SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અછા ૫દા વિસ્તાર - - - - - ચેડા વખત ઉપર પ્રવાસી નામના બંગાળના બહુ પ્રસિદ્ધ માસિકના મુખપૃષ્ટ ઉપર એક સુંદર ચિત્ર આવતું. એ ચિત્રવાળું થાન કયાં છે, શું છે તે વિષે એમાં કાંઈ માહીતી ન હતી. સૃષ્ટિ સંદર્યના નમુના ખાતર તે પ્રકટ થતું હશે. પણ તે પછી પ્રસ્તુત લેખના લેખક સાથે વાર્તાલાપ થતાં, એ ચિત્ર અષ્ટાપદાવતાર નામના એક પ્રાચીન જૈન તીર્થ નું છે એવી બાતમી મળી. આવાં સૃષ્ટિસંદર્યના નમુના જેવા કેટલાંય તીર્થો આપણે અશક્તિ અથવા આળસને લીધે ગુમાવ્યાં છે. આપણે ઓયેલાં એ તીર્થને ઇતિહાસ અને ચિત્ર તીર્થ પ્રેમીઓની આગળ ધરીએ છીએ. આપણે પૂર્વ દેશમાં અનેક પ્રાચીન તીર્થો ગુમાવ્યાં છે. વર્તમાન વીશીના તીર્થકદેવેની કલ્યાણકભૂમિનાં પવિત્ર સ્થાને આપણા હાથમાંથી ગયાં છે, જેમકે મિથિલા, ભીલપુર, મંદારગિરિ, ચંપાનગરનું પ્રાચીન માણેકથંભવાળું જૈન મંદિર અને આવાં બીજા ઘણય તીર્થસ્થાને ગુમાવ્યાં છે. આ તે ખાસ મૂળ કલ્યાણકભૂમિઓની વાત થઇ પરતુ જ્યાં તીર્થંકરદેવ વિચર્યા, જ્યાં અનેક આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું અને જેનાચાર્યોએ જ્યાં તીર્થસ્થાપના કરી એવાં અનેક તીર્થો-તીર્થસમ પવિત્ર સ્થાને ગુમાવ્યાં છે કે જેનો હિસાબ ગણવા બેસીએ તો એક મે લેખ જ તૈયાર કરવા પડે; કિન્તુ આજે એક એવા જ અપ્રસિદ્ધ પરનું પ્રાચીન અને આપણા હાથમાંથી ગયેલ તીર્થસમ સ્થાનનો પરિચય આપ ધાર્યો છે. આ સ્થાનનું નામ છે અષ્ટાપદાવતાર, પ્રથમ તીર્થનાથ શ્રી અષભદેવજીના પ્રથમ પત્ર ભરતચીએ અટાપદ પર્વત ઉપર અગલે પ્રતિમાઓ-દરેક તીર્થકરના For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy