SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦] શ્રી આત્માનંદ પ્રકાશ જ સફળતા અપાવેલી છે, પણ તે સગર્ભા છે.” ઠાકરે કહ્યું: “જાતવાન છે એટલું જ બસ છે. સગર્ભા છે તે તે હું કાળજીથી સંભાળી લઈશ.” ઘોડી ઉપર સવાર થઈને ઠાકર લડાઈના મેદાનમાં આવ્યા, અને કુશળતાથી શત્રુ ઉપર જય મેળવ્યો. લડાઈમાં કાળજીપૂર્વક સંભાળવા છતાં જુસ્સાના આવેગમાં ઠાકરે એક વાર જરા જોરથી ઘડીને એડી મારેલી. થોડા દિવસ પછી ઘોડીને સુંદર લક્ષણયુક્ત વછેર જમે. પણ ઠાકરની એડી વાગવાના કારણે તેની એક આંખ ફૂટી ગયેલી. દિવસે જતાં વછેરાની ચપળતા અને હાંશિયારીથી પ્રેરાઈને અશ્વપાલને તેના ઉછેરમાં વધારે લાગણી રહેતી. તે એક આંખે કાણે હોવાથી અશ્વપાલે તેનું નામ “કાણેખાં' રાખ્યું. થોડા દિવસો જતાં એક દિવસ કાણેખાંએ પોતાની માને પૂછ્યું: મા ! બધા ઘેડાને બે આંખે છે અને મારે એક જ આંખ કેમ માએ લડાઈની વાત કરતાં જણાવ્યું કે માલિક આપણને તેના સંતાન કરતાં પણ અધિક લાગણીથી પોષે છે, પણ લડાઈમાં ખૂબ જ કાળજી રાખવા છતાં જુસ્સાને લીધે ઠારે એક જ વાર એડી મારેલી તેથી તારી આંખ ફૂટી ગઈ. આ સાંભળીને કાણેખાંને ગુસ્સે આવ્યો અને એ બે કે–મને જરા મેટ થવા દે, પછી તારા ઠાકેરની ખબર લઈ બતાવું. માએ કહ્યું – બેટા ! આપણે આવા માયાળુ માલિક માટે આવું વિચારવું કે બેલાવું તેમાં આપણ નાલાયકી કહેવાય. આમ છતાં કાણેખાં તે મનમાં ડંખ રાખે જ ગયે. કેટલાક સમય ગયા પછી કાણેખાં મોટા થયે. યોગાનુયોગ વળી પડેશી શત્રુએ હુમલો કર્યો અને ઠાકેરે લડાઈની તૈયારી કરી, આ વખતે ઠાકોર માટે એગ્ય ઘડા તરીકે અશ્વપાલે કાણેખાંની પસંદગી કરીને ઠઠેરનું કહ્યું—એ જાણે છે પણ અતિચપળ અને સમયસૂચક છે; ઉપરાંત, તેને સારી રીતે કેળવેલ છે. ઠાકરે કહ્યું-ભલે, તૈયાર કરે. અશ્વશાળામાં આવીને અશ્વપાલે કાણેખાને કહ્યું-તારા મા-બાપ, દાદા અને પડદાદાએ આપણા ઠાર સાહેબોને અનેક લડાઈઓમાં જિતાડ્યા છે. તે પ્રમાણે તું પણ કુશળતાથી ઠાકરને લડાઈમાં જય અપાવજે. આ સાંભળીને કાણેખાં, તેની મા પાસે જઈને કહેવા લાગે–માઆજ તારા ઠાકોરને મારી આંખ ફેડવાની સજા ન આપે તે હું કાણેખાં નહિ! આજ તે તારા ઠાકરને દુશ્મનના હાથમાં જ સોંપી દઉં. આ સાંભળીને માનું હૈયું વલેવાઈ ગયું અને તે બેલી–બેટા ! મેં તને અનેક વાર સમજાવ્યો તેય તું સમજતું નથી તે સારું નથી. આપણી પેઢીઓના પોષનારના ઉપકારને સારો બદલે આપ એ આપણું ફરજ છે. આમ માં બોલતી હતી ત્યાં તે કોણેખાં રોષમાં ને રેષમાં જ ચાલવા માંડ્યો. કાણેખાને જતાં જતાં છેવટે મા એટલું જ બોલી કે—બેટા ! ભલે તું રોષમાં જાય છે, પણ મને વિશ્વાસ છે કે તારી જાત તને છેટું કામ નહીં કરવા દે. ઠાર કાણેખાં ઉપર સવાર થઈને લડાઈના મોરચે આવ્યા. મોરચા ઉપર ચારણોએ એકેક દ્વાને શર ચડે તેવી રીતે બિરદાવ્યા પછી કાણેખાંને પણ ચારણોએ કહ્યું—“તારી માએ અને તારા બાપ-દાદાઓએ આ ઠાકરને અને તેમના પૂર્વજોને લડાઈમાં જીવસટોસટના પ્રસંગોમાં આબાદ રીતે જિતાડેલા. તું પણ તેમના જ વંશને છે એટલે તારી બહાદુરી બતાવવામાં પાછી પાની ન કરતો. ચારણ જેમ જેમ આવાં વચને બોલતા ગયા તેમ તેમ કાણેખાંનાં નસકેરાં કૂલતાં ગયાં અને તેણે નિશ્ચય કર્યો કે આ લડાઈમાં તે ઠાકરને જીવના જોખમે પણ બચાવવા. અને ખૂબ જ ચતુરાઈથી કાણેખાંએ ઠારને જિતાડ્યાં. આ દૃષ્ટાત કહીને ઉપસંહારમાં મહારાજજીએ કહ્યું–આવાં દૃષ્ટાંત જીવનમાં પ્રેરણા લેવા માટે હોય છે. આટલું સાંભળ્યા પછી મેં જે લખવાને વિચાર કર્યો હતો તે સદંતર માંડી વાળે, એટલું જ નહીં, આવા પ્રસંગમાં મારા માટે તે મહારાજજી સદાને માટે પ્રેરક બની રહ્યા છે. ૩૩. મહારાજજી ખૂબ જ મક્કમ મનના હતા, છતાં કેઈ કરુણ પ્રસંગ જોતાં કે સાંભળતાં તેઓ ગદ્ગદ પણ થઈ જતા. એક દિવસ લુણસાવાડાના ઉપાશ્રયે હું ગયો તે અગાઉ ઘડી જ વાર પહેલાં એક યુવક મહારાજજીને મળીને ગયેલો. મહારાજજીએ મને કહ્યું—“અમૃત ! એક ભાઈ મુંબઈથી આવ્યો હતો For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy