________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને શરીર બંનેને સ્વાધીન એટલે કે પિતાની જ પ્રતિભાને આધીન રાખવા માગે છે, તેઓ તે ઉપરના ત્રીજા પ્રકારના સંવાદને અપનાવનારા કવિઓ કરતાં ઉચ્ચતર કક્ષાના હોઈ શકે એ બાબત આનંદ સ્પષ્ટ છે. દેખાઈ આવતા હાર્દના અનુકરણથી મુક્ત કાવ્યરચના કઈ રીતે થઈ શકે ? આ પ્રશ્નને પ્રત્યુતર આપતાં આનંદ કહે છે કે આમાં સાક્ષાત્ સરસ્વતી દેવી તેને મદદ કરે છે. તેનું વિધાન છે
प्रतायन्तां वाचो निमितविद्यार्थामृतरसा न सादः कर्तव्यो कविभिरनवद्ये स्वविषये । परस्वादानेच्छाविरतमनसो वस्तु सुकवेः सरस्वत्येवैषा घटयति यथेष्टं भगवती ॥ .
સિદ્ધહસ્ત કવિઓને અર્થાત, હદયમાંથી આપોઆપ જેમને સ્વતઃસિદ્ધ રીતે કુરણ થાય છે. તેવા કવિઓને તે વાસ્તવમાં બીજાનું ગ્રહણ કરવાની વૃત્તિ જ હોતી નથી; તેમને તેમને વા વ્યાપાર આપોઆપ મદદ કરે છે. અહીં એમ પણ સૂચિત છે કે કદાચ પણ સિદ્ધહસ્ત કવિઓને થોડું ઘણું પણ કઈકનું યે અનુકરણ કર્યું હોય, તો તે વાસ્તવમાં અનુકરણ લાગતું નથી; રસાસ્વાદકને, કાવ્યાસ્વાદકને આસ્વાદન સમયે આવા સંભવિત અનુકરણની પ્રતીતિ પણ થતી નથી. આનાં બે કારણે છે
(૧) સિદ્ધહસ્ત કવિને આવી સંવાદની વૃત્તિ હોતી નથી, જરૂરિયાત પણ લેતી નથી. (૨) છતાં આવો કોઈ સંભવિત પ્રભાવ તેણે ઝીલ્યો , અને તેને તેણે કાલિદાસની માફક
ઋણ સ્વીકાર કર્યો હોય તે પણ તેની પોતાની પ્રતિભાનું સત્વ એટલું ઉચ્ચ અને ઉજજવળ હોય છે કે તેનાથી જ કાવ્યસમગ્રનું સૌદર્ય રંજિત થયેલું હોવાથી તેનું
અનુકરણ ૫ણ વિલુપ્ત સમું બની જાય છે. કાવ્યમાં સંવાદનો સ્વીકાર, તેના પ્રકારો, તેનાં ઈસિત અને અનીસિની આ ચર્ચા વિયો તેમજ સિદ્ધહસ્ત કવિઓ બંનેને આવરી લે છે. આનંદ બંનેના સંવાદની વાસ્તવિકતા સ્વીકારી તેના ભેદભેદ પણ ચર્ચે છે. નોંધપાત્ર એ છે કે આવી સ્પષ્ટ અને વાસ્તવિક ચર્ચા કઈ પણ જાણીતા પુરોગામીએ કરી નથી. અનુગામીઓ પૈકી હેમચંદ્ર વગેરેમાં આ વિષયની ચર્ચા મળી આવે છે. અ.નંદની પ્રસ્તુત વિષયની ચર્ચાને આપણે પ્રતિનિધિ ચર્ચા કહી શકીએ.
૧૫૨]
[સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only