SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ - જે | "શ. વિવેચન-નિશ્ચય દ્રષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત જણાય છે. સત્તાગત આત્માનું સ્વરૂપ સિદ્ધ પરમાત્માના જેવું નિમંળજ છે. પરંતુ વ્યવહાર નથી તેની વર્તમાન સ્થિતિ વિચારતાં આત્મા લિપ્ત એટલે રાગદ્વેષાદિક કમ મળથી લેપાયેલો દેખાય છે. નિશ્ચય નયથી જોતાં આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ જણાય છે. અને વ્યવહાર નથી જતાં સ્ફટિક રન ઉપર પુષ્પાદિ મૂક્વાથી જેવી વિકૃતિ જણાય તેવી વિકૃતિ–વિકાર વાળે જાય છે. મતલબ કે અનાદિ કર્મ સંગથી પુણ્ય પાપના સંચયવડે રાગ શ્રેષ પરિણામ ગે આમાનું શુદ્ધ સ્ફટિક રત્ન સમાન સત્તાગત નિર્મળ સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી આ જીવને પિતાને શુદ્ધ સ્વરૂપનું સમ્યગ જ્ઞાન વગર એક એક ભાન થઈ શકતું નથી. પરંતુ સતત્ અભ્યાસ વડે અથવા કોઈ જ્ઞાન સિદ્ધ મહાત્માના અનુગ્રહ વડે આત્મામાં સત્ય જ્ઞાન દીપક પ્રગટતાં પિતાને પોતાના શુદ્ધ રરૂપનું સ્વતઃ ભાન થાય છે એટલે તત્કાળ તેને તત્ત્વ શ્રદ્ધા યા તવ પ્રતીતિ પ્રગટે છે. તેથી જ્ઞાની પુરૂષ સ્વપરની યથાર્થ વહેંચણ કરી પિતાને કર્મમળથી મુક્ત કરવા પ્રયત્ન સેવે છે. તેમાં જે અધિક જ્ઞાનરૂચિ હોય છે તે તીક્ષણ તત્વદૃષ્ટિ વડે શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામતે કીટ ભમરીના ન્યાયે કર્મ ઉપાધિથી મુકત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ જાય છે ત્યારે જે અધિક કિયારૂચિ હોય છે. 'તે પણ સમ્યગ જ્ઞાનની સહાયથી પોતાની અનાદિ મલિન વાસનાઓ નષ્ટ થાય તેવું પવિત્ર લક્ષ રાખી સ્વશક્તિ અને અધિકાર અનુસારે ઉચિત કરણી નિષ્કામપણે કરતે છતા કર્મઉપાધિથી મુકત થઈ અનુકમે શુદ્ધ બુદ્ધ થઈ શકે છે. સમ્યગૂ જ્ઞાન રૂચિ. અને ક્રિયાચિ ઉભયને સાધ્ય એજ હોય છે કે પિતાનું આત્મસ્વરૂપ શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ સાક્ષાત અનુભવવું. તેનાં સાધન તરીકે જ્ઞાનરૂચિ જ્ઞાનનો અધિક આક્ષેપ રાખે છે ત્યારે કિયાચિ ક્રિયાનો અધિક આક્ષેપ (અભ્યાસ ) રાખે છે. સમભાવથી રવાનુકૂળ સાધન વડે ઉભય આત્મશુદ્ધિ કરી શકે છે. સમભાવથી એટલે જ્ઞાનીને કિયાનો તિરસ્કાર હોતો નથી અને કિયાવંતને જ્ઞાન પ્રત્યે તિરસ્કાર છે નથી. પરંતુ પ્રત્યેકને સદગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમ ભાવ બન્યો રહે છે. તેથી તે ઉભયનું સ્વાનુકુળ સાધનયોગે અવશ્ય કલ્યાણ થાય છે. એટલે કે જ્ઞાની અલિપ્ત દ્રષ્ટિથી એટલે નિગવૃત્તિથી સ્વરૂપ રમણતા પામી શુદ્ધ થાય છે અને કિયાવંત પણ લિસ દ્રષ્ટિથી એટલે આત્માની સાથે લાગેલાં અનાદિ કર્મ આવરણને ખસેડવા માટે સ્વશકિત-અધિકાર પ્રમાણે અમુક અમુક કરણી કરવાની ખાસ જરૂર છે એમ સહેતુક વિચારી-નિર્ધારી તે પ્રમાણે ઉચિત કરણી કામીનારહિત કરી અનાદિ કર્મઉપહિંથી મુકત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ શકે છે. એમાં કશો વિરોધ જણાતું નથી. ઉપરના શ્લેકમાં જ્ઞાન અને ક્રિયાનું સેવન કરતાં અધિકાર પરત્વે તે દરેકની સાધન તરી For Private And Personal Use Only
SR No.533315
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy