SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર પથિક ૯. શ્રી પરે પેલાના વિધાને અને માન્યતા અંગે એટલું જ કહેવું બસ થશે કે ભારતમાં આ અને દ્રાવિડના વ્ર ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય વચ્ચે ક્યારેય વિજ્ઞાનિક એજ્ય ન જાય એ બાબતનું વિદેશી વિદ્વાને જ્ઞાત-અજ્ઞાતપણે ખાસ ધ્યાન રાખે છે. ૧૦. સિધુ લિપિના લખાણની અભારતીય શૈલીના ભારતીય પુરસ્કર્તા છે શ્રી ધરાવતમ્ મહાદેવ ૮૨૯ પાનાના દળદાર ગ્રંથમાં એમણે સિધુલિપિના અભિલેખેનો પાઠ, પદારક્રમકોષ અને વિવિધ માહિતી સભર કોઠા આપ્યા છે. એમનો હેતુ પણ સિંધુ વણેને નિમૂલ્ય આપીને વાચના કરવાનો. સિધુલિપ ઉકેલવાને નથી. એને બદલે લિપિ અંગે મૂળભૂત માહિતી આપીને વધુ સંશોધન માટે એક સાધનગ્રંથ આપવાનો હેતુ છે. એમણે પણ તમામ કાર્ય કેપ્યુટરની મદદથી કર્યું છે. સિધુ મુદ્રાના કુલ ૩૪૫૫ નમૂના તપાસી એમાંથી ૨૯૦૬ લેખ નમૂના આધારે ગ્રંથ તૈયાર કર્યો છે. પ્રથમના બે વિદ્વાને જેવી કોઈ ચર્ચા એમના ગ્રંથમાં નથી. એથી એમની માન્યતાઓનાં વિવિધ પાસાંનો સાર આપી શકાય એમ નથી. એને બદલે એમના ગ્રંથ વિશે અને એ તૈયાર કરવાની એમની કાર્યશૈલી અંગે થવું જોઈએ, જેમાં અનાયાસે એમની ટલીક માન્યતાઓને ઉલેખ પણ આવી જશે : (૧) સિધુલિપિના લખાણની દિશા જમણાથી ડાબી બાજુએ હેવાનું માન્યું છે. જે લેખ એક જ માધ્યમની બે બાજુએ થોડે થોડે આ હેય એને ક્યાંથી શરૂ કરે? બરાબર એના જેવો જ લેખ અન્ય કોઈ માધ્યમની એક જ બાજુએ હેય તે એના ઉપરથી. તેમ છતાં કેટલાંક લખાણ ડાબીથી જમણી બાજુ અને કેટલાંક ઉપરથી નીચે, ઊર્ધ્વરેખામાં લખાયાં હોવાનું સ્વીકાર્યું છે. સોસાથ કેટલાંક લખાણ ડાબી કે જમણી બંને બાજુથી એક સરખાં જ વંચાતાં હોય (જેમકે, નવ જીવન) એમ પણ સ્વીકાર્યું છે; (૨) મુદ્રા, મુદ્રાંકન કે કોઈપણ પ્રકારના અભિલેખનાં પુનરાવર્તન પણ લેવામાં આવ્યાં છે. પરિણામે ગ્રંથ દળદાર બને છે); (૩) પદાક્ષરક્રમકોષમાં અમુક સંજ્ઞા (વણે કે સંકેત ) એના મૂળરૂપ એટલે માત્રાચિહ્નો આદિ નિશાની બાદ કરીને લીધી છે. પરિણામે સાચા ઉચ્ચાર અને વાચના થઈ શકે નહિ. કારણ કે દરેક સંસાનું નિમૂલ્ય જ સમજાય નહિ); (૪) સંસની યાદીમાં ૪૧૭ સંજ્ઞા નથી છે (પણ એમાંથી કેટલાક દાખલામાં એક જ સંજ્ઞાના વિવિધ રૂપે પણ જોવા મળે છે); (૫) કુલ ૨૯૭૪ પંક્તિઓ જમણાથી ડાબી બાજુ, ૨૩૫ પંક્તિ ડાબીથી જમણી બાજુ, નવ દાખલામાં બીજી પંક્તિ, ઉપરની કરતાં વિરુદ્ધ દિશામાં, ૧૯૦ લેખ એકાક્ષરી, સાત લેખ ઉપરથી નીચે– રેખાકાર શૈલીમાં, ૧ર લેખ ડાબી જમણી બંને બાજુથી એક સરખા અને ૧૫૫ પંક્તિઓ શંકાસ્પદ જણાઈ છે. (૬) લખાણની ઉપર્યુક્ત દિશા વાચનાના આધારે નહિ પણ બાવા પુરાવાના આધારે નક્કી કરી છે. બાહ પુરાવા કયા? (6) લખતી વખતે પ્રથમ લખેલા અક્ષરના કોઈ ભાગ ઉપર પછીના અક્ષરને કોઈ ભાગ આવી જાય તે એ બેમાંથી પહેલાં ક અક્ષર લખાયું હતું એ જાણી શકાય. પહેલાં જે લખાય હોય એના ઉપરથી લખાણની દિશા પણ નક્કી થઈ શકે. શ્રી લાલે આ સિદ્ધાંત મુજબ સૂચન કરવું કે લખાણની પદ્ધનિ જમણાથી ડાબી બાજુની છે. શ્રી મહાદેવનની દલીલ છે કે કામ For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy