________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦]
શ્રી આત્માનંદ પ્રકાશ
સવ અપ્રભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? જઇ એ તે કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સવ પ્રાચીન લિપિઓ વાંચવાને અભ્યાસ કેવી રીતે ?
જ છે. પણ મેટે ભાગે કામ કરતાં કરતાં જ થયે, એમ કહી શકાય. પાટણને ખીજા ચોમાસામાં ( એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે ) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતે મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સંકે કે બદલાતા મરેડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના “ભારતીય લિપિમાળા”નામે પુસ્તકને પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના. આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન ન હોય એવી કૃતિ પણ કયા સિકામાં લખાયેલી હેવી જોઈએ એને મોટ ભાગે સાચે અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે.
સો આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક રાહિલ રફ રૂચિ કેવી રીતે થઈ છે. જો મટે ભાગે દvilહ૩-
કર્તન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્દભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાપ્ત થાય તે હું પૂર્ણ ઉત્સુક્તા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા સાથે જોવાનું બને છે. અને તેથી આપણે કઈ પણ બાબતને ઐતિહાસિક અને તુલનાત્મક દરિટએ તથા તટસ્થ વૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી પસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના પર્વ તરફ આપણું
થાન વિશય જાય છે, અને આપણે કઈ પણ બાબતને સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિએ વિચાર કરતા શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્વની અને ઘણી ઉપરોગી નીવડે છે.
સ0 પ્રાચીન ગ્રંચેના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી?
જ અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચેકસ ન કહી શકાય. શાસ્ત્રોને અભ્યાસ અને સંશોધનને અન્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજ્ય ગુરૂજી જ્યારે પ્રાચીન ગ્રંથનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠના અર્થો બેસાડવાને, પાકતરો શેધવાને, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ કર્યો હોઈ શકે એને લિપિ ઊંકેલવાને—એમ બધે અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડે, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિ કઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અમે સાથે મળીને કર્યું; કેટલોક પ્રિનું સંપાદન મેં એકલાએ કર્યુંએટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરે ને પૂજ્ય ગુરુ અને પાઠનો નિર્ણય કરું છું. અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે: સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીને એ ઉગ્ર વ્યાધિ થઈ છે કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કઈ રીતે કાબુમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઈલાજ ચાલત હતા. કયારેક તે સલાહ મળ છે હવે બીજની દવા કરે ! પણ મેં તે થાક્યા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઈલાજ ચાલુ રાખે, દેઢેિક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મેટ્રોમાં મેટ સધિયારો
For Private And Personal Use Only