SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથકમાં આવેલ પાટણ સેમિનાથ સ્થળે આ તુ અબ્દુરઝાક મસૂરીને એનાયત કર્યું જેની યાદદાસ્ત રૂપે આ વાકયો કલમબદ્ધ કરવામાં આવ્યાં.” | ગુજરાતના ઇતિહાસના અભ્યાસીઓને વિદિત હશે કે મુઘલ સમ્રાટથી નારાજ થઈ ખાને આઝમ મિર્ઝા અઝીઝ કાકા અકબરના તેને આગ્રા પાછા ફરવાના આદેશનું ઉલંધન કરી ઈ. સ. ૧૫૯૩ ના માર્ચની ૨૫ મી એ વેરાવળ બંદરેથી હજ કરવાના બહાના હેઠળ સમગ્ર પરિવાર સાથે મક્કા જવા રવાના થઈ ગયેલ. ઉપરની નોંધ પરથી એમ જણાય છે કે ખાન આઝમે પ્રસ્થાન સમયે આ ગ્રંથ મીર અબ્દુર્રઝાક મઅસૂરીને ભેટ આપો હતો. ખાને આઝમે આ ઉપરાંત બીજા ગ્રંથો મીર અબ્દુરઝાક (અને સંભવતઃ બીજા વફાદાર અનુચરે કે હાથ નીચેના અમલદારોને) આપ્યા હોય તેમ લાગે છે, કારણ કે ૧૧ મા શતકમાં થઈ ગયેલા વિખ્યાત સૂફી અને ફારસી ભાષાના મહાન કવિની પ્રસિદ્ધ ફારસી કાવ્યકતિ ““હદીતુલ-હકીકત” નામની મનનીની હિ. સ૬ (ઈ. સ. ૧૨૨૦૧૨૧)માં લખાયેલી પ્રતિ ખાન આઝમે પિતાના તેમજ કવિના વતન ગઝના ખાતેથી પિતાના સંગ્રહ માટે મંગાવી હતી. આ પ્રત પણ ખાને આઝમે મીર અબ્દુરઝાકને આપી દીધી હતી. આને અઝઝવાળી “હદીતુન્ હકીકત”ની પ્રત આ કાવ્યની સંશોધિત આવૃત્તિ તૈયાર કરનાર ગુજરાતના અને મૂળ અમદાવાદના વતની અબ્દુલતીફ બિન અબ્દુલ્લાહ અબાસીએ હિં. સ. ૧૩પ(ઈ. સ. ૧૦૨૫) માં મેળવી તેની નકલ કરાવી લઈ તેના વિભિન્ન શબ્દપાઠની નોંધ કરી તેમના પર હાંસિયામાં ટિપ્પણી વગેરે લખી સંશોધિત આવૃત્તિ તૈયાર કરી હતી. પાદટીપ 9. C. A. Storey, Persian Literature, Section II, Fascimele 3; History of India (London, 1939), pp. 725 f; B. M. Tirmizi, 'Are Tabagat-iMahmudshahi, Ma'athir-i-Mahmudshaha and the Tirikh-i Mahmudshahi identical ? Proceedings of the Indian History Congress, Session 10 (1947), pp. 325 f. આવી રસપ્રદ ઇતિહાસ ધરાવતી ઘણી હસ્તપ્રતો વિશ્વના પુસ્તકાલયમાં મળે છે. ખુદ અમદાવાદમાં દરગાહ હઝરત પીર મુહમ્મદ શાહની લાઈબ્રેરીને લગભગ ૨૫૦૦ હસ્તલિખિત પુસ્તકોમાં ઠીક ઠીક પુસ્તકો પર આવી ને દષ્ટિગોચર થાય છે. વકફનામાના અરબી લખાણનું ભાષાંતર આ પ્રમાણે છેઃ “જે કઈ પર નિર્ભર નથી તેવા ઈશ્વરના વાચક બંદા અહમદ આરિફ હિકમતુલ્લાહ બિન ઈસ્મતુલાહ અલ-હુસેની એ મહાન ઉચ્ચ પેગમ્બર સાહેબ (અલ્લાહના તેમના ઉપર સલામ અને વંદન હ)શહેર (મદીના)માં એ શરતે વકફ કર્યું કે તેને પુસ્તક ભંડારથી બહાર લઈ જવામાં આવે તેમજ તેની યાચિત સાચવણી માટે કર્મચારી રાખવામાં આવે.' ૪. ભઆરિફ' (ઉદૂમાસિક), ઑકટોબર-ડિસેમ્બર ૧૯૨૬ના અંકમાં હિજાકે કુતુબખાને' (હિજાઝનાં પુસ્તકાલયે) લેખ, મહૂમ અલામ સૈયદ સુલેમાન દેશ વિદેશમાં જ્યાં જ્યાં જતા ત્યાંના પુસ્તકાલય કે જોવાલાયક ઐતિહાસિક સ્થળોની અચૂક મુલાકાત લઈ તે પર સવિસ્તર નધિ કે લેખ ઉક્ત માસિકમાં પ્રગટ સામીપ્ય : ઍકટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮ ]. [ ૧૭૭ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy