SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાની અસર અને આસપાસના વાતાવરણુની અસર તેમની ઉપર હતી. તેમને સપર્ક સમાજના વિદ્વાનો તેમજ ર ક લાકો જોડે પણ ધનિષ્ઠ હતા, તેમની રાણી માટે ભાગે રાજપૂત કે ઉચ્ચ ઢાકાર કુટુંબની હતી - ત્રીજો ફલિતાથ એ થાય કે ગુજરાતના મુલતાના પાસે વહાણા હતા. દરિયા કાંઠાને લીધે આસ પાસના મુલતાને એનાથી વાચિત હતા. 'સુલતાને' માછલાના શિકાર કરીને દરિયામાં મનેર જન મેળવતા હોવા જોઈએ. ગુજરાતના સુલતાનેાએ નૌકાદળ પણ તૈયાર કરેલું. તેમજ બહાદુરશાહ વગેરે ધેાધાથી દીવ કે ખભાત જવા માટે હમેશ જળ માગના ઉપયાગ કરતા હતા. ઐયાશી, બહુપત્નીત્વ સુલતાન મહમૂદ ખીન્નના સમયમાં દરયાખાન નામના એક ઉમરાવ ખૂબ લપટ હતા. એની પાસે અસંખ્ય કન્યા હતી. એમને તે “દુખ્તરખાનામાં રાખતે હતા. કોઈ એક ખાસ બાતમી મેળવવા એણે સુલતાન પાસે પેાતાની આવી કન્યાઓમાંથી એકને એક રાત્રે માકલી અને એક ખ્વાજા સરાને ફાડયો. સુલતાને એની જોડે સભાગ કર્યા અને સવારે પથારીમાંથી ઊઠયા પછી ઊભાં ઊભાં પલ‘ગ પાસે પેશાબ કર્યાં. એને અથ એવા થયા કે કુટણી ધરા ચલાવતા હતા અને એ પણ કહેવાતી ઈસ્લામી હુકુમતમાં મુલતાન બહાદુરે માંડુ અને માલવા જીત્યા બાદ એને એક વિચિત્ર વિચાર આવ્યેા. એણે હુકમ કર્યાં કે “અમારા લશ્કરમાં અને માંડુ શહેરમાં જેટલી ડોમની, પાત્રી, કન્યા અને નાયિકાએ હાય બધાને અમારી સમક્ષ હાજર કરા. લગભગ એક હાર આવી શ્રી શણુગાર સાથે આવી. સુલતાને એક એકને લાવીને ઈનામ આપી રજા આપી. એક નજીકના અમીરે પૂછ્યું' સુલતાનને કાઈ ગમી ?’’ એણે કહ્યું: “અમારા હરમમાં નાઝુક લહર જેવી દાસી છે એની સામે આ સ્ત્રીએ કંઈ જ નથી.” નાઝુક લહર પહેલાં સુલતાન સિકદરના હરમમાં હતી. દીવના ગવન ર મલેક આયાઝના પુત્ર ઈસહાકની પત્ની અને દાસીઓની સંખ્યા એક સા હતી. સૌને એ શારીરિક સંબધો બાંધીને તૃપ્ત રાખી શકતા હતા. એના મરણ પછી મેાટા ભાગની એની વિધવાઓએ પોતાના પેટ ચીરી નાખ્યાં અને આપધાત કર્યાં. માંડૂના સુલતાન મહમૂદના હરમમાં બે હુન્નર સુ દરીઓ હતી. એણે મહલમાં ચારે બાજુ આરડીએ બનાવી હતી. પેાતે વચ્ચે જ આંગણમાં આવીને ઊભા રહેતા, ત્યારે મા સૌ એક સાથે શણગારીને એના ક્લિને બહેલાવવા પ્રયત્ન કરતી હતી. આ બધી સુંદરીઓએણે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરને અર્પણુ કરવા ઓફર કરી હતી કારણુ કે એની સહાયથી એની ગાદી ખચી હતી. પણ પવિત્ર સુલતાન મુઝફ્ફર શરીઅતની વિરુદ્ધ કશુ કર્યું નહીં .1° રાજપૂત રાજાઓમાં પણ આ પ્રમાણે જ હતું. એના અથ એ થયા કે સત્તા અને ધન જ્યારે કાઈ પણુ. કામના માણુસ પાસે આવે છે, તે એયાશીમાં કોઈ ધાર્મિક સામાજિક કે અન્ય નીતિ નિયમાને અનુસરતા નથી; એનેા એક જ સિંદ્ધાંત હોય છે. અમર્યાપ્તિ. અબાધિત, અનિયત્રિત અને વૈવિધ્યપૂ યૌન સંબધ માણુવા. નશીલા પદાર્થો : સુલતાન મુઝફ્ફર એક પવિત્ર માણસ હતા. કુર્આનના હાફ્રિઝ, મઆલેમુત તનઝીલ જેવી તફ્સીર અને હદીસ શરીના અભ્યાસી હતા. એણે જીવન દરમિયાન એક વાતની કાળજી રાખી હતી કે એની ૬ 0 ] [સામીપ્સ : આટો., '૯૨-મા', ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy