SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વવિશ્રુત બહુમુખી પ્રતિભાવંત સ્થાપત્યવિદ પ્રા. મધુસૂદન ઢાંકી જિતેન્દ્ર બી. શાહ* પાંચે'ક વર્ષ પૂર્વે પ્રા. મધુસૂદન ઢાંકીને દિલ્હીની બી.એલ. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી નામની સંસ્થા દ્વારા કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સમારોહના અધ્યક્ષ, જાણીતા પુરાતત્ત્વવિદ મુનિષ જોષી (પૂર્વ મહાનિદેશક, આર્કિઓલાજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, દિલ્લી)એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “છેલ્લી ચારેક સદીઓમાં આવો વિદ્વાન થયાનું જાણ્યું નથી અને આવનારી ચારપાંચ સદીઓમાં આવો વિદ્વાન થશે કે કેમ એ શંકાસ્પદ છે.” એક વિદ્વાન દ્વારા તેમના વ્યક્તિત્વને વિદ્વત્તાને પ્રકાશિત કરનારાં આ વચનો ઘણું ઘણું કહી જાય છે. એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર ગ્રંથ શ્રેણીના પ્રધાન સંપાદક, નિર્પ્રન્થના સંપાદક, ભારતીય દેવાલયો અને પાશ્ચાત્ય ખિસ્ત દેવળોના સ્થાપત્યવિદ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વાસ્તુ-પરંપરાના મર્મજ્ઞ, સંગીતજ્ઞ, પ્રાચ્યવિદ્યાવિદ, ઇતિહાસવેત્તા, પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી, જૈન આગમાદિ સાહિત્યના અભ્યાસી, ઉઘાનકલાવિદ, રત્નવિદ્યાવેત્તા, એવું બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા પ્રા. મધુસૂદન ઢાંકી અનેક વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પ્રા. મધુસૂદન ઢાંકી તેમનો જન્મ સન્ ૧૯૨૭માં જુલાઈની ૩૧મી તારીખે ગુજરાતમાં, સૌરાષ્ટ્રના કિનારે પોરબંદર શહેરમાં, થયો. બાંધો એકવિડયો પણ સ્મૃતિ અત્યંત સતેજ, ધારણાશક્તિ અત્યંત પ્રબળ, જાણવાની અને શીખવાની તીવ્ર, જન્મજાત ઉત્કંઠા. વિવિધ વિષયો પરનાં સઘન લેખનો વાંચવાનો ગજબનો શોખ. કલા પરત્વે અભિરુચિ અને ઉત્તમતા તેમ જ અભિજાત્યના આગ્રહ જેવા ગુણ તેમને ગળથૂથીમાં મળેલા. સાદગી અને ઉદારતા જેવાં લક્ષણો એમને સ્વભાવગત હોવાનું માની શકાય. આવા ગુણોથી તેમનું ઘડતર થયેલું છે. તેમણે માધ્યમિક સુધીનું શિક્ષણ પોરબંદરમાં મેળવ્યું. વધુ શિક્ષણ મેળવવા પુનાની ફર્ગ્યુસન કૉલેજમાં જોડાયા. ત્યાં તેમણે જીયોલાજી ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. તેઓ મૂળે ગુજરાતી માધ્યમમાં ભણેલા તેથી અંગ્રેજી ભાષા જાણવા છતાંયે તેમાં લખવા જેટલું પ્રભુત્વ નહીં; એટલે પુનામાં અભ્યાસ કરતા ત્યારે, સતત અને સપ્ત મહેનત કરી, એ ભાષા આત્મસાત્ કરી. ત્યારબાદ એમ.એસ. અને પીએચ.ડી. કરવા અમેરિકા જવાની ભાવના હતી પરંતુ સ્કાલરશિપની વ્યવસ્થા ન થઈ એટલે પાછા પોરબંદર આવ્યા. ત્યાં પૂનાના એમના શિક્ષક પ્રા. કેળકર સાથે પોરબંદરના ભૂસ્તર ઉપર કામ કરવાનું અને તેના આધારે એમ.એસ.સી. અને પીએચ.ડી. કરવાનું વિચાર્યું. પરંતુ પોરબંદર રાજ્ય તો સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં વિલીન બનતાં આ યોજના કામયાબ ન બની શકી. અમુક સમય તો કામ વગર ઘરે બેસી રહેવાનું થયું. એ બે વર્ષના ગાળા દરમિયાન પિતાજીના સરકારી ફાર્મ પર બાગાયતનું કામ શીખ્યા. આ સમયગાળા દરમિયાન બાગાયતને લગતાં અંગ્રેજી તેમ જ ગુજરાતી પુસ્તકો વાંચી તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. પણ અર્થોપાર્જન વગર જીવન કેમ ચાલે ? એટલે ન છૂટકે સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. પણ એ વ્યવસાયમાં એમને જરાય રસ ન હતો : તેથી પોરબંદરના જાહેર પુસ્તકાલયમાંથી ડા. સાંકળિયાનું ગુજરાતના *ડાયરેક્ટર, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજ સામે, નવરંગપુરા, અમદાવાદ ૯ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૧ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy