SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ જેન માં કાશ. છાબડું બોલતો હોવાથી સર્વના મનનું રંજન કરતો હતો. માત્ર વીરમતિ જ તેમાં આપવાદ રૂપ હતી. દ્રાવતી રાણી રેનમાં બહુ કુશળ હતી, તેથી તેણીએ રાજાને અનેક અતિથી શિકાર વિગેરેમાં મહા પાપ સમજાવી તે કામ છેડાવી દીધાં. રાજા તેના પ્રસંગથી જનધર્મની વાસનાવાળો થયો એટલે પછી તેણે અનેક જિનમંદિરો બંધ યા તેમજ શ્રાવક બંધુઓને સંતળ્યા અને મુનિરાજની ભક્તિ કરવા માંડી. “સત્સગથી શું શું લાભ થતું નથી ?” | ચંદ્ર કુમાર અનુક્રમે આઠ વર્ષ થવાથી તેને અભ્યાસ કરવા માટે પ્રવિણ વિદ્યાગુરૂ પાસે મુકો.ત્યાં તે થોડા વખતમાં જ સર્વ કળાઓમાં પારગામી બ્રહતિ જે થયો. “ઉત્તમ જીને વિવાગુરૂ માત્ર શાણિરૂપ જ થાય છે.' અન્યદા વસંત ઋતુ આવી. વનરાજી સર્વ ફળી ફલી. કામી જનને કામોદ્દીપન્ના સાધનમાં વૃદ્ધિ થઈ. આંબાને મહેર ખાઈને કેયેલ પણ ટહુકા કરવા લાગી. વનદાતાઓ વાયુવડે ડોલતી ડેલતી કામીજનોને આમંત્રણ કરતી હેય એમ જJવા લાગ્યું. તે અવસરે આભનૃપતિ પિતાની બંને રાણીઓ તથા સર્વ પરિવાર સહિત કુરાનમાં કિડાનિમિતે આવ્યા. ત્યાં સ્વેચ્છા પ્રમાણે સર્વ અનેક પ્રકારની કિડા કરવા લાગ્યા. રાજા પણ ગુલાલ ઉડાડ, કેશરના છાંટણ છાંટવા, વૃક્ષ સાથે હિંરાકા બધાવી હિંચકવું ઈત્યાદિ કિડા કરવા લાગે. ચંદ્રકુમાર પિતાની સરખી વયના રાજપુત્ર સાથે પિતાને અનુકૂળ એવી અનેક પ્રકારની રમત પુષ્પાદિ દડા વડે રમવા લાગ્યો. પુલના દડાઓ ઉછાળવા લાગે. આ બધું જોઈને વીરમતિ તેના હદયમાં દાઝવા લાગી. તેના અંગમાં સર્વત્ર શોક વ્યાપી ગયે. તેથી તે નેત્રાને મિષે ધીમે ધીમે બહાર આવવા લાગે. તે વખતે વીરમતિની સખીઓ તેને આમણ મણી જોઈને પૂછવા લાગી કે આવે હવે વખતે તમે પ્રસન્ન ચિત્તવાળા કેમ જણાતા નથી ? કામદેવ સરખા તમારા પતિ કિડા કરી રહ્યા છે અને ચંદ્રકુમાર પણ તમારી પાસે જ રમે છે, છતાં તમે કે આમ શેકનિમગ્ન દેખાઓ છે? તમને શું કોઈએ દુહવ્યા છે?” વીરમતિએ તેને ઉત્તર કાંઈ પણ ન આપ્યું. તે તે ચંદ્રકુમારને રમતે જોઈને તેમજ બીજી અનેક સ્ત્રીઓને જુદી જુદી રીતે પિતા પોતાના બાળકોને રમાડતી –ખેલાવતી જોઈને મનમાં દેવને એfભા દેવા લાગી અને નિસાસા મુકતા લાગી. તે મનમાં વિચારવા લાગી કે “મેં પૂર્વ શા પાપ કર્યા હશે કે હું પુત્ર વિનાની રહી ? જેમ મન વિનાનો પ્રેમ કામને નથી તેમ હું પુત્ર વિનાની કોઈ પણ કામની નથી. વળી જીવ વિનાને દેહ, દીપક વિનાનું ઘર, સુગંધ વિનાનું પુપ, જળ વિનાનાં For Private And Personal Use Only
SR No.533315
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy