SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના હેવાલ. ૧૦૫ રકાર નહીં કરતાં પેાલીસ અમલદારે ઘેાડાની પીઠપર ને પીઠપર આમતેમ દોડતા ૨હ્યા હતા. કેન્ફરન્સના પ્રતિનિધિઓ અને પ્રક્ષકા તરફ્ સભ્ય વર્તણુક ચલાવીને તથા તમામ પ્રકારના ખદોબસ્ત જાળવીને કેન્ફરન્સનુ કાર્ય ફતેહમંદ કરવા માટે જે સમયસૂચકતા વાપરી હતી તેને માટે તેએ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવીજ રીતે વેલન્ટીયરે એ પણ અછી સેવા બજાવી હતી. આ કેન્ફરન્સમાં જુદેદે સ્થળેથી આવેલા લગભગ ૧૩૦૦ ડેલીંગટા, ૨૫૦૦ વીઝીટરે અને ૮૦૦ ખાનુએ હાજરી આપી હતી. પ્રથમ દિવસ, જે શુદ્ઘિ ૩ શનિવાર. તા. ૨૨ મી મે ૧૯૦૯ બેઠકને ટાઇમ થતાં શેડ મનસુખભાઇ, રોડ લાલભાઈ તથા મી. ગુલાબચંદજી હઠ્ઠા આવી પહેાંચતાં તેમને ખુશાલીના પોકાર સાથે વધાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમુખની પધરામણી થતાં આખા મડપમાં માણસાએ ઉભા થઈ હુરરેના અવાજેથી તેમને વધાવી લીધા હતા. શરૂઆતમાં બાળકે તથા બાળાઓએ મગળાચરણનાં ગાયના ગાયાં હતાં. બાદ મી. મક્તજી જુડાભાઇએ બહુારગામના કેટલાક ગૃહસ્થા તરફથી કોન્ફરન્સ તરફ દીલસાજી ધરાવનારા તથા તેની ફતેહ ઇછવાના આવેલા તારે વાંચી બતાવ્યા હતા, ત્યારબાદ ચીફ સેક્રેટરી શેડ છગનલાલ ગણપતદાસે આમંત્રણપત્રિકા વાંચી સભળાવી હતી, અને રીસેપ્શન કમીટીના ચેરમેન રોડ શીવદાનજી પ્રેમાજી ગોટીવાળાનું ભાષણ મી. અમરચંદ્ર પી. પરમારે વાંચી સ`ભળાવ્યુ` હતું, તે ખાસ જીદ છપાયેલ છે. બાદ પુનાવાળા શેડ માતીચંદ ભગવાનદાસે ગ્વાલીયરવાળા શેડ નથમલજી લેચ્છાને પ્રમુખપદ આપવાની દરખાસ્ત કરી હતી, તેને એવલાવાળા શેઠ દામે દર માપુશાએ ઠેકે આપતાં તથા તેઙારાવાળા આનરરી માજીસ્ટ્રેટ શેડ હરખચંદ ગુલાબસદ તથા પુનાવાળા શેડ ગગલભાઇ હાથીભાઇએ અનુમેદન આપતાં તાળીએના અવાજ વચ્ચે શેડ નથમલજી ઝુલેચ્છાએ પ્રમુખપદ સ્વીકાર્યુ હતુ.. પ્રમુખ સાહેબનું ભાષણ તેમના પુત્ર માગમલજીએ વક્તાના મચક ઉપર આવી બુલંદ અવાજે વાંચ્યુ હતુ, તે પણ જીદ છપાયેલ છે, ખાદ સબજેકટ કુમીટીની નીમણુક કરવા માટે ભાવનગરવાળા શેડ કુલરજી આણંદજીએ દરખાસ્ત મૂકી હતી, તેને પુનાવાળા શેડ હીરાચંદ ધનજીએ ટેકા આપ્યા હતા, તથા શેડ વીદ કુપ્પાજીએ અનુમેદન આપ્યું હતું. તે દરખાસ્તમાં જણા યા મુજખ લગભગ ૩૦૦ ગૃહસ્થાને સબજેકટ કમીટીમાં ભાગ લેવાને આમંત્રણ કરવામાં આવ્યુ. હતુ.. સબજેકટ કમીટી મળવાનો વખત રાતના આઠ વાગ્યાને નક્કી કર્યા માદ મુંબઈની શ્રી મ`ગળગાયન સમાજનું ઉઠતી વખતનું ગાયન સાંભળી પહેલા દિવસની બેઠક વિસર્જન કરવામાં આવી હતી. For Private And Personal Use Only
SR No.533290
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy