________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વસ્તિક
– ડૉ. ચંદ્રકાન્ત પાઠક
ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું પ્રતિક અનાદિકાળથી પ્રચલિત છે. પ્રાચીન ઇમારતોમાં સ્વસ્તિક કોતરેલા મળી આવ્યા છે. સૂર્યની ગતિથી ચુંબકીય-ઉર્જા શક્તિનું નિર્માણ થાય છે, તેનું સ્વસ્તિક પ્રતિક છે. સ્વસ્તિકના દર્શન માનસિક શાંતિ, સુવિચારો પ્રેરે છે. સ્વસ્તિક દોરનારનું, સ્વસ્તિક જોનારનું અને જે જગ્યા-જ્યાં સ્વસ્તિક દોરવામાં આવ્યું હોય તે ચીજ-સ્થળનું કલ્યાણ થાય છે.
જેમ માં વિશાળ ઉર્જા દર્શાવાય છે, તેવી જ રીતે સ્વસ્તિક-સાથિયો-દક્ષિણાવર્તી બાજુઓ - ધરતીના પ્રાણ અને જીવનદાતા સૂર્યનું પ્રતિક બને છે.
ડાબી બાજુના સ્વસ્તિક શુભ ફળ આપતું નથી. હિટલરે ઉલટો સાથીયો અપનાવેલ. જેથી તેનો અંતે ભયંકર સહાર થયો, હાર થઈ. જૈન સાધુ મૃત્યુ પામે ત્યારે તેને ઓઢાડવામાં આવતા વસ્ત્ર પર અવળો-અશુભ સાથિયો દોરવામાં આવે છે.
બ્રહ્માંડ ગોળાકાર છે, તેનો સંકેત દર્શાવે છે. સ્વસ્તિક ઉર્જાનું અપ્રતિમ સ્ત્રોત કહી શકાય. સ્વસ્તિકનું મધ્યબિંદુ ભગવાન વિષ્ણુનું નાભિકમળ ગણાય છે, વિશ્વનું ઉત્પત્તિસ્થાન ગણાય છે. સ્વસ્તિક અગ્નિનું, અગ્નિના સમિધનું પ્રતિક મનાય છે. સ્વસ્તિકની ચાર રેખાઓ ઈન્દ્ર, બ્રહ્મા, સૂર્ય અને વિષ્ણુ સાથે સંકળાયેલી છે. સ્વસ્તિકની અંદર કરવામાં આવતા ચાર ટપકાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડના પ્રતિક કહેવાય છે.
જૈન ધર્મમાં અષ્ટમંગળ દ્રવ્યોથી સ્વસ્તિક બનાવવું ઉત્તમ છે. જૈન ધર્મમાં સાથિયાની લીટીઓ અલગ દિશામાં ફરી લંબાવવામાં આવી છે અને તેમાં જરા વર્તુળાકાર અપાયો છે. આવા સાથિયા નંદ્યાવર્ત કહેવાય છે.
બૌદ્ધધર્મી પણ સ્વસ્તિકને માંગલિક ચિહ્ન માને છે સ્વસ્તિકનું ગૂઢ રહસ્ય, બ્રહ્માંડ-પૃથ્વી-ઉર્જા શક્તિનું પ્રતિક છે. એકલીટીની વચ્ચે બીજી રેખા વચ્ચેથી દર્શાવવામાં આવે છે. સૃષ્ટિચક ગતિશીલ છે. પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર તરફ ફરી આખું વર્તુળ પૂરું કરે છે. ઘરના ઉંબરા ઉપર, ઘરના દ્વાર ઉપર, વેપારીઓના ચોપડા ઉપર, વિવાહ પ્રસંગે કંકોત્રીઓ-આમંત્રણ પત્રિકા ઉપર, કબાટ, તિજોરી, ઘરના મંદિરમાં સ્વસ્તિકને સ્થાન આપવામાં આવે છે. સ્વસ્તિક ચારે દિશાથી રક્ષણ આપે છે.
આકાશમાં ધ્રુવ તારાની આસપાસ સપ્તર્ષિના સાત તારાઓ પ્રદક્ષિણા કરતા રહે છે. વશિષ્ઠના તારા સાથે એક તેની પત્ની અરુંધતીનો તારો પણ હોય છે.
સપ્તર્ષિનો ગૌતમ ઋષિ તથા ભારદ્વાજનો તારો ધ્રુવતારાની સીધી લીટીમાં છે. બાકીના પાંચતારા ભુજાના રૂપે હોય છે. સપ્તર્ષિઓના નામ પુલક, ક્રતુ, પુલસ્ય, અત્રિ, અંગિરા, વસિષ્ઠ અને મરીચિ છે. પરંતુ વૈવસ્વત મન્વન્તરમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, કશ્યપ, જમદગ્ની, વસિષ્ઠ અને અત્રિ ગણાય છે.
* ૭૮, વૃંદાવન, એલ.બી.એસ.માર્ગ, ઘાટકોપર (વે.) મુંબઈ-૪૦૦૦૮૬
પથિક - મે, ૧૯૯૮ - ૧
For Private and Personal Use Only