________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ ]
શ્રી આત્માનઃ પ્રકાશ
અન્ય સમુદાયનાં સાધ્વીજી પાસે, તેમણે પૂ. પા. મહારાજને પેાતાની દીક્ષા લેવાની ભાવના અને સમુદાયની રુચિ જણાવી; અને વિશેષમાં જણાવ્યુ` કે દીક્ષા તા આપના હસ્તે જ લેવી છે. ત્યારે મહારાજજીએ પોતાના શ્રીહસ્તે મંગુબહેન તેમને અભીષ્ટ સમુદાયનાં શિષ્યા થાય તે મુજબની જ દીક્ષા આપી. શ્રી મંગુબહેન બીજા સમુદાયનાં સાધ્વી થાય તે બાબત સાથેના કાઈક મુનિઓને ગમતી ન હતી, પણ તે મુનિને અણુગમા વડેરીને પણ મહારાજજીએ જ દીક્ષાવિધિ કરાવી હતી. આ મશુબહેન તે વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનાં શિષ્યા
સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી.
૧૫. વિ. સં. ૧૯૯૬માં હું સત્તરીનુ સંશાધન-સંપાદન કરતા હતા. આ ગ્રંથમાં આવતા ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિના સ્વરૂપને સમજવું મારા માટે મુશ્કેલ હતું. આથી પૂ. પા. મહારાજજીને મેં વિનતિ કરી કે સત્તરી િમાં આવતું ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમજવુ છે, તે હું આપની પાસે કયારે આવુ? મહારાજજીએ કહ્યું કે રાજ રાતના ૮ાા વાગ્યા પછી આવજે. હું રાજ રાતના મહારાજજી પાસે જતા અને રાતના ૧૨-૧૨ા વાગ્યા સુધી બેસતા. બધુ સમજ્યા પછી મહારાજજીએ જણાવ્યુ કે આ વિષય એવા છે કે આપણે સમજીએ, પણ તેનું દૃઢ પરિશીલન ન રહે તા, તે ફરી દુર્ગમ બની જાય છે. એ જ વર્ષમાં મારા માટે પણ એવુ' જ બન્યું, અને મેં મહારાજજીને જણાવ્યુ` કે ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણીના સંબંધમાં આપશ્રીએ કહ્યું હતું તેવુ જ મારા માટે થયું. અરતુ. આ વાચનના દિવસે દરમ્યાન સાગરના ઉપાશ્રયની સામે રહેતા શ્રી લહેરૂભાઈ નિહાલચંદ નામના વયાવ્રુદ્ધ ઉપાસક, તેમના રાજના ક્રમ મુજબ, રાત્રે મહારાજજીની પાસે બેસતા. મહારાજજી કામ કરતાં વિસામા લે તે સમયમાં શ્રી લહેરૂભાઈ સાથે તદ્દનુરૂપ વાતચીત કરતા. હું અહી જણાવેલ હકીકત સમજવા બેસતા ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી હું તે સબધમાં પુનઃ પુનઃ પૂછતા. આથી એક દિવસ શ્રી લહેરૂકાકાએ મહારાજજીને કહ્યુ કે “ સાહેબ! મારુ માના તો અમૃતને જો આપ દીક્ષા આપે। તા આપની પાટ દીપાવશે. ” જવાબમાં મહારાજજીએ કહ્યું કે “જો અમૃત તેના આંતરિક વૈરાગ્યથી દીક્ષા લેવાનુ* કહે તેા આ દિવસે ચાતુર્માસના છે અને રાતના બાર વાગ્યા છે, તાપ હું તેને અત્યારે દીક્ષા આપું, અને એ માટે જે કંઈ નિયમનું ઉલ્લંધન થાય તે માટે હુ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઉં.” મારા ઉપર મહારાજજીની આવી અંતરની કૃપા હતી અને તે છેવટ સુધી ટકી રહી એ મારું માટુ. સદ્ભાગ્ય માનુ. બ્રુ..
kk
,,
૧૬. પૂ. પા. મહારાજજી સાથે કામ કરતાં પ્રાસગિક રીતે મને અનેક વાર ઉપયોગી માહિતીઓ અને શિખામણેા મળતી રહેતી. પણ તેઓશ્રી પાસેથી ઉપદેશ મેળવવાના કેવળ એક જ પ્રસંગ બનેલા અને તે મારે મન ચમત્કારિક પ્રસંગ બની ગયા. આ પ્રસંગ આ પ્રમાણે છે: વિ. સ. ૧૯૯૮ના કાક સુદ ૧ (બેસતા વર્ષ)ની વહેલી સવારે હુ, દર વર્ષના નિયમ મુજબ, સાગરના ઉપાશ્રયે (પાટણ) મહારાજજીને વંદન કરવા ગયા. વંદન કરીને સાતા પૂછ્યા પછી મડારાજજીએ કહ્યું: “ અમૃત ! ભગવાને કહ્યું છે કે સાંસારિક ભાવાને તમે છેાડા, જો નહી” છેાડા તા એવા એક દિવસ અચૂક આવશે કે જે દિવસે આ સાંસારિક ભાવા તમને તા અચૂક છેડશે. ” અન્ય' એવુ* કે વિ. સ. ૧૯૯૮ના પોષ સુદ ૧ ના દિવસે હુ· વિધુર થયેા. કેટલાક મહિનાએ ગયા પછી મહારાજજીને મેં કહેલુ` કે “સાહેબ ! આપે મને આટલાં વર્ષોમાં એક જ વાર ઉપદેશ આપ્યા અને તેને અનુભવ પણ થયા.' મહારાજજીએ કહ્યું: “ ભાઈ ! ગઈ દિવાળીની રાત્રે હુ. આચારાંગસૂત્ર વાંચતા હતા, વાંચતાં જે કઈ ચિંતન થયેલુ તેના નિષ્ક, તું વહેલી સવારે આવ્યો ત્યારે, મેં તને સહજભાવે કહ્યો હતા.”
૧૭. એક વિચક્ષણુ સપન્ન દીક્ષાર્થી બહેન ‘પાતે દીક્ષા કાની પાસે લેવી ?” તેના નિર્ણય માટે અન્યાન્ય સાધ્વીજી મહારાજના સમુદાયામાં જતાં અને ત્યાં લાંબા સમય રહેતાં. આ ક્રમ પ્રમાણે તે બહેન પાટણમાં પણ રહેલાં, પેાતાને જે સમુદાયમાં દીક્ષા લેવી હાય તે સમુદાયની ચકાસણી માટે આ બહેન શકય બધી જ
For Private And Personal Use Only