SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવે તથા વ્યભિચારિભાવે - જારહિ પંડયા ૧૫ મી સદીમાં થઈ ગયેલા ભાનુદત “રસમંજરી', તથા રસતરંગિણી'ના રચયિતા તરીકે વિશેષ જાણીતા છે. ગુણ, રીતિ, અલંકાર વગેરે વિભિન્ન કાવ્યતનું નિરમણ તો રસના અનુલક્ષમાં જ હg ઘરે એક આચાર્ય આનન્દવર્ધનના આગ્રહને જાણે કે મન્નમસ્કતયા આવકારતા હોય તેમ ભાનુદત પિતાના અને ગ્રંથમાં એકમાત્ર રસનું જ વિવેચન કરે છે. તેમાંય “રસમંજરીમાં તેને કેવળ નાય નાયિકા અંગે વિચાર પ્રસ્તુત કરે નવી જ ભાત પાડી છે. પ્રસ્તુત લેખમાં ભાનુદતની રસતરંગિણમાં પ્રાપ્ત થતા સાત્વિક તથા વ્યભિચારીભાવ અંગે વિચાર હાથ ધરી છે. “રસતરંગિણી'ના પ્રથમ તગમાં જ, રસુત કારગુપ્ત ભાવનું, લક્ષણ આપતાં કહ્યું છે કેરક્ષા વિના મન્ના રસને અકળ, એ વિકાર તે ‘ભાવ' છે, અને વિકાર એટલે' અનનુભૂત કે અજ્ઞાત એવા સંસ્કારને અન્યથાભાવ. એટલે કે પૂર્વે પરિચિત નહી તે કઈસ્કાર જાગ્રત થાય કે અનુભવમાં આવે તેને વિકાર કહે છે અને તે રસને અનુકુળ હેત્તાં, “ભાવ” તરીકે ઓળખાય છે. તેના બે પ્રકાર છે આતંર અને શારીર. તે પૈકી પ્રથમમાં સ્થાથિંભા તથા વ્યભિચાહ્મિા સ્થાન પામે છે. મારે હિતમાં, સાત્વિકભાવે, સમાવિષ્ટ કરાયા છે. આઠ તરશામાં વિભક્ત રસતરંગિણી'ના ચતુર્થ તર 'ગમાં સાત્વિકભાવો તથા પંચમ તરગમાં વ્યભિચારિભાનિ સુવ્યવસ્થિત નિરૂપણ પ્રાપ્ત થાય છે, જે પરંપરા મસ્ત લેવાની સાથે જ નવીન ભાત પણ ઉપસાવે છે. તે હવે કમ: જોઈએ. સાત્વિકભાવનું નિરૂપણ કરતાં, સૌ પ્રયમ ભાનુદત્ત, ભરત સંમત આઠ સાત્વિક ભાવની નોંધ લે છે તથા તેમને “સાત્વિક એવું નામાભિધાન આપવા પાછળનો આશય સ્પષ્ટ કરતાં, શાસ્ત્રીય ઢબે ચર્ચા ઉપાડે છે. તેઓ ને છે કે, ननु अस्य सात्त्विकत्व कथम् व्यभिचारित्व न कुतः सकलरससाधारण्यादिति चेत् । अत्र केचित्, सत्त्व' नाम परगतदुः स्वभावना यामत्यन्ताऽनुकूलत्वम् ; तेन सत्त्वेन धत्ताः सात्त्विका इति व्यभिचारित्व. मनादत्य सात्त्विक व्यपदेश इति । ' અર્થાત, તંભ, વેદ, રોમાંચ વગેરે ભાવો બધા રસને વિષે સાધારણ રીતે રહેલા છે, તે . પછી તેમને વ્યભિચારી જ શા માટે ન કહેવા ?' એવો પ્રશ્ન થાય, તેના સમાધાનમાં કેટલાક એવું જણાવે છે કે, બીજાના દુઃખને વિષે મનની અત્યન્ત અનુકુળતાને “સત્ત્વ' કહે છે અને તે ભાવથી યુક્ત હેય, તે છે “સાત્વિક'. તેથી, તેમને વ્યભિચારી ન કહેતાં, “આત્વિક” એવું જ નામ અપાયું છે. * ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૭ મા વાર્ષિક અધિવેશનમાં કરનાલી મુકામે વાંચેલ અભ્યાસલેખ. + અધ્યાપક, સંસ્કૃત વિભાગ, હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ [સામીપ્ય : ઍકટે, '૨-માર્ચ, ૧૯૯૫ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy