SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચાસ છોકરાઓમાં ભગવાનલાલ એક હતા. ભગવાનલાલ લખે છે કે “ચાર મહિના પછી કર્નલ લોંગ પરીક્ષા લેવા આવ્યા ત્યાર અનંતજી, નવાબ સાહેબ, તથા બીજા ઘણા લોકો બેઠા હતા ત્યારે ગુજરાતીમાં પંતિયાળામાં પરીક્ષા લીધી તેમાં મારા બધા જવાબ ખરા આવ્યા. ત્યારે સાહેબે બહુ ખુશી થઈ પાઘડી તથા બીજાં ઇનામો આપ્યાં.’૪ ભગવાનલાલ તેજસ્વી વિદ્યાર્થી પુરવાર થતાં પિતાનું રાજ્યનું દેવું જે વીશ હજાર કોરી હતું, તે કદરરૂપે “લોંગ” (લંગ) સાહેબે માફ કર્યાનું તેમણે નોંધ્યું છે. જો કે રાજ્યની ઘરજપ્તી થોડા સમય પછી, નાગર મહેતા રેવાશંકર અમરજી બુચની સહાનુભૂતિ અને ભલામણથી નવાબે ઉઠાવી લીધી હતી. કાકા મૂળશંકરના અવસાન પછી ભગવાનલાલને તેમની દુકાને બેસવું પડ્યું, કારણ કે દુકાનમાં કાકાએ તેમનો બે આની ભાગ રાખ્યો હતો. “ હું જયારે દુકાને બેઠો ત્યારે લુગડાંના ગાંસડા બાંધી ગામમાં ફેરી કરતો, અને આવરો," ખતાવી નથા મેળ રાખતો. “થોડા સમય પછી જૂનાગઢ આવેલા ‘લોંગ’” (લંગ) સાહેબ, તેમને નવાબના ખર્ચે મુંબઈ અભ્યાસ માટે મોકલવા ભલામણ કરતાં. નવાબ સાહેબે રૂપિયા દશની સ્કોલરશિપ આપી. મને તથા દયાશંકર જીવાલાલને મુંબઈ મોક્લ્યા. વેરાવળથી વહાણમાં બેસી મુંબઈ ગયા. પ્રથમ બંન્નેને કૉલેજમાં મોકલ્યા, પણ ત્યાં ચાલી ન શક્યાથી ત્રીજા ક્લાસમાં ઉતાર્યા. ત્રણ વર્ષ પછી પાછા કૉલેજમાં આવ્યા. પણ કૉલેજની પહેલી પરીક્ષા આપવા જતાં નિષ્ફળ થયા.'' આ સમયે જૂનાગઢમાં પંચનો વહીવટ જતો રહેતાં નવા તંત્ર હેઠળ સ્કોલરશીપ બંધ થતાં, ભગવાનલાલ અને દયાશંકર જૂનાગઢ પાછા આવ્યા અને રાજ્યની નોકરીમાં રહ્યાં, પરંતુ છ મહિના પછી વળી પાછો રાજ્યતંત્રમાં ફેરફાર થતાં “અમે બંને પણ ઘેર બેઠા. પછી હું પાછો દુકાને બેઠો. આ વખતે વડાદરાના રેસિડેન્ટ ૉફ્ટેનંટ અલેકઝાન્ડર વાકર સાહેબના રિપોર્ટનું હાથે લખેલું ભાષાંતર વેચ્યું તથા મને રૂા.સાતસો મળ્યા, અને પછી જૂનાગઢ સ્ટેટનો નક્શો કાઢ્યો તેમાં પણ સારી રકમ પેદા કરી, અને નવાબના દીવાન ગોકળજીએ સો રૂપિયા ઇનામના આપ્યા, અને બંન્નેને પાછા નોકરીમાં દાખલ કર્યા. પણ પગારનું નામ બાર મહિને ત્રણસો કોરી ઠરાવી, તેથી અમે નારાજ થયા.’૮ નવાબના ટ્યૂટર સોમનારાયણ જે મુંબઈ હતા, તેમના ખોલાવવાથી ભગવાનલાલ તથા દયાશંકર મુંબઈ જવા માટે રાજકોટના રસ્તે નીકળ્યા. રાજકોટમાં એ વખતે પ્રાણલાલ મથુરાદાસ શિક્ષણ ખાતામાં ઇન્સપેકટર હતા. તેમણે આ બંનેને જો તેઓ બે મહિના ત્યાં રોકાઈ જાય તેા નોકરી અપાવવાની ખાતરી આપી. પરંતુ ભગવાનલાલ ન રોકાયા અને પ્રાણલાલની ભલામણ પણ લઈ મુંબઈ જવા નીકળ્યા. એ સમયે અમદાવાદથી રેલવે ટ્રેન ન હતી. તેથી તેઓ મહેમદાવાદથી સુરત ટ્રેનમાં ગયા અને સુરતથી આગબોટમાં મુંબઈ પહોંચ્યા. ત્યાં ઝવેરીલાલ ઉમિયાશંકરની રૂનો વેપાર કરતી કંપનીમાં રૂપિયા પચીસના પગારથી નોકરીએ રહ્યા. એ સમયે અમેરિકામાં આંતરવિગ્રહ (૧૮૬૧-૬૫) શરૂ થતાં, કંપનીને સારો નફો થયો. ભગવાનલાલનો પગાર રૂપિયા પાંત્રીસ કરવામાં આવ્યો. પરંતુ ઝવેરીલાલ સાથે સુખડી॰ બાબતમાં તકરાર પડતાં ભગવાનલાલે રાજીનામું આપ્યું. ગ્રેહામ નામની બીજી કંપનીમાં તેમને ફા૧૦૦- ના પગારથી બોલાવવામાં આવ્યા, પણ સોમનારાયણે રૂા-૫૦/- નો પગાર કરાવી આપી ન જવા દીધા. પરંતુ એવામાં બીજી એક કંપનીએ રૂા.૧૦૦- ના પગારથી ભગવાનલાલને આવી જવા કહેવડાવતાં, સોમનારાયણે તેમનો પગાર રૂા.૧૦૦/- કરી આપ્યો અને જતાં અટકાવ્યા. આ બાબતમાં ભગવાનલાલની કાર્યકુશળતા, અંગ્રેજી પત્રવ્યવહાર કરવાની કુનેહ તથા હિસાબી કામની આવડતની કદર થતી અત્રે જોવા મળે છે. અમેરિકામાં આંતરવિગ્રહ બંધ પડતાં રૂનાં બજાર નરમ પડી ગયાં, સોમનારાયણની પેઢીમાં ખોટ ગઈ. એ સંજોગોમાં સોમનારાયણે ભગવાનલાલનો રૂા.૧૦૦/- નો પગાર ભારે પડતાં, રૂા.૫૦/- આપવાની તૈયારી બતાવી. પણ ભગવાનલાલે પગાર ન લેતાં મફત કામ કરવાની તૈયારી બતાવી અને તે સાથે દલાલી કરવાની પરવાનગી આપવા કહ્યું. એમ કરવાથી તેઓને મહિને રૂા.૧૨૫- જેવી આવક થવા લાગી. આ અરસામાં ભગવાનલાલને ઐતિહાસિક પુરાવા એકત્ર કરવા માટેની કામગીરી કરવા સંદેશો આવ્યો. પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ + ૯૫ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy