SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસ થયા અગાઉ ૧૯૦૯ માં ‘ગુજરાતી શબ્દકોષ' વિષયક લેખ બુદ્ધિપ્રકાશમાં લખીને સાહિત્યસેવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૧૦ માં ‘ગુજરાતી’ માસિકમાં ‘એક નવીન ઐતિહાસિક શિલાલેખ' નું સંપાદન અને તેનું ઐતિહાસિક વિવેચન કરેલું. આટલી નાની વયે પણ ઇતિહાસ અને પ્રાચીન સાહિત્ય જેવા વિષયોમાં એમની પરિપક્વ અને સમતોલ દષ્ટિ વ્યક્ત થાય છે. ત્યાર પછી ગુજરાતનાં શિષ્ટ માસિક-ત્રૈમાસિક અને સાપ્તાહિકોમાં મૌલિક સંશોધનાત્મક લેખો લખીને તેમજ પુસ્તકો તૈયાર કરીને તેમણે લેખનકાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું હતું. સંસ્કૃત સાહિત્ય અને જૂની ગુજરાતીનો અભ્યાસ તેમણે આપસૂઝથી કરેલો. તેઓ પાટણના સાર્વજનિક ગ્રંથાલયના મંત્રીપદે હતા એ દરમ્યાન ત્યાંનો ગ્રંથસંગ્રહ કોઈ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાને માન અપાવે એવો કિંમતી બનાવ્યો હતો. તેઓ પાટણના વતની હોઈ પાટણની પ્રાચીન સાહિત્યિક પ્રવૃત્તિ વિશે એમનું જ્ઞાન અને માહિતી પણ બહોળી હતી. તે સાથે પાટણના પ્રાચીન ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયમાં તેમનો અભ્યાસ પ્રશંસનીય હતો. એમના ચાવડાઓ અને સોલંકી રાજવંશો વિશેના લેખો ઉપરાંત ગુજરાતના ઇતિહાસ માટે મહત્ત્વના ઉત્કીર્ણ લેખો અંગે કેટલુંક ઉત્તમ સંશોધન કર્યું હતું. તેમણે કરેલું સંપાદન-કાર્ય પણ વિદ્વાનોમાં પ્રશંસા પામેલું. વાયડાઓના જ્ઞાતિપુરાણ સંસ્કૃત “વાયુપુરાણ”નું તેમનું સંપાદન ગુજરાતના સામાજિક ઇતિહાસમાં મોટું પ્રદાન ગણાય છે. તેમના મોટા ભાગના લેખો પૈકી ઘણાખરામાં સંશોધનષ્ટિએ કંઇક નવું જ સંશોધન, દૃષ્ટિબિંદુ, નવી વિગત કે નવી રજૂઆત છે. એમના ‘હેમચંદ્ર : ઇતિહાસકાર’, ‘ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ’, ‘પ્રસિદ્ધ ઇતિહાસકાર જદુનાથ સરકારનું ચરિત્ર વીસમી સદી’ ૧૯૧૮માં લખ્યું હતું. તેનું મરાઠી ભાષાંતર થયું હતું. પ્રાચીન પાટણ વિશેના લેખો વગેરે તેમની ઐતિહાસિક વિવેચન પદ્ધતિના ઉત્તમ નમૂનાઓ છે. ૧૯૪૫ થી ૧૯૫૦ સુધીમાં ઇતિહાસના વિષયમાં સારું સંશોધન કરવા માટે તેમને ‘નર્મદ સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી રામલાલ મોદીના મહત્ત્વના ગણી શકાય એવા લેખોનો ‘લેખ-સંગ્રહ ભાગ-૧' ૧૯૫૩માં અને ભાગ-૨, ૧૯૬૫માં પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યા. લગભગ ચાલીસ વર્ષ સુધી ગુજરાતી પુરાતત્ત્વની સતત સેવા બજાવનાર મિતભાષી વિદ્વાનનું અવસાન સં. ૨૦૦૫ના ચૈત્ર સુદ ૧૨ના રોજ રાજકોટ મુકામે થયું હતું. સ્વ. રામલાલ મોદીએ કરેલું સંશોધન બહુમૂલ્ય છે. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ-પુરાતત્ત્વમાં તેમણે આપેલો ફાળો વિશિષ્ટ છે. એમના જીવનકાર્યથી બીજાને પ્રેરણા મળે તેમ છે. પુરાતત્ત્વવેત્તા શ્રી વિજ્યશંકર ગૌરીશંકર ઉ. ઓઝા : ભાવનગરના મુખ્ય દીવાન રા.રા. ગૌરીશંકર ઉદયશંકર ઓઝાના પુત્ર શ્રી વિજ્યશંકર ગૌ. ઓઝા સંશોધન રસિક તેમજ પુરાતત્ત્વવેત્તા હતા. તેઓ પ્રાચીન લેખ-સંગ્રહોના બે ભાગ પ્રગટ કરીને તેમજ ભાવનગર વગેરેમાં અન્ય ઐતિહાસિક અને પુરાતત્ત્વ વિષયક સંશોધનના કાર્યથી ગુજરાતમાં જ નહીં, પણ મુંબઈ ઇલાકામાં સુપ્રસિદ્ધ થયા હતા. દેશી રાજ્યોને પુરાતત્ત્વની વસ્તુઓ અને સામગ્રીઓનો સંગ્રહ કરવાનો માર્ગ સૂચવનારા તેઓ પહેલા જ દર્શક હતા. તેઓ પણ ભાવનગરના મુખ્ય દીવાન હતા. સંદર્ભ ગ્રંથો ૧. શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩, અંક ૧, એપ્રિલ-જૂન, ૧૯૩૮ ૧. પુ.૪, અંક ૩, ૧૯૩૯, પૃ. ૩૯૭ ૩. પ્રજાબંધુ, ઑગસ્ટ, ૧૯૪૬ ૪, બુદ્ધિપ્રકાશ, પુ. ૯૬, અંક ૪, એપ્રિલ, ૧૯૪૯ ”, ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ ૯, પૃ. ૨૭૯ પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૩ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy