________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जब तक रहेगी और हमारे जीवन को प्रभावित करती रहेगी तब तक भारत की आधारभूत विशिष्टता भी बनी રી |
સંસ્કૃત આયોગના રિપોર્ટમાં ખાસ એક વાત નોંધાઈ છે કે પશ્ચિમી રાષ્ટ્રો અને ભારતીય વિદ્વાનો અને વિદ્યાર્થીઓ પણ ભારતના દાર્શનિક વિચારો અને ભૌતિક વિજ્ઞાનમાં તેણે સદીઓ પૂર્વે કરેલા વિકાસથી અજાણ છે. અહીં ભારપૂર્વક એક વાત નોંધી છે કે જો સ્વતંત્ર ભારતમાં સંસ્કૃતનું પૂર્ણ અને મુક્ત અધ્યયન કરવા અને કરાવવામાં આવે તો આપણને દાર્શનિક વિચારો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના પરિણામકારી યોગદાન વિશે ખબર પડે, રસાયણશાસ્ત્ર અને ગણિતના ઇતિહાસને પૂર્ણરૂપે સમજવા માટે સંસ્કૃત ગ્રન્થોમાં વર્ણવાયેલી વિગતોથી ભારતીય છબી વિકસશે એમાં કોઈ શંકા નથી. તર્કશાસ્ત્ર, રાજયશાસ્ત્ર કે સાહિત્યિક આલોચના વિશે પણ આ જ વાત લાગુ પડે છે.
सत्यमिदम् - 'भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं चैव संस्कृतिः ।'
ખરેખર સંસ્કૃત વિના ભારતીય સંસ્કૃતિ શ્રીહીન અર્થાત સૌન્દર્યવિનાની બની જાય. વૈદિક સમયથી સંસ્કૃત ભારતીયોના જીવનના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહી છે. વૈશ્વિક ભાવનાઓની સમન્વયાત્મિક કૃતિ એટલે સંસ્કૃતિ. આપણાં વેદો એ વિશ્વસંસ્કૃતિના આદિ ગ્રન્યો છે એ આપણે જાણીએ જ છીએ.
યજુર્વેદમાં પણ આ સંદર્ભે ઉલ્લેખ મળે છે કે – “ક્ષા પ્રથમ સંસ્કૃતિવશ્વવાર |' (ઉ.૨૪)
માનવીના સમુન્નતજીવનનો પર્યાય એટલે સંસ્કૃતિ એમ પણ કહેવાયું છે. અને એ સમુન્નત જીવનની પ્રાપ્તિ માત્ર સંસ્કૃત જ પ્રાપ્ત કરાવી શકવા સમર્થ છે.
ષોડશ સંસ્કારોમાં ગણાવેલી બધી જ ક્રિયાઓ માનવીના સકલ આચારો અને વિચારોને પરિષ્કૃત કરે જ છે.
સંસ્કૃત જ સર્વ મનુષ્યોને સમન્વયની ભાવનાથી, સદાચારથી, સચિતનથી, સત્કર્મથી, સવ્યવહારથી સદ્ભાષા વડે અને સારા વિચારો વડે સંપન્ન બનાવી શકવા સક્ષમ છે.
એક તરફ વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં વિભિન્નતા અને વૈલક્ષણ્ય જોવા મળે છે તથા ભૌતિક તત્ત્વોથી બંધાયેલી જોવા મળે છે ત્યારે ભારતીય સંસ્કૃતિ જ તે બધાને ત્યાગપૂર્વક ઉપભોગ કરવાનું સૂચન કરે છે. ઇશાવાસ્યોપનિષદ્દનો પ્રથમ સત્ર જ આ તરફ દિશાસૂચન કરે છે કે
. ‘તેને ચત્તેન મુન્નીથા: મ પૃથ: સ્વિત્ ઇન ' અથર્વવેદમાં માત્ર ભારતીય સંસ્કૃતિની જ નહીં પણ વિશ્વસંસ્કૃતિની એકતા માટેના સંદેશનો સમુદ્દોષ થયો છે ત્યાં પૃથ્વી સૂક્તમાં ઋષિ કહે છે- “માતા પૂમિ: પુત્રોગ૬ પૃથા : '
આવા ઉત્તમ અને ઉદાત્ત વિચારો ભારતીય સંસ્કૃતિના સ્રોત એવી સંસ્કૃત ભાષામાં નિબદ્ધ થયા છે.
આપણી ભારતીય સંસ્કૃતિની મહામૂલી મૂડી એવી આ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ યુરોપના દેશોના વિદ્વાનોએ પારખી લીધું છે. તેથી જ જેનું સાર્વભૌમમૂલ્ય છે એવી આ ભાષા યુરોપના વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે. ત્યાંના વિદ્વાનોએ ત્યાંની ભાષાની સાથે આ દેવવાણીના અધ્યયનને પણ અનિવાર્ય માની છે. કારણ કે તેમના મતે સમસ્ત આર્ય ભાષાઓમાં પ્રાચીનતમ અને વિશ્વવ્યાપ્ત તથા સકલકલ્યાણમયી એવી આ સંસ્કૃત ભાષા છે.
ફ્રાંસ, જર્મની, ઇટાલી, રસ, ઇન્ડોનેશિયા, જાપાન વગેરે દેશોમાં પણ સંસ્કૃતનું અધ્યયન-અધ્યાપન પરંપરા સુદઢ રીતે ચાલે છે. કારણ કે આ ભાષા બધા જ પ્રકારના જ્ઞાન-વિજ્ઞાનનો અનન્ત અને અમૂલ્ય સ્રોત છે.
પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૨
For Private and Personal Use Only