________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦]
શ્રી આત્માનંદ પ્રકાશ અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તે પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહીંતર શ્રી મહાવીર વિદ્યાલય અથવા કોઈકના ઘેર રહેવાનું થશે.” - આ અરસામાં શ્રી કોરા સાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહ્ય દર્દ થાય છે કે ક્યારેક તે મહારાજશ્રીની આંખમાં જળજળિયાં આવી જાય છે.
આહાર, પાણી કે ઓધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાને અનુભવ કર્યો તેને ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીએ, મહારાશ્રીના સ્વર્ગવાસ બાદ, તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે–“તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બંને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણ કે તે બને દિવસેએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દીનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં
જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખમાં પાણી આવી જતાં. કઈ પ્રવાહી અગર દૂધ-ચાપણું કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરને લાવ્યા અને બધાએ એકીઅવાજે કહ્યું કે ચિંતાનું કઈ કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.” ,
અને ડૉકટરને આ અભિપ્રાય સાચો હતો. આ વાતને ઉલ્લેખ કરતાં શ્રી કૂલચંદભાઈએ જ પિતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે –“તે મુજબ (દાક્તરેએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પોપૈયું તેમ જ કંછ વગેરે લીલું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા, ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાત કરી. અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાત નક્કી કરી અને સોમવારે સાંજે સાડા છએ
જમવા ગયે.”
આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિક જન મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતા રહ્યાં અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રી કૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કેરા તે મોડી સાંજે મહારાજશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું. પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં !
શ્રી લક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તે તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણું ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ કયા સમાચારને કેટલું મહત્વ આપવું એ માટે આપણે અને કુદરતને ગજ જુદે હોય છે; અને છેવટે કુદરતના ગજને ફેસલે જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે ! .. અને...અને... અને થયું પણ એવું જ–
For Private And Personal Use Only