આંસુ કે રોમાંચ વગેરે જન્મે છે. તેથી સર્વથી -જન્મેલ તે બધાને સાત્ત્વિક ભાવ કહે છે. તે સત્વમાંથી ઉદ્ભવતા અશ્રુ, રોમાંચ વગેરે પણ અંતરના
ભાવને સૂચવનાર હોવાથી તેમને અનુભાવ પણ કહી શકાય. . ધનંજય-ધનિકનો આ મત ભાનુદત્તને સ્વીકાર્ય જણાતા નથી. તેઓ જણાર્યું છે કે બીજાના દુ:ખ માટે પોતાના મનની અત્યન્ત અનુકૂળતામાંથી જન્મતા ભાવને સાત્વિક કહેવામાં આવે તો તો નિ, સ્મૃતિ વગેરેને પણ સાત્વિક કહેવાનો પ્રસંગ આવશે, અને વળી અનુકૂળ' પદને
ને વળી અનુકૂળ પદનો અર્થ પારકાના દુઃખની ભાવનામાંથી આ આઠ જ ભાવો જન્મે છે–તે નથી. આથી તેમનું સારિકત્વ પણ સ્વીકારવું જોઈએ, કેમ કે, નિર્વેદ વગેરે પણ પરદુખની ભાવનામાં ઉત્પન્ન થાય જ છે." - આ રીતે, ભાનુદત્તને મતે, મનની અત્યન્ત અનુકુળતા એટલે સત્વ અને તેનાથી યુકત હોવામાત્રથી સાત્વિકત્વ સિદ્ધ થતું નથી, કેમ કે તેમ કરવાથી નિતિ વ્યભિચારિ ભાવેને તેનાથી પૃથફ રાખી શકાશે નહીં. તે પછી, સાત્વિક ભાવોનું સૉરિવકત્વ શેને કારણે છે? એ અને ભાર્ક પાની રીતે સમાધાન વિચારે છે અને જણાવે છે કે, “સત્ત્વનો અર્થ છે–શરીર તથા તેના ધર્મો તે સાત્વિક ભાવ અર્થાત સ્તંભ વગેરે શારીરિક ધર્મો સાત્ત્વિક ભાવો કહેવાય છે, જયારે સ્થાયી અને ભિચારી તે આન્તરિક હોવાથી તે શરીરના ધર્મો નથી. ૧ ર - अत्रेद प्रतिभाति सत्त्वशब्दस्य प्राणियाचकत्वादत्रं सत्त्वे जीवशरीरम् । तस्य धर्माः सात्त्विकाः । इत्थं “च शारीरभावाः स्तम्भादयः सात्त्विका भावा इत्यभिधीयन्ते । स्थायिनेो व्यभिचारिणश्च भावा आन्तरतया न शरीरधर्मा इति ।
અહી ભાનુદતે મૌલિક રીતે સાત્વિક અને વ્યભિચારીઓ વચ્ચેને વિવેક ઉપસાવ્યો છે અને સાત્વિક ભાવોનું સ્વરૂપ જુદુ જ હોવાથી તેમને પૃથક ઉલેખ્યા છે. - આચાર્ય ભરતે તેમના પ્રસિદ્ધ રસસૂત્રમાં જે કે સાત્વિક ભાવને પૃથક નિર્દેશ કર્યો નથી અને અનુભાવો દ્વારા જ તેમનું ગ્રહણ થતું વિચાર્યું છે, છતાં તેમને સાત્વિક એવું જ નામ છે અપાયું છે, તે અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે
__ अच्यते इह हि सत्त्व नाम मनः प्रभवम् । तच्च समाहितमनस्त्वादुच्यते। मनसः . समाधी सत्त्वनिष्पत्तिर्भवति । तस्य च योऽसौ स्वभावो रामाग्चाश्रवा दिलक्षणो यथाभावोपगतः शक्योऽन्यमनसा कतुंमिति । लोकस्वभावानुकरणत्वात्, नाट्यस्य सत्त्वमीप्सितम् ।
મનમાંથી જે ઉદ્દભવે છે, તેને સર્વ કહે છે અને તે, મન એકાગ્ર થતાં સંભવે છે, એટલે કે મનની સમાધિમાં સર્વ જન્મે છે, તેને જે સ્વભાવ છે તે ભાવ પ્રમાણે પ્રાપ્ત થતાં, રે માંચ, આંસુ, વર્ય વગેરે લક્ષણે અન્યમનસ્ક રીતે અભિનીત કરી શકાય તેમ નથી અને નાય તે લકવભાવનું અનુકરણ કરતું હોવાથી, તેમાં સત્ત્વ ઈષ્ટ મનાયું છે. તાત્પર્ય એ કે, લોકમાં જણાતા સુખ
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવો તથા વ્યભિચારિ ભાવો]
For Private and Personal Use Only