SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખિતાબ તરીકે “જામનો પ્રથમ ઉપયોગ આ સમયે થયેલો દેખાય છે. ત્યારબાદ સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક શાસકોના સંદર્ભમાં ઉપયોગ શરૂ થયો. “જામ” ખિતાબનું મૂળ - સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જાડેજા શાસકોએ “જામ“ ખિતાબ કઈ રીતે અપનાવ્યો તે વિશે વિદ્વાનોમાં જુદા જુદા મત પ્રવર્તે છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે : (૧) જમશેદ પરથી - એક મત એવો છે કે ઇરાનના મહાન સમ્રાટ જમશેદ પરથી “નામ શબ્દ પ્રયોજાયો છે. અબૂલ ફઝલ પોતાના ગ્રંથ આઈના-એ-અકબરીમાં નોંધે છે કે “મુહમદ બીન કાસીમના મરણ પછી સિંધનું સાર્વભૌમત્વ બનતમામ અનસારી પાસે આવ્યું. ત્યારબાદ સિંધના શાસકો સમા અને સુમરા થયા. આ સમાઓ પોતે જ જમશેદમાંથી ઊતરી આવ્યા તેવું માનતા હતા. પરિણામે પોતાને જામ' તરીકે ઓળખાવતા.” અબૂલઝલના આ મતને પૃષ્ટિ આપતાં ડૉ. આર.સી.મજૂમદાર પણ નોંધે છે કે “સમાવંશના તમામ રોજાઓ “જામ' ખિતાબ ધરાવે છે, કારણ કે તેઓ પોતાને જમશેદના વંશજો માને છે. એ જ રીતે કઠવાસ નામની સિંધની એક અન્ય જાતિના પણ પોતાને જમશેદમાંથી ઉતરી આવેલા માને છે. કર્નલ ટોડ માને છે કે સમાઓ મુસ્લિમ થયા પછી શરમાતા તેથી પોતાનો વંશ તેમણે પારસી રાજા જમશેદ સાથે જોડ્યો. હિન્દુ મુસ્લિમ આકર્ષણમાંથી તેમણે ત્રીજો માર્ગ કાઢ્યો. (૨) શ્યામ પરથી - શ્રી શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે કે “યાદવો પોતાના નામ આગળ શ્યામ અને પાછળ યાદવ લખતા . દા.ત. શ્યામ દેવવ્રત યાદવ, શ્યામ કુમકુમ યાદવ. એવું અકબર વિશે પણ છે. તે અકબર” પાછળ લખતો. દા.ત. મહમૂદ જલાલુદ્દીન અકબર. તુર્કીમાં “શ્યામ”, “સામ તરીકે લખાય. અને ઉચ્ચાર ‘ઝામ થાય તેથી કોઈ કાલે તેમાંથી “જામ થયું. * (૩) પ્રતાપી પૂર્વજ પરથી :- જહોન વિલ્સનના મત મુજબ જામનો ખિતાબ જાડેજાઓમાં તેમના સિંધમાંના કોઈ વડા પરથી આવ્યો હોય તેમ લાગે છે. જ્યારે બીજી જગ્યાએ તે જણાવે છે કે કચ્છના શાસકોને “જામ ખિતાબ પાછળની અસર તરીકે મળ્યો લાગે છે. સમાઓએ ઈ.સ.૧૫૧માં સિંધ જીત્યું ત્યાં સુધી તેઓ આ ખિતાબ ધરાવતા હતા. “ (૪) વેણીનાથનો મત - “જામવિજય' નામના ગ્રંથમાં તેના કર્તા વેણીનાથ જામની વ્યુત્પત્તિ આપતાં નોંધે છે કે, “તે પિવડશાસ્તજિમ્નસમવેર . તેના નામ રૂવધ નામ સાર્વયમ્ " અર્થાત જેના તેજમાં શત્રુઓ જમાઈ જાય અંજાઈ જાય તે જામ. (૫) દરબારી દૃષ્ટિકોણ :- એક અધિકૃત પગવ્યવહારમાં ભૂજના રેસિડેન્ટને “જામ' નામ શાના પરથી આવ્યું એ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ પ્રશ્નાવલીના પ્રત્યુત્તરમાં જણાવ્યા પ્રમાણે, “નરપતે જ્યારે ગઝના શહેર લીધું અને પોતાની ટોળી જમાવી ત્યારે એના પોતાના પક્ષવાળાઓએ તેમજ તે પ્રદેશના લોકોએ એમને જામ એવા માનકારી નામથી બોલાવ્યા, કારણ કે મોટા સરદારો અને મોટા માણસો માટે એ શબ્દ તે દેશમાં વપરાતો હતો.” ૯ : (૬) શ્રી ત્રિવેદીનો મત :- શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદી “જામ' ખિતાબ માટે ઉપર્યુક્ત મતોથી તદ્દન અલગ મંતવ્ય વ્યક્ત કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે “દેવમાતંગના વંશમાં માર્ગ નામે પ્રખ્યાત પુષ. ગિરનાર જતાં રાયધણના દરબારમાં આવ્યો. રાયધણે પોતાના પૂર્વજોના માનેલા જાણી માન આપ્યું અને તે ચાલ્યો ત્યારે પોતાના ચાર કુંવરો સહિત પોતાની હદ સુધી વળાવવા નીકળ્યો. રસ્તામાં ચાલતાં જાલ પાસે આવ્યા ત્યારે રાયધણે દેવનું ચિત્ત પ્રસન્ન જોઈ પોતાના કુંવરો વાસ્તે આશીર્વચન માગ્યું. દેવે કહ્યું : તેઓ ચારે જણ “જામ કહેવાશે.”૧૦ (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૪ For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy