________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ક
*
k
સ'પાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ૧૯૩૩ થી ’૪૨ સુધીમાં પ્રગટ થએલ ‘ બૃહત્કલ્પસૂત્ર ’ના નિયુક્તિ અને ટીકા સાથેના છ ભાગ, · વસુદેવ હિંડી'ના બે ભાગ, તથા ‘ અંગવિજ્જા,’ આખ્યાનકમણિકોશ,’‘ કલ્પસૂત્ર ’, દિત્ર’ વગેરે પર આધારિત છે. આ ઉપરાંત એમણે પાટણ, ખંભાત, લીબડી, જેસલમેર, બિકાનેર, જોધપુર, ભાવનગર, પાલીતાણા, વડાદરા, અમદાવાદ આદિના જ્ઞાનભડારાની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિ એમની અથાક શ્રમશીલના તે અદ્ભુત ધીરજની દ્યોતક છે. એમાંય જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ તા દાદ માગી લે તેવી છે.
આશરે ઈ. ૧૯૫૦ના સમય. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડગ નિર્ધારથી એમણે અમદાવાદથી રેલ્વેના પાટે પાટે પધ્યાત્રા આરંભી. હજુ પહેા ફાટતાં પહેલાંનું અંધારુ હતું. ચાલતાં ચાલતાં તેઓશ્રી પદર-સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દૈવ કૃપાએ આબાદ રીતે ઊગરી ગયા અનેે ઊભા થઈ વળી પાછા એમણે લગભગ તેર માઈલનો પગપાળા પ્રવાસ કાપ્યા. જેસલમેરની કષ્ટયાત્રાના આ તા આરંભ જ હતા !
અંતે એ ત્યાં પહોંચ્યા ત્યારે પણ અનેક મુશ્કેલીઓના સામના કરવા પડેલા. મરુભામમાં વેરિવખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારા પડવા, મળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવા, જ્ઞાનભંડારના નિયમજડ રક્ષકોને રીઝવવા : આ બધું જ સહીને એમણે જેસલમેરના જ્ઞાનભંડારમાં સશોધનના શ્રીગણેશ માંડયા. ત્યાં દોઢેક વર્ષ રહ્યા એ દરમ્યાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રેટલા ને જાડી દાળ પર જ એમણે દિવસે ગુજારવા માંડયા. કયારેક તે પીવાના પાણીની પણ ભારે તંગી પડે. પરંતુ આ સંકટમય સોગાનાં ઝાપટાં એમના અખંડ પ્રજ્વલિત જ્ઞાનદીપને સહેજ પણ હતપ્રભ કરી શકયાં નહિ. આ કટાના કટકોએ એમની અવિરત કયાત્રાને સહેજ પણ થંભાવી નહિ. બલ્કે આ મુસીબતેએ એમને વધારે મહેનતુ બનાવ્યા, આક્રુતાએ વધુ આશાવાદી બનાવ્યા ને પ્રતિકૂળતાની ધોંસે એમને વિશેષ ધૈર્યવાન બનાવ્યા. આખા ભંડારને એમણે પુનવસ્થિત કર્યો તેમજ શ્રમસાધ્ય વિસ્તૃત સુચિ તૈયાર કરી. દુપ્રાપ્ય હસ્તપ્રતાની જાળવણી કેમ થાય એનું એમણે સુંદર ઉદાહરણ પૂરુ' પાડયું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એના ઉપયાગ કરી શકે, અને તદનુસાર આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના અનેક અભ્યાસીઓએ ઉપયાગ કર્યો પણ છે. એમનુ” જેસલમેરનુ` કા` એમની તીવ્ર નાનાપાસના, દૂર દેશીપણુ... અને અપાર ખત તેમજ ધીરજની ગવાહી પૂરે છે.
પણ આ સૌમાં જૈન આગમાના અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાએ તૈયાર કરવાને એમનો પુરુષાર્થં શરમાર જેવા છે. પિસ્તાળીશ જેટલાં જૈન આગમાનો, એની નિક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાએને, પ્રથમ તા કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સનિષ્ઠ લહિયાની મદદથી એમણે સપાદના તૈયાર કરવા માંડવાં, પરંતુ આ વખતે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ, છતાંય પેાતાનુ' અજાચક વ્રત એમણે છેડયુ* નહિ. ઈ ૧૯૪૭-૪૮માં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યુ અને પ્રસન્ન થઈ લહિયાઓનુ લહેણું ભરપાઈ કરી આપ્યુ. એટલું જ નહિ પણ મુનિજીને પેાતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સ` રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યુ.. આ આગમાની છેલ્લી વાચના આજથી લગભગ પંદર સાવ પૂર્વ વલભીપુરમાં શ્રી દેવગણ ક્ષમાભ્રમણના માર્ગદર્શન નીચે તૈયાર થએલી; ત્યાર પછી છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાએ તૈયાર કરી તે જૈનધર્મમાં અને આ સદીના સપાદનક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથા—ચૂર્ણિ સાથેનું ‘ નદીસૂત્રમ્ ' અને વિવિધ
'
For Private And Personal Use Only