SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્યુઝિયમના વાર્ષિક અહેવાલોમાંથી મળી રહે છે. પિતાની જેમ તેમણે પણ સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોનો પ્રવાસ કરીને તેની ઝીણવટપૂર્વક વિગતો આલેખી છે. વળી ક્યુરેટર તરીકે વૉટ્સન મ્યુઝિયમના તત્કાલીન નિયમ અનુસાર વર્ષમાં ત્રણ મહિના વિવિધ સ્થળોનો અભ્યાસકીય સંશોધનાત્મક રીતે પ્રવાસ કરવાનું ફરજિયાત હતું. તેમણે અનેક સ્થળોએથી શિલાલેખો કે તામ્રપત્રોની છાપ એકઠી કરી હતી. પિતા અને પુત્રની ક્યુરેટરોની આ જોડીએ લીધેલી છાપોના આધારે તેમના પછીના ક્યુરેટર ડી.બી.દિસકલકરે (૧૯૧૯ થી ૧૯૨૯ સુધી વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર) ‘ઇન્ક્રિપ્શન્સ ઑફ કાઠિયાવાડ” નામનો સંગ્રહ તૈયાર કર્યો હતો. ગિરજાશંકર આચાર્યે અનેક શિલાલેખોની છાપ અને તામ્રપત્રોની છાપ લીધી હતી તથા અનેક પ્રાચીન સિક્કાઓ વગેરેનો મ્યુઝિયમના સંગ્રહમાં ઉમેરો કર્યો હતો. તેમણે શિયાળબેટમાં પુરાતત્ત્વીય ક્ષેત્રાન્વેષણ પણ કર્યું હતું. પરંતુ તેના અન્વેષણના અહેવાલમાં મહદ્અંશે સ્થાનિક લોકકથાનું વર્ણન આપેલું જોવા મળે છે. આમ તેમણે વિવિધ સ્થળોનો પ્રવાસ કરીને શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ પુરાવશેષો વગેરે મેળવીને મ્યુઝિયમને સમૃદ્ધ બનાવ્યું હતું. મ્યુઝિયમના કેટલાક તામ્રપત્ર-લેખો અને શિલાલેખો અંગેના અભ્યાસસંપૂર્ણ લેખો તેમણે સંશોધન સામયિકોમાં પણ પ્રસિદ્ધ કર્યા હતા. તેમાં પણ ખાસ કરીને ૧૯૧૭-૧૮ના વર્ષમાં તેમણે ચાર લેખો તૈયાર કર્યા હતા. તે આ પ્રમાણે હતા : (૧) ક્ષત્રપ રાજવીઓ (૨) ઈ.સ. ૧૧૩૭ નો ગાળાનો અભિલેખ (૩) ૫૨૫ ઈ.સ. ના વલભીનાં ત્રણ તામ્રપત્રોનો અભ્યાસ (૪) મેહા જેઠવાના દુહાઓનું વિવેચન.° તેમના ક્યુરેટર તરીકેના કાર્યકાળ દરમ્યાન જ ૧૯૧૪-૧૫માં પશ્ચિમ વર્તુળ મુંબઈના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડેન્ટ ડી. આર. ભાંડારકર અને પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈના ક્યુરેટર શ્રી દીક્ષિત વૉટ્સન મ્યુઝિયમની મુલાકાતે આવ્યા હતા, અને તેમની કામગીરીથી પ્રભાવિત થયા હતા. પછીથી તો શ્રી ડી.આર.ભાંડારકર સાથે તેમનો પરિચય મિત્રતામાં પરિણમ્યો હતો અને ઇતિહાસના વિવિધ વિષયો અંગે તેઓ પત્રવ્યવહાર દ્વારા ચર્ચા કરતા હતા. એ અરસામાં જ કર્નલ જે. ડબલ્યુ વૉટ્સનના પુત્ર લેફ. સી.આર.વૉટ્સને પોતાના પિતાની સ્મૃતિમાં બંધાયેલા આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યોગાનુયોગ એવો હતો કે વૉટ્સનની સ્મૃતિમાં સ્થપાયેલા આ મ્યુઝિયમના પ્રથમ ક્યુરેટર વલ્લભજી હરિદત આચાર્ય હતા, જેમના ઉપર વૉટ્સનની ઘણી પ્રીતિ હતી. વૉટ્સનના પુત્રે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે વલ્લભજી આચાર્યના પુત્ર ગિરજાશંકર ક્યુરેટર હતા. સી.આર. વૉટ્સને મ્યુઝિયમ અને તેની જાળવણી જોઈને ખુશી વ્યક્ત કરી હતી. ત્યાર પછી ૧૯૧૭-૧૮માં પશ્ચિમ વર્તુળ મુંબઈના પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાના સુપરિન્ટેન્ડેન્ટ રાખાલદાસ બેનર્જી અને મદદનીશ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વી.એસ.સુકથનકરે વૉટ્સન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમના સિક્કાઓનો સંગ્રહ જોઈને તેઓ ખુશ થયા હતા.૧૯ વૉટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે ગિરજાશંકર આચાર્યે અનેક સ્થળોની મુલાકાત લઈ જે તે સ્થળોનો સ્થાનિક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એ રીતે જાણે કે ગ્રામ-સર્વસંગ્રહ યોજનાનો તેમણે પરોક્ષ પાયો નાખ્યો હતો, એમ કહી શકાય. વળી એ રીતે પ્રાદેશિક ઇતિહાસના મહત્ત્વને તેમણે ઉજાગર કર્યું હતું. ૧૯૧૦૧૧માં તેમણે અરડોઈ, માચરડા, દાણીધાર, દાદર, કૈયા, જામજોધપુર, ધ્રાફા, શેઠ વડાળા, વનાણા, નાનીગોપ ભાણવડ, ઢેબર, પાસ્તર, મોડપર, ઘુમલી, બિલેશ્વર, રાણાવાવ, છાયાં, કાંટેલા, પોરબંદર વગેરે ગામોની પથિક - ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૮ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy