________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ કરવામાં કાળપ ફરીને મનને ઉદ્વિગ્ન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શકાય તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તે પૈસાની પણ ક્યાં જરૂર હતી ? તેઓ તે મુકિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહી એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સાબિત શુદ્ધ નકલ તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કપીએનું મુદ્રણ કયારે થશે એની ચિંતા,
ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઇ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંધ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્મવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થ ભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના ઓઈ પણ કાર્યવાહક પ્રત્યે કયારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મ સ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિદાનંદમય રિથતિના અવતાર હતા.
વિદ્યાલયની જના–મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંચવાની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્ય માં તેમ જ જ્ઞાનોદ્વારનાં નાનાં બીજા અનેક કાર્યોમાં તેઓ સતત, નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યું. મહારાજશ્રીએ પતિ શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્ર પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ જનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પતે તેમ જ શ્રી દલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ જિનાને મંજૂર કરી; એને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશક્તિ એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગેમ-પ્રકોશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું ? આ ભેજના મુજબ ત્રણ છે પ્રકાશિત થયા અને મહારાજશ્રીને સ્વર્ગવાસ થયે!
બધું જ આગામ-પ્રકાશન માટે અર્પણ આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક હાય બીસંધમાંથી મેળવી આપવાને ઈ ભાર મહારાજશ્રી ઉપર ન હ. છતાં તેઓ આ બાબત સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચુક્તા નહીં. નીચેના પ્રસંગે આ વાતની સાક્ષી પૂરે એવા છે—
(૧) કપડવંજને ઉસવ—દીક્ષા લીધા ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પેતાના વતન કપડવંજમાં ચોમાસું કરવાનો અવસર જ નહોતો મળે. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રી સંધની ભાવના સફળ થઈ, અને પ૩ વર્ષને અંતે ૧૪મું ચતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પિતાને આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીને ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઊજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ પ થી ૭ સુધીને ત્રણ દિવસને ઉત્સવ જવામાં આવ્યું હતું. અને મુખ્ય સમાહ સુદ ૭,
For Private And Personal Use Only