SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર ઉપરાછાપરી લખાયેલા મનાતા અક્ષરે જોડાક્ષર હેય તો? તો શ્રો લાલની માન્યતા ખોટી પડે ! શ્રી મહાદેવનની માન્યતા એવી છે કે અમુક લેખે જમણીથી ડાબી બાજુએ લખાયેલા ન હોય એથી કાંઈ સિધુલિપિ લખવાની દિશા બદલી જતી નથી, લખાણ ગમે તે દિશા તરફ જતું લખાયું હોય છતાં લખાણની પદ્ધતિ તે વનિક્રમ નક્કી કરતા અક્ષરોના ક્રમ વડે જ નકકી થઈ શકે, (દા.ત. એક વર્ગ E કે 1 છે. હવે જે વ્યક્તિ જમણીથી ડાબી બાજુએ લખે તે 1 આવી રીતે અને એથી ઊલટી દિશામાં લખે એ E આવી રીતે એ વણે લખેમતલબ કે લખાણની દિશા બદવાની સાથે વણને મુખડે બદલાઈ જાય છે. ગુજરાતીના “ટ” અને “હું” ને આ નિયમ લાગુ ન પડે. એથી આ માન્યતાના આધારે પણ નિયમ તરીકે લખાણની દિશા નક્કી ન જ થઈ શકે); (ખ) અમુક વર્ષો કે વણ–સમૂહ લખાણને ડાબે કે જમણે છે. અંતે જ આવે છે. એથી એવા લખાણની દિશા એનાથી ઊલટી છે એમ માની શકાય; ગ) એક જ માધ્યમ ઉપર એક જ વાક્ય ઉપર-નીચે બે પંક્તિમાં લખ્યું હોય તે આપણે માની શકીએ કે ઉપલી પંક્તિ પહેલાં અને નીચલી પછી લખાઈ હશે, કારણ કે જગતભરની, આડી રેખામાં લખાતી ભાષાઓની પંક્તિઓ નીચેથી ઉપર લખાતી નથી; (ધ) આમ ઉપર નીચે બે પંક્તિઓ લખેલી હોય અને લખાણની પદ્ધતિ જમણીથી ડાબી બાજુ લખવાની હોય તે બંને પંક્તિઓ એ રીતે લખાયેલી હોવી જોઈએ. એમ છતાં, અપવાદાત્મક રીતે કેટલાક લેખમાં બીજી પંક્તિ ઊલટી દિશામાં લખેલી હોય એમ જણાય છે; (ચ) કોઈ એક જ લેખ એક માધ્યમ ઉપર બે પંક્તિઓમાં અને બીજા માધ્યમ ઉપર એક જ પંક્તિમાં લખેલો હેય (અને બે પંક્તિવાળા વખાણમાં લખાણની દિશા સભ્ય–અપસવ્ય ન હેય તે) બે પંક્તિવાળા લેખના આધારે એક પંક્તિવાળા લેખની દિશા નક્કી થઈ શકે, (છ) એક ચોક્કસ વર્ણ-સંકેત ૨૯૧ વાર આવ્યો છે. એમાંથી ૨૪૫ વાર લખાણને જમણે છે છે. બીજે એક વણ–સંકેત ૧૩૯૫ દાખલામાંથી ૯૩૧ દાખલામાં ડાબે છેડે છે. આથી જે ઉપલી પંક્તિ પ્રથમ અને નીચલી પંક્તિ- પછી લખવામાં આવતી હોય તે ચક્કસ વર્ગોના સ્થાન ઉપરથી લખાણની દિશા નક્કી થઈ શકે; (૭) ચિત્રોને પ્રતીમ અને અક્ષરને સંજ્ઞા કહ્યા છે. શી રીતે જુદાં તારવ્યાં? અક્ષરો કરતાં ચિત્ર , પ્રમાણમાં મેટા અને માધ્યમની વધુ સપાટી રોકતાં હોય છે. પરંતુ જ્યારે ચિત્ર નાનાં હોય છે? તે જયારે જે તે અક્ષરોની વચ્ચે, સુધારેલ સંજ્ઞારૂપે ન આવતું હોય તે એને અક્ષર નથી માનેલ; (૮) વિવિધ સંજ્ઞાઓના અનેક સ્વરૂપમાંથી જે ચોક્કસ સ્વરૂપે વારંવાર વપરાતું હોય તે જે અભિલેખમાં, સારામાં સારું હોય એની નકલ કરીને સંસાની યાદીમાં સામેલ કરેલ છે, (૯) એમ છતાં, જે સંજ્ઞાના જેટલા વિવિધ પ્રકાર મળતા હોય એની જુદી યાદી “પુરવણ' રૂપે આપી છે; અને છતાંયે, વણવંચાયેલ લિપિના તમામ વર્ગોના તમામ પ્રકાર નક્કી થઈ શકે નહિ એવા ત હેઠળ નાના નાના તમામ પ્રકાર–ભેદ ધ્યાનમાં લીધા નથી ! તદુપરાંત, કેટલાક વર્ષોના ડાબાજમણું મુખડા એક જ પંક્તિમાં આવતા હોય તે એને પ્રાર–ભેદ તરીકે લીધા નથી ! અને એમ કસ્વામય શંકા રહી જાય ત્યાં પ્રકારાન્તરને સ્વતંત્ર સંજ્ઞા તરીકે લીધેલ છે ! For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy