________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
Fપપ જતા. આમ દિવસે નિરાંત નહિ એટલે તેમનું શાસ્ત્રીય વિદ્યાનું કામ જ્યારે સૌ ઊંઘી જાય ત્યારે ચાલતું અને છતાં જીવનમાં સદૈવ અપ્રમત્ત હોઈ તેઓ જે પ્રકારના અને જેટલા વિશિષ્ટ ગ્રંથ સંપાદન કરી શક્યા છે તે આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અને વિજજગતમાં તેથી તેમનું નામ થયું છે. હજી ગયાં જ વર્ષે અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીએ તેમને પોતાના માનદ સભ્ય ચૂંટી કાઢયા હતા. કદાચ આવું માન મેળવનાર એ પ્રથમ ભારતીય હતા.
જેને કયાંય આશ્રય નહિ એવા દેઈ સાધુ કે સાધ્વીના એ આધાર હતા. તેમની જરૂરિયાતનું ધ્યાન રાખતા, આશ્રયની વ્યવસ્થા કરતા અને બીજી જરૂરિયાત પણ પૂરી થાય તેની ચિન્તા સેવતા. જ્યારે તેઓ હવે આપણી વચ્ચે નથી ત્યારે રડી રહેલાં એવાં સાધુ-સાધ્વીની ચિંતા સેવવી એ પૂ. મહારાજશ્રી પ્રત્યેનું ઋણ અદા કરવાને એક પ્રકાર બની રહેવો જોઈએ.
ઘણું ધનિકે પૂ. મહારાજશ્રીને કહેતા કે મહારાજ, કાંઈ જરૂર હોય તે કહેજો. પણ તેઓ તે કેઈએ કહ્યું માટે કાંઈ માગી લેવું એમ માનનારા હતા નહિ. જ્યારે પણ જરૂર ઊભી થાય ત્યારે જ તેઓ કેઈને કાંઈ કહેતા.
વિદ્યામંદિરમાં આવીને તેઓ રહે કે નહિ તેની ચર્ચા પ્રસંગે તેમણે જણાવ્યું કે મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે. તેમની મને દૂફ છે, મારી તેમને છે.
જૈન આચાર-વિચારમાં દઢ તાં જયાં અપવાદ જરૂરી જણાય ત્યાં તે કરતાં સંકોચ અનુભવતા નહિ. પરમાર્થ ચારિત્ર્યના એ આરાધક હતા. બેટા આડંબરમાં કદી રાવ્યા નથી. તેમનાથી ઓછી યોગ્યતાવાળ અનેક આચાર્યો બની ગયા અને અનેક વાર વિનતિ છતાં મુનિ શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી જ રહ્યા; આચાર્ય થવાનું પસંદ કર્યું નહિ. આગમના પરિશીલન દ્વારા એમને જ્ઞાન હતું કે આચાર્ય થવું એટલે કેટલી મોટી જવાબદારી ઉપાડવી. આવી મેટી જવાબદારીથી મુક્ત રહેવામાં જ તેમણે પોતાનું શ્રેય જોયું હતું. આચાર્ય તે નહિ પણ વિદ્વત્તાના પ્રતિકરૂપે અપાતી પન્યાસ પદવી પણ તેમણે સ્વીકારી નહિ તે તેમની કેટલી નમ્રતા હતી તે સૂચવે છે.
છેલે તેમને હરસનું દર્દ હતું તેનું ઓપરેશન થયું. તેમાંથી વળી પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડયું. તેમાં તેમના જીવનને ૭૬ વર્ષની ઉમરે અંત થશે. પરંતુ મહારાજશ્રીને પિતાને તે વિશ્વાસ હતો કે તેઓ ૮૪ વર્ષ તે જીવવાના જ છે અને અધૂરાં કામો પૂરાં કરવાના જ છે. પણ કુદરતે બીજું ધાર્યું હતું. તેમના અધૂરાં કામે અધૂરાં જ રહ્યાં. પણ ખરેખર જ તે અધૂરાં છે ? જે કાંઈ તેમણે જ્યારે કર્યું છે તે પૂર્ણ રૂપમાં જ કરવાને આગ્રહ સેવ્યો છે. એટલે તે જે કાંઈ કરી ગયા છે તે પૂર્ણ જ છે. અધૂરાં તે આપણે તેમની પાસેથી અપેક્ષા રાખી હોય તેથી લાગે. પણ તેઓ તે પૂર્ણતાના જ ઉપાસક હતા, અને પિતાનાં કાર્યો પૂર્ણ કરીને જ ગયા છે.
જીવનમાં સમભાવની સાધના એ જ શ્રમણનું લક્ષણ છે, અને તેની તાદશ મૂર્તિનાં દર્શન અને સ્વ. પૂ. પુણ્યવિજયજીમાં થયાં છે. છેક ઈ. ૧૯૩૫ થી સંગ્રહણીના દરદી છતાં તેમના સ્વભાવમાં જે શાંતિ દેખાતી તે દુર્લભ હતી. છેલ્લા દિવસમાં બને ઓપરેશન વેળા પણ તેમણે દુઃખ સહન કરવાની જે તાકાત દાખવી છે તેનાં દર્શન પણ દુર્લભ છે. બાળક કે મોટા ધનિક તે બન્નેની સમક્ષ મહારાજશ્રીનું એક જ રૂપ તે તેમની નિખાલસ વૃત્તિનાં દર્શન કરાવે છે. મોટા મોટા શેઠો ભક્તો છતાં, અભિમાનને છાંટ મળે નહિ. આવી આત્મપરિણતિ અન્યત્ર દુર્લભ જ છે. મહારાજ પાસે સાહિત્યિક સામગ્રી કે અન્ય સામગ્રી હેય અને કઈ ખપીને ન આપી હોય તેવું બન્યું નથી. આવી નિર્મોહી કે અપરિગ્રહવૃત્તિ જે આત્મામાં હોય તે સાચો
For Private And Personal Use Only