SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આને અર્થ એ થશે કે વિહાર કે સંધારામે એ માત્ર નિવાસસ્થાન નહોતાં પણ અભ્યાસનાં કેન્દ્રો પણ હતાં. આ અભ્યાસકેન્દ્રો માત્ર નિવાસસ્થાન હોય તે એટલા બધા સાધુ કે ભિક્ષના ભોજનનું શું ? એટલી મોટી સંખ્યાના સાધુઓને લોકો રોજ ભેજન આપે ખરા ? કે એમની પોતાની ભોજન અને છાત્રાલયની વ્યવસ્થા હતી ? વાસ્તવમાં બૌદ્ધોની શિક્ષણ વ્યવસ્થા અને છાત્રાલય વ્યવસ્થા બંને હતાં. આ માટેની વ્યવસ્થામાં સંધ'નું મહત્ત્વ વિશિષ્ટ હતું. બુદ્ધ શરણમ ગચ્છામિ', ધમ્મ શરણમ ગચ્છામિ'ની સાથે સંબં શરણું ગચ્છામિ ને ઉચ્ચારે પણ સાથે જ કરવામાં આવતો. બુદ્ધ, ધર્મ અને સંધ આ ત્રણે ભિક્ષુઓ માટે મહત્ત્વના હતા. આ વ્યવસ્થાના બે ભાગ થઈ શકે : (૧) વિહારની નિવાસી વ્યવસ્થા અને તેના અધિકારીઓ તથા (૨) છાત્રાલયમાં ભોજન વ્યવસ્થા અને તેના અધિકારીજનો. પ્રથમ જોઈએ વિહાર વ્યવસ્થા. સંઘનું મહા * વિહારની વ્યવસ્થા ગોઠવવામાં મુખ્ય ફાળા સંધને હતા. બૌદ્ધ ધર્માનુયાયી ભિક્ષુઓની ભરતી કરવામાં આવતી. તે ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓની સ્વતંત્ર સરકાર(republican)થી સધનું બંધારણ પ્રેરિત હતુ. અને તેના બંધારણ અનુસાર તે વખતે કાયદેસર રચાયેલ સનંદી એકમ (corporat unit) હતું. તેમાં કાયદેસરની વ્યક્તિઓ મુકાયેલી હતી અને તેનાં બધાં જ કાર્યો સંધનાં નામે થતાં હતાં.૯ ચૂંટાયેલા સો મત ગણતરી ઉપરથી સંઘના પ્રતિનિધિ સભ્યોની સામાન્ય ઈચછા શું છે તે જાણવામાં આવત. એ માટે “વિનય માં નિયત થયા પ્રમાણે ઓછામાં ઓછા કેટલા પ્રતિનિધિઓની હાજરી છે તે પણ જેવાતું.” કેરમ અને મતદાન મતદાન ખંડ રીતે કે પ્રોકસી (puoxy) કે મુખત્યાર દ્વારા કરવામાં આવે તે માન્ય ગણાતું નહિ.૧૧ એક વખત કોઈ પ્રશ્નનું જે કાંઈ નિરાકરણ લાવવામાં આવતું તે કાયમી ગણાતુ.૧૨ કાર્યપ્રણાલિ - ધર્મગુરુઓ કઈ ગુણવાન ધર્મગુરુના અધ્યક્ષપદે અગત્યના પ્રશ્ન પર તેમની સલાહ માટે મઠના વિશાળખંડમાં એકત્રિત થતા. આ પ્રમાણે એWત્રત થયેલ સભ્યોનું સંમેલન કે સભા હાથ ઉપર લવાયેલ પ્રશ્ન ઘણું કરીને ધમ, વિનય, શિક્ષણ, રીતભાત તેમજ તથાગત(ભગવાન બુદ્ધ)ની. આના વિષયક રહેતો. ઉપરાંત ધર્મગુરુ કે સંઘના બંધારણ સાથે સંકળાયેલ બાબતે પણ હાથ ધરાતી.૩ , સોની સમાનતા સંધના દરેક સભ્યની સમાનતા નિયમ વડે સ્થાપિત તેમજ રચિત થયેલ હતી. જ્યારે કોઈ કાય આવી પડતું ત્યારે સભ્યોની સભા એના નિકાલ કરી દેતી.૧૪ ઇસિંગ નધેિ છે કે જે કે મગર પોતાની જાતે કાંઈ નક્કી કરે કે પોતાની ઈચ્છાનુસાર તે અને સભાને અવગણે કે લક્ષમાં લે નહિ. તે તેવા ધમરને મઠમાંથી રજા અપાતી.૧૫ ૩૦ ] [સામીપ્ય : કટ, ૯૨-માર્ચ, ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy