SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ પથિક આ અને દ્રવિડોને ઉલેખ પણ આવે છે. સિધુ સભ્યતા દ્રવિડની હતી અને બહારથી આવેલા આર્યોએ એનો નાશ કર્યો હતો એવી વિવાદાસ્પદ માન્યતા સિધુ લિપિ ઉકેલવાના પ્રયત્નો પાછળ પણ પૂર્વગ્રહ રૂપે કામ કરતી જણાઈ છે. આ વિદેશી હેવાની, હરપ્પીય સંસ્કૃતિ દ્રવિડેની હવા ની અને આર્યોએ એ સંસ્કૃતિને નાશ કર્યો હોવાની માન્યતા સર્વસંમત ન હાઈ અને ભારે વિવાદાસ્પદ હેઈ આ લેખમાં - એ આનુવંગિક ચર્ચાને, ઉપયુક્ત લેખકના મતની નોંધ લેતી વખતે જરૂરિયાત પૂરતા ઉલ્લેખ સિવાય વધુ સ્થાન નથી આપ્યું. ૪. શ્રી સુધાંશુકુમાર રાય (ઉચ્ચાર ભેદે “') પૂર્વગામી વિદ્વાનોએ ચિંધેલા માર્ગે સન ૧૯૩૫થી આગળ વધી રહ્યા છે. એમની લખેલી બે પુસ્તિકાઓ ક્રમશઃ ઈ.સ. ૧૯૬૩ અને ૧૯૬૫ માં પ્રસિદ્ધ થઈ છે. એમનાં અભિમતનો સાર નીચે મુજબ છે : (૧) ભાષા પ્રાચીન સંસ્કૃત છે, (૨) કેટલા વર્ણ પૂર્વજ (?) ચિત્રલિપિમાંથી લેવામાં આવ્યા છે; (૩) કેટલાંક લખાણ જમણાથી ડાબી બાજુ, કેટલાંક ડાબીથી જમણી બાજુ, કેટલાંકમાં પ્રથમ પંક્તિમાં ડાબીથી જમણી અને બીજી પંક્તિમાં જમણાથી ડાબી બાજુ અને ક્યારેક બે પંક્તિની જમણી બાજુ વચ્ચે એક જ પંકિત રૂપે, કે આ રીતે લખેલાં છે, (૪) ટલાંક લખાણે “મોગ્રામ' પ્રકારનાં છે, જગ્યા બચાવવા માટે એ યુકિત પ્રાજવામાં આવી છે, એ સંયુક્તાક્ષરો નથી; (૫) સ્વરચિહ્ન વગરના વર્ણ આઇ-વેન્યાક્ષર-યુક્ત-મૂળાક્ષર પ્રકારના છે; (૬) સંજ્ઞા કે સંકેતેની સંખ્યા ૨૮૮ થી વધુ જણાતાં અગાઉ એમ માનવામાં આવતું હતું કે સિબ્ધ લિપિ વન્યાક્ષરી હતી, મૂળાક્ષરી નહિ. પરંતુ, હવે નક્કી થાય છે કે એ ધ્વન્યાક્ષર–યુક્ત-મૂળાક્ષરોની બનેલી હતી; (૭) તેમ છતાં માત્ર મૂળાક્ષરી કે વન્યાક્ષરી-યુક્ત-મૂળાક્ષરી મૂલ્ય ધરાવતી કેટલીક ચિત્રાત્મક સંજ્ઞાઓ છે. એને ઉપયોગ, ચિત્રાત્મક અર્થના સંદર્ભ વિના જ, શબ્દ બનાવવા માટે થયે છે. દા. ત. નાગરવેલના પાનના આકારની સંજ્ઞા હોય તે “ભારતીય ચુના-કાથા સાથે ખાય છે એ નાગરવેલનું પાન” એવો અર્થ થવાને બદલે “ પાન” ઉચ્ચાર થાય છે. આથી આદિમ પ્રકારની ચિત્રલિપિના અર્થધટનની પદ્ધતિ કરતાં જુદી પદ્ધતિ સિધુ લિપિના ઉકેલ માટે યોજવી પડે; (૮) સંયુક્તાક્ષરનું પ્રમાણ પણ ઠીક ઠીક છે. એ બતાવે છે કે લિપિ મૂળાક્ષરી છે. લિપિ મૂળાક્ષરી હેય તે જ સ્વરચિહ્નો હોઈ શકે. સંયુક્તાક્ષરને અંતિમ વર્ણ સસ્વર જ હે જોઈએ; (૯) કોઈ વર્ણ ઉપર તીરછી રેખા કરી હોય તે એનો મતલબ એ કે એને બેવડાવવાનો છે. જેમકે દા લ. પરંતુ “ય” વર્ણ ઉપર તીરછી રેખા હોય તે “ક” વાંચવાને છે (!); (૧૦). ભારતની વર્તમાન તમામ લિપિઓનાં મૂળ બ્રાહ્મીલિપિમાં છે એવી માન્યતા બદલવી પડશે. કારણ કે એનાં અને બ્રાહ્મીનાં મૂળ સિધુલિપિમાં છે. એમાંય વર્તમાન લિપિઓ સીધી ઊતરી આવી છે જ્યારે બ્રાહ્મી એક ફટ હતી; (૧૧) મહેન-જો-દડેમાંથી મળતા અભિલેખેના દરેક વર્ણના લખાણની લઢણમાં વિકાસક્રમ જોઈ શકાય For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy