________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. તાવનાર છે તેથી જેમ ગ્રંથમાં વિષય સંબંધ બતાવ્યો હોય છે તેમ મા સિકપત્રમાં પણ વિજય સંબંધ હોવા જોઈએ. ગત વર્ષમાં આ માસિકનું કદ વધારવામાં આવ્યું છે અને તેથી જૂદા જૂદા (૫૬) વિષયો આપવામાં આ વ્યા છે. મુનિવર્ય શ્રી કપુરવિજયજી મહારાજ તરફથી આવેલા છ સાત વિપપો ખરેખરા મનન કરવા લાયક અને બેધદાયક છે; ધનપાળ અને લલિતાંગ કુમારની કથાઓ વાંચવાથી તે મહાભા જોને ભાગ અનુરારાને હૃદયમાં ભાવના ઉત્પન્ન થાય તેવું છે, અને બીજા ઉપદેશક ગદ્ય પધાત્મક વિધ આપી માસિકપત્રની જે ફરજ છે તે બજવવા બનતો પ્રયત્ન કરવામાં આવ્યું છે. આપણી મહાપરિષદુ (વૈજન કોન્ફરન્સ) ની સેવા બજાવવા પણ વખતે વખત સારી રીતે પ્રયાસ કરવામાં આવ્યું છે. નવા વર્ષમાં પણ વારંવાર પિતાના લેખ મોકલી માસિકપત્ર અને તેના નેતાઓને ઉપકત કરનારા મહાત્મા મુનિરાજે તથા બીજા વિદ્વાન જન બંધુઓના હાથથી પરમાર્થિક અને તાત્વિક ભાવના ઉપદેશક, બોધક અને નીતિ તથા ધર્મને પરમ રહસ્યને હૃદયમાં પ્રકટાવનાર લેખ--ચરિત્ર આપી અમારા ગ્રાહક વર્ગની સંપૂર્ણ રીતે સેવા બજાવવા પ્રયાસ કરવામાં આવશે. જે મહાત્માશ્રીએ તથા અમારા જેન બંધુઓએ ગતવર્ષમાં પોતાના લેખો મેકલ્યા છે તેને અને ઉપકાર માનીએ છીએ અને સાથે વિનંતિ કરવામાં આવે છે કે નવા વર્ષમાં પણ તેઓએ પિતાના લેખો મોક્લી માસિપત્રની શોભામાં વૃદ્ધિ કરવી.
કોઈ પણ કાર્ય કરવામાં, તથા કોઈ પણ પુસ્તક લખવામાં કોઈ પણ પ્રજન-હેતુ હોય છે, કારણ કે હેતુ વિનાનો પ્રયાસ તે નિરર્થક અને કાયકલેશ કરનાર છે; તે સાથે હેતુ પણ જેમ ઉચ્ચ હોય તેમ કાર્યની પણ ઉચ્ચતા ગણાય છે. આ માસિકપત્ર પ્રસિદ્ધ કરવામાં, જેન બંધુઓ સંપૂર્ણ રીતે ધાર્મિક શ્રદ્ધાવાળા થાય, મહાત્મા જનોએ પ્રરૂપેલા માર્ગે અનુસરવાની વૃત્તિવાળા થાય, ધાર્મિક ક્રિયાઓ નિરંતર કરવાની પ્રવૃત્તિવાળા થઈ શુદ્ધતર કરવાની ઈચ્છાવાળા થાય, ઊંચા પ્રકારની નીતિ તો સમજી શુદ્ધ વ્યવહારવાના થાય, જિનેશ્વર ભગવાનની પરમ આસ્થાથી પૂજા–સ્તવના કરનારા થાય અને નૈતિક, ધાર્મિક, આર્થિક અને પારમાર્થિક સ્થિતિમાં ઉજન દશાને પ્રાપ્ત થાય-એ હેતુ રહેલો છે; તે સાથે આપણા ભારતવર્ષના જનીના સર્વ પ્રકારના શ્રેયને માટે પ્રવૃત્ત થયેલી–અસ્તિત્વમાં આવેલી આપણી મહાન પરિષદના ગુણ કીર્તન કરી સર્વ જન બંધુઓને તેના પ્રપે તાગવાળા ક
For Private And Personal Use Only