________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦]
* શ્રી આત્માનંદ પ્રકાશ ફોટા જોવા મળ્યા હતા. અમાંનાં કેટલાંક પાનાંનાં ફેટામેં કેટલાંક વર્ષો ઉપર પાડેલા, જેથી એ પાનાં ક્યાંનાં છે તે હું તરત ઓળખી શક્યો. મારી સમજ મુજબ આમાંનાં અમુક પાનાં પાટણના અમુક ભંડારની પ્રતનાં છેએકાદ વર્ષ પર એક જર્મન વિદ્વાન આવેલા. તેઓએ પાટણના અમુક ભંડારની અત્યંત શોચનીય સ્થિતિ જોઈ મને અને શ્રી દલસુખભાઈને એ વિષે ફરિયાદ કરેલી. પણ આ વખતે આગમપ્રભાકરજી મુંબઈ હતા અને એઓનું સ્વાથ્ય ઠીક નહેતું રહેતું તેથી તેઓ ખાસ કાંઈ કરી શક્યા નહિ.
પાટણના આ જૈન ભંડાર કે ભંડારોના કે અન્ય સ્થળોના ભંડારોના વ્યસ્થાપક અને વહીવટકર્તા ગમે તે હોય, એ સમગ્ર જૈન સંઘનું માથું ધન છે, સમગ્ર ભારતીય સંસ્કૃતિને મેઘ ધનવારસે છે. એ ચીજો સુરક્ષિત-વ્યવસ્થિત રહે એ જોવાની જવાબદારી સમગ્ર સંધની, સારા દેશની છે.
હમણાં જ સાંભળ્યું કે સુરતના એક ભંડારની સચિત્ર ક૯પસૂત્રની પ્રતિ આખી જ ગુમ થઈ ગઈ છે!
આ બધું કેમ કરી રોકવું? જૈન સમાજમાં આવાં કાર્યો કરનાર જે વ્યક્તિઓ હોય તેમને સમાજે રોકવા શું પગલાં લીધાં?
આને એક ઈલાજ નીચે પ્રમાણે છે: આગમપ્રભાકરજીએ એ જાતનું કાર્ય પોતાની શકિત અને સમયે મુજબ કરવા માંડેલું. આવા હરેક નાના-મોટા સંગ્રહને વિશ્વાસુ વ્યક્તિઓ વ્યવસ્થિત કરે, તેનાં સૂચીપત્રો તૈયાર કરે, તેની એક નકલ L. D. Institute માં રહે. સર્વ વિદ્વાને એ સૂચીપત્ર જોઈ શકે. બીજી નકલ તે ભંડારમાં રહે. બીજું, પ્રત્યેક ભંડારમાં જે અગત્યની પ્રતિ જણાય તેની માઈક્રોફિલ્મ કરી અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ઈસ્ટીટ્યૂટમાં રાખવામાં આવે. ત્રીજુ, જે ચિત્રિત પ્રતો હોય તેનાં તમામ ચિત્રોની માઈક્રોફિલ્મ થાય, અને અગત્યનાં રંગીન ચિત્રોની નમૂનારૂપ છેડી રંગીન સ્લાઈડ પણ બને. ચિત્રોની વ્યવસ્થિત નેંધ થાય. ગમે ત્યાં ગમે ત્યારે આવું ચિત્ર વેચાય તો ફેટા પરથી તે ક્યા ભંડારનું છે તે પકડી શકાય અને કેવી રીતે વેચાયું તેની તપાસ કરી શકાય.
દેવશાન પાડાના કલ્પસૂત્રનાં ચિત્રો બાબત જે તે વેચનારને જવાબ લઈ, ધાર્યું હોત તે, સરકારી મદદથી, મૂળ વેચનારની ભાળ કહાઢી શકાઈ હોત. પણ એ માટે આગેવાન વ્યક્તિઓ અને સંઘે કાંઈ કર્યું નહિ! આ શોચનીય ગણાય.
અમદાવાદના D. D. Institute માં જે આવાં તમામ સૂચિપત્રો, માઈક્રોફિલ્મની નકલ વગેરેની એક એક નકલ વગેરે સચવાય તે આગમપ્રભાકરજીનું ત્રીજું કાર્ય જે હતું –એટલે કે સંપાદન અને વિદ્વાનને સહાય–તે આપોઆપ ચાલુ રહે
મુનિ શ્રી પુણ્યવિજ્યજીની દૃષ્ટિ ઘણી વિશાળ હતી. એમની સંશોધનની આ બધી પ્રવૃત્તિઓ ચાલુ રહે, વેગ પકડે અને પાર પડે તે જ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય. આ કાર્યને કેન્દ્રિત કરી શકાય તે માટે જે કંઈ યોગ્ય સંસ્થા આપણી પાસે હોય તો તે લાલભાઈ દલપતભાઈ પ્રાગ્ય વિદ્યામંદિર-અમદાવાદ છે એમ મારું નમ્ર માનવું છે. પણ આ બધી યોજનામાં સાધુ-સાધ્વીસંઘ અને શ્રાવકસંઘને સંપૂર્ણ સહકાર આવશ્યક છે.
આશા છે કે આ અંગે જરૂરી યોજના, વ્યવસ્થા કરવા માટે પૂ. પંડિત સુખલાલજી અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવી વ્યક્તિઓ એગ્ય વિચાર કરી તુરત કાંઈ ચર્ચાવિચારણા કરી આગળ પગલાં ભરશે. આમ થશે તો આગમપ્રભાકરજી એકલાને નહિ પણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજશ્રી, પૂ. હંસવિજયજી મહારાજશ્રી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી વગેરે સહુને ઉત્તમ અંજલિ આપી ગણાશે.
“જૈન” સાપ્તાહિક, પર્યુષણ અંક, ભાવનગર, વિ. સં. ૨૦૨૭
For Private And Personal Use Only