SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવર્ણ મહોત્સવ અંક : કરવું જોઈએ ને ? એટલે તુષાર તૃણુ, કુસુમ ઉપર મતીના સાથીઓ પૂરી રહ્યો છે. આરા વાદળા જેવો તુષાર ચા-તરફ છવાયો છે. તુષારને વીધી, હવે કવિ સિદ્ધાચળના દર્શન કરે છે. એ વખતે શત્રુ. જય કેવો દેખાય છે? તે મળે આ હિમાદ્રિવિરહવિપદના શેકથી સ્તબ્ધ જે, ઉંચી દષ્ટિ કરીને જનકપણે ભણી ધ્યાનથી જોઈ રહેત; દે ને માનવાના મધુ મિલન તણું સ્થાન સંકેત જેવા, દૈવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ લેશ ઉભો. - એ તુષારની વચ્ચે શ્રી સિદ્ધાચળ, ઉત્તરમાં આઘે આઘે દ્રષ્ટિ નાખતો ઉભે છે. શા સારૂ ઉત્તર તરફ એક ધ્યાને જોઈ રહ્યો છે? એક એવી માન્યતા છે કે પહેલાં પર્વતાને પાંખો હતી. પક્ષીની જેમ પર્વત ઉડ્યા કરતા. પછી કોઈના શ્રાપથી પાંખ કપાઈ ગઈ. પર્વત સ્થિરવત્ બની બેસી ગયા. હિંદુસ્તાનના પર્વત એ પરંપરા પ્રમાણે હિમાલયમાંથી જ જુદા પડી વિચરતા હતા. હિમાલય પિતા અને બીજા બધા પર્વતો એના સંતાને. પાંખ કપાઈ જવાથી પર્વતો પુનઃ પિતાના પિતાને મળી શક્યા નહીં. અંતરમાં મળવાની ઝંખના રહી ગઈ. એટલે આજે અશક્તિના કારણે દૂર દૂર રહેલા પિતાને મળવાના માર્ગ ઉપર માત્ર નજર નાખી રહ્યા છે. પણ સિદ્ધાચળમાં એક બીજી વિશેષતા છે. એ દેવ અને માનનું મધુર મિલન-સ્થાન છે. દેવે અને મનુષ્ય અહીં મળી શકે છે. વૈમાનિકોના આરામભવન જે આ સિદ્ધાચળ પર્વત છે. કવિની કલ્પના હવે વધુ વેગ પામે છે. એ કહે છે: “આ શત્રુંજયને કોઈ ડુંગર ન માનશે : આ તે ઇંદ્રને વેત ઐરાવત હાથી છે. વેત આરસના મદિરે ઉપરથી જ કવિને આ કલ્પના કૃી હશે. કવિ પિતે જૈન નથી. એમને પિતાનું સ્વતંત્ર પિરાણિક દષ્ટિકોણ છે. એ દષ્ટિકોણની સહાયથી કવિ હવે ઈતિહાસ ઉકેલે છે – દેખીને શસ્ત્ર સ્વાદુ સલિલ બહુલતા વૃક્ષની વાડીઓને, ઉતાર્યો સ્વર્ગમાંથી નિજ ગપતિને વાસવે એમ વાટે; તે તે સંતૃપ્તિ એવી અચલ બની રહ્યો નંદનાનંદ છોડી, હારીને ઈક પાછા અમરપુર વિષે હ ગ આશ મૂકી. ઈન્દ્ર એક દિવસે પોતાના ઐરાવતને, સ્વર્ગમાંથી આકાશમાર્ગે નીચે ઉતા એવી મતલબથી કે અહીં પુષ્કળ ઘાસ છે, પાણી છે, વૃક્ષે અને વાડીઓ પણ છે એટલે ઐરાવત ધરાઈને-પાણી પીને સંતૃપ્ત બનીને પાછો સ્વર્ગમાં આવશે. પરંતુ ઐરાવતને આ સ્થાન એટલું બધું ગમી ગયું For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy