SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૧૮ શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, જગડીઆ આજ રોજ જગડીઆના શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના કાર્યવાહક કમિટિના મેમ્બર તથા ગુરુકુળના વિદ્યાર્થીઓને પરમપૂજ્ય શાસન ઉદ્ધારક મહારાજ સાહેબ પંન્યાસજી શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના અકાળ અવસાનના સમાચારથી ઘણે જ ખેદ થયા છે અને જૈન શાસનને કળિકાળમાં ઉચ્ચ કોટિના જન મુનિની ખાસ જરૂર છે, ત્યારે આ બન્યું છે, તેથી ઘણું જ દુઃખ થાય છે. પરમકૃપાળુ જિનશાસનદેવ એમના આત્માને કાયમી ચિરશાંતિ બક્ષે એવી પ્રાર્થના (તા. ૧૭-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, जण्डियाला गुरु (अमृतसर) श्री आत्मानन्द जैन सभा जण्डियाला गुरु (पंजाब) की २४-६-७१ की विशेष बैठक आगमप्रभाकर श्रुतशीलवारिधि १०८ जैन मुनि श्री पुण्यविजयजीके अचानक देवलोकगमन पर हार्दिक शोक प्रकट करती है। इनके देवलोकगमनसे जैन जगत तथा संसारके महान् विद्वानोंको भारी आघात पहुंचा है। शासनदेव इन महात्माकी आत्माको शान्ति प्रदान करें। પાલીતાણા જન સંઘની શ્રદ્ધાંજલિ નગરશેઠ શ્રી ચુનીલાલ વનમાળીદાસના પ્રમુખપદે, મેતીશા શેઠની ધર્મશાળામાં મળેલ, ગુણાનુવાદ સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હત– પાલીતાણા સમસ્ત જૈન સંધની આજની મળેલી આ સભા પંજાબ કેસરી યુગદિવાકર પ. પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી દાદાના પ્રશિષ્ય આગમપ્રભાકર પરમપૂજય પુણ્યવિજયજી મહારાજ સાહેબ મુંબઈ મુકામે કાળધર્મ પામતાં ડી દિલગીરી વ્યક્ત કરે છે. સદ્ગતના જવાથી એક તેજસ્વી હીરલાની આપણા સમાજમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સદ્ગતશ્રીએ આગમ સાહિત્ય અને પ્રકાશનક્ષેત્રે જે સેવા કરી છે તે માટે જૈન સમાજ તેમને ઋણી રહેશે. - શાસનદેવ સદ્ગતશ્રીના પવિત્ર આત્માને ચિરશાંતિ અર્પે અને તેમના જીવનના સદ્ગુણ કિંચિત આપણામાં ઊતરે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિપૂર્વક આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવે છે. (તા. ૧૭-૬-૭૧) શ્રી રજની પારેખ આર્ટસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કામર્સ કેલેજ, ખંભાત - શ્રી રજની પારેખ આસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કોમર્સ કોલેજ ખંભાતના આચાર્યશ્રી, અધ્યાપકગણ અને વિદ્યાથીવર્ગની શોકસભા પ્રાચીન શાસ્ત્રના પ્રચંડ વિદ્વાન તથા અગ્રગણ્ય પુરાતત્વવિદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાએક અવસાનથી ઊંડા શોકની લાગણી અનુભવે છે. તેઓશ્રીના અવસાનથી ગુજરાતના સંશોધનક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી છે. એમના આત્માને પરમ શાંતિ મળશે એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના છે. श्रीसंघ, शिवपुरी यह खबर बडे दुःखसे सुनी गई कि आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराजका १४-६-७१ को बम्बईमें देवलोक हो गया है। उनके निधनसे न केवल समाजको ही आघात पहुंचा है, बल्कि For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy