SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક fપ કરીને, પિતાને આવા કાઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું, મહારાજશ્રીને મન તે આગમ-સંશોધનના કામમાં જ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતે સમાઈ જતી હતી. જન્મશતાબ્દીને ઉત્સવ પૂરે થયે એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છતું હતું. પણ અહીં પણ કંઈક વિલક્ષણ ભવિતવ્યતાગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ; પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબે નહોતો થતો, આ વિહાર હવે કદી થવાને જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે ? સમય એમ ને એમ વહેતો રહ્યો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે ઈચ્છતા હતા કે સંસ્થાની જૈિન આગમ ગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પજવણુસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટે સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નકકી કરવામાં આવ્યું. મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈન સંઘના દેશ-વિદેશમાં જાણીતા અને ખંડ:ગમ ભૂલે તથા તેની ટીકા ધવલા જેવા મહાગ્રંથના યશસ્વી સંપાદક ડે. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહકે અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે. દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજ્યસમુસૂરિજી મહારાજ આદિના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા દીક્ષા તથા પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિનું બિરુદ આપ્યું. - તા. ૨૨-૨-૭૧ ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્વનાં પ્રવચને આપીને સાધુજીવનની શુદ્ધિ, સાવસિંઘને વિકાસ, એમને અધ્યયન તથા વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બેલીની આવકને ઉપયોગ, શાસ્ત્રના વિધિનિષેધની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચન છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.) આ પછી તા. ૧૪-૩-૭૧ના રોજ, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ હીરાલાલ જૈને પન્નવણા સૂત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનપાસનાને હાદિક અંજલિ આપી. હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તે પણ સુરત કે વડોદરા સુધી તે પહોંચી જશે. પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારે મહારાજશ્રીના મનમાં જાગ્યા : એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટયૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરે અને પોતાની દાયકાજૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજે વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રી હરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રી જિનવિજયજીની ઈચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy