SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જામ' શબ્દાર્થ અને ઉપયોગ :- જામ' શબ્દનો ઉપયોગ પણ પ્રાચીન સમયમાં જુદા જુદા અર્થમાં કરવામાં આવતો હતો. ખિતાબ સિવાય તેના નીચે પ્રમાણે કેટલાક અર્થ મળતા હતા : . (૧) માપ-અંતર - પ્રાચીન કાળમાં દરિયાઈ માપ જામ' કે “ઝામ તરીકે ઓળખાતું હતું. આધુનિક માપ-અંતરના એકમમાં તેનો ખ્યાલ મેળવવાનો બેરન હેમરે નિષ્ફળ પ્રયત કર્યો છે, કારણ કે સીદી અલીએ તેનો અર્થ નરકૂટથી કર્યો છે, જયારે પ્રિન્સેસ નોધે છે તેમ નાવિકો અને દરિયાખેડુઓ તેનો અર્થ બાર નોટિકલ માઈલ કરતા હતા. “કાલીકટથી લક્ષદ્વિપની છવીસમી દરિયાઈ સફર” નામના ગ્રંથમાં નવ ડિગ્રી ખાડીના સ્થળનિર્દેશ વિશે જણાવાયું છે કે તે કાલીકટથી બે “જામ' નૈ→ત્યમાં અને આઠથી નવ જામ નૈઋત્ય-પશ્ચિમમાં છે. આ પ્રકારનાં માપ “દીવથી મલ્લાકાની સત્તાવીસમી દરિયાઈ સફર” નામના પુસ્તકમાં પણ આપવામાં આવેલ છે. તદુપરાંત ડેલ્લાવલ્લે પણ પોતાના દરિયાઈ પ્રવાસનાં સંસ્મરણોમાં નોંધે છે કે “ઇરાની અખાતમાં આરબ અને ઈરાની ખેલાડીઓ “જામ “ નામના દરિયાઈ માપ ને સાથેનો તુલનાત્મક કોષ્ઠકો પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત જેમ્સ પ્રિન્સેપ નામનો એક અર્થ ઇંચનો આઠમો ભાગ આપે છે. આપણે આ માપને આપણા “જવવા” અને “તલવા’ સાથે સરખાવી શકીએ. . (૨) પ્રહર :- બંગાળની રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપક્રમે વાંચેલ એક શોધપત્રમાં જેમ્સ પ્રિન્સેપ નોધે છે તેમ પહેલાં દિવસ અને રાત્રિના આઠ ભાગ પાડવામાં આવતા અને દરેક ભાગને “જામ કે “ઝમ કહ્યામાં આવતો હતો. આપણા પ્રહર જેવો “જામ‘નો અર્થ ગણાય, સ-યામ”. (૩) વૃત - “જામ નો એક બીજો અર્થ ભૌગોલિક ડિગ્રીનો પાંચમો ભાગ કરવામાં આવતો હતો. હેરિયૂલ અને એ.સી, બર્નેલ કેટલાક પ્રદેશોમાં પાર્થિવ વૃતમાપ (TERRESTRIAL) માટે જામ કે “ઝામ'નો ઉપયોગ થતો તેમ નોંધે છે. નિષ્કર્ષ - આમ ‘જામ' શબ્દનો અર્થ, ઉપયોગ અને મૂળ સંબંધે જુદા જુદા મત પ્રવર્તે છે. જમશેદ સાથે “જામનો સંબંધ પ્રસ્થાપિત કરનાર વિદ્વાનોનો મત ધારણાઓ પર આધારિત છે, જેને યથાર્થ આધારની આવશ્યકતા છે, જ્યારે વેણીનાથ દ્વારા વ્યુત્પન્ન અર્થ કવિની નરી કલ્પના માત્ર છે અને તેને ઈમિત્રસ સાથે કોઈ સંબંધ હોય તેમ લાગતું નથી. શ્રી. આત્મારામ કેશવજી દ્વિવેદીના મતમાં “રાજાપદનો દૈવી અંશનો સિદ્ધાંત”નો આશ્રય લેવામાં આવ્યો છે તેમાં વિશેષ કોઈ પ્રતિપાદિત થતું નથી. બીજી બાજુ શ્રી શંભુપ્રસાદ દેસાઈનો મત “શ્યામનું જામ થવું” તે સ્વીકારીએ તો આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે “જામ' ખિતાબ સ્વદેશી તો નથી જ. પૂલના મત પ્રમાણે “જામ' શબ્દ બલૂચ મૂળનો છે. આઝાદી પહેલાં દક્ષિણ સિંધમાં અનેક જામવંશીય શાસકો તથા જમીનદારો હતા, જેમાં લાસબેલા અને કલાત તેમનાં મોટાં રાજ્યો હતાં. અલીશેરપાનીકૃત તુફ-તુલ-કિરામમાં પણ અનેક જામવંશીય શાસકોનાં નામ મળે છે. " પૂલના ઉપર્યુક્ત મત સાથે લૉન્ગ વર્થ ડેસ્સ સહમત નથી. તે નોંધે છે કે “જામ' શબ્દનો ઉપયોગ બલૂચી ભાષામાં થતો હોવા છતાં પણ મને તે બલૂચી મૂળનો લાગતો નથી, સંભવતઃ તે સિધી શબ્દ છે. વળી પ્રાપ્ત માહિતીને આધારે હું જાણું છું કે આ શબ્દનો ખિતાબ તરીકે બલૂચો ઉપયોગ કરતા નથી, એને બદલે જત અને રાજપૂતોની દેશી કે સ્થાનિક જાતિઓ તેનો ઉપયોગ કરે છે. લાસબેલાનો જામ આ જાતિનો છે તેમને “જામહત” તરીકે ઓળખવામાં આવે છે, “જામ' તરીકે નહિ, જયારે ડેરાગાઝીખાન જિલ્લામાં આ જાતિના અમીરો “જામનો ખિતાબ ધારણ કરે છે, જેમાંના કોઈ બલૂચ નથી. આ જિલ્લાની “જામ' ખિતાબનો મુખ્યત્વે ઉપયોગ કરતી જાતિ “ઉધાન' છે, જ્યારે ડેરાગાઝીખાન જિલ્લાના મોચીઓના મતે તો “જામ માનવાચક તખલ્લુસ છે.” ૧૫ ( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૩૫) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy