SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મકરંદ મહેતા અને તેમનાં સંશોધનોમાંથી વ્યક્ત થતી ઐતિહાસિક વિભાવના ડૉ. વિકેશ પંડ્યા* I !sh| નnt U s આ લેખ તૈયાર કરવામાં ડો. મકરંદ મહેતાએ લખેલા ગ્રંથો અને લેખોમાંથી પ્રદાનરૂપ ગણાય તેને જ આવરી લેવામાં આવ્યા છે. વળી તેમની સાથેની રૂબરૂ મુલાકાતોનો આધાર પણ લેવામાં આવ્યો છે. તેમણે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી કે “જો તમે અહોભાવ રાખ્યા વગર પસંદ કરેલા સંશોધનોનું સમજદારીથી પરીક્ષણ કરશો તો તેનાથી વાચક માટે મૂલ્યાંકન કરવાનું વધારે સરળ બનશે. તમે તમારા પીએચ.ડી. મહાનિબંધ ૧૮માં સૈકાના સુરતની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં જે તટસ્થતા અને વસ્તુનિતા જાળવી છે તેવું ધોરણ મારે માટે પણ અપનાવશો એવો મારો આગ્રહ છે.” તેમના આ સૂચનને મેં લક્ષમાં લીધું છે. ભૂતકાળ સાથે સંકળાયેલ કોઈપણ સુજ્ઞ વિદ્વાનના વૈચારિક અભિગમો અને સંશોધન પદ્ધતિને સમજવા માટે તેના બાળપણ અને જીવનઘડતરનાં વર્ષોના અનુભવો મદદરૂપ થઈ પડે છે. શ્રી મકરંદ મહેતા મકરંદભાઈનો જન્મ અમદાવાદમાં ૧૯૩૧માં થયો હતો, પણ તેમના પિતા વડોદરામાં સ્થાયી થયા હોવાથી તેમણે હાઈસ્કૂલ અને યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે તેમને ગણિત અને વિજ્ઞાનમાં જરા પણ ગમ પડતી નહીં, પણ અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત જેવી ભાષાઓમાં તેમજ ઇતિહાસમાં તેમને ધણો રસ પડતો. તેમનો ઘણો સમય તો લેસન સિવાયનું બીજું બહારનું વાંચવામાં જતો, પણ વધારે મઝા તો સંગીત, કેરમ અને પતંગો ચગાવવામાં પડતી. તેમણે મને કહ્યું હતું, “હું હાઈસ્કૂલ સુધી તદ્દન સામાન્ય વિદ્યાર્થી હતો; મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં પહેલા પ્રયત્ન ૧૯૪૮માં પાસ થયો તે જ મારા માટે ઘણું હતું.” પરંતુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા બાદ શ્રી મહેતાએ અભ્યાસમાં મન પરોવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તાજી જ સ્થપાઈ હતી. તેમણે બી.એ. અને એમ.એ.ની પદવીઓ માટે મુખ્ય વિષય તરીકે ઇતિહાસ અને વૈકલ્પિક વિષય તરીકે રાજયશાસ્ત્ર પસંદ કર્યા હતા. રાજયશાસ્ત્રમાં તેમણે રાજકીય સિદ્ધાંત અને પશ્ચિમના રાજકીય તત્ત્વચિંતનનો ઇતિહાસ” વિષયો પસંદ કર્યા હોવાથી તેમને ભારત અને યુરોપના ઇતિહાસના ગ્રંથો વાંચવામાં ફાવટ આવતી ગઈ અને રસ પણ વધવા લાગ્યો. ત્યાર બાદ અમેરિકાની પેન્સિલવાનિયા યુનિવર્સિટીમાં આર્થિક અને વ્યાપાર વાણિજ્યના ઇતિહાસના વિશેષ અભ્યાસ સાથે તેમણે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી માટે તેમણે “પ્રયોજક (entrepreneur) તરીકે રણછોડલાલ છોટાલાલ” વિષય પસંદ કર્યો હતો. મકરંદભાઈએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં અધ્યાપનની સાથે સંશોધનોમાં પણ રસ લીધો છે. પરંતુ જ્ઞાતિપ્રથા, દૂધપીતીનો ચાલ, સતીપ્રથા અને શૈક્ષણિક પદ્ધતિ જેવા વિષયો પર અંગ્રેજી ભાષામાં લખેલા તેમના શરૂ શરૂના લેખો મોટે ભાગે વર્ણનાત્મક હતા. ‘રેશનલ મૂલ્યોનો મોહ ઘણો, પણ “ડેટા સાથે તેનું સંકલન કરતાં તેમને ફાવતું ન હતું. જો કે તેમણે મને જોવા અને અભ્યાસ કરવા માટે આપેલા લેખો પરથી એક વાત તો ચોક્કસ રીતે ફલિત થાય છે કે તે સમયે પણ ગ્રંથાલયો અને મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવઝ જેવા અભિલેખાગારોમાંથી તેઓ * વ્યાખ્યાતા, ઇતિહાસ વિભાગ, સમાજ વિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯ પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૪૨ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy