SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૧૩ માઈક્રા ફિલ્મા લેવડાવીને વિદ્વાનેને તે સામગ્રી સુલભ થઈ પડે અને સંશોધનકાર્યને વેગ મળે એ ખાતર તેઓએ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરાવી, તેના મૂળ પ્રણેતા બન્યા અને પોતાના ફ્રીમતી સંગ્રહ સ ંસ્થાને ભેટ ધર્યો. તેઓશ્રી લા. દ. વિદ્યામંદિરના પ્રાણભૂત હતા. તેમના જવાથી વિદ્યામંદિરને ન પુરાય એવી ખાટ પડી છે. તેઓશ્રી, તેમનાં છેલ્લાં વર્ષોમાં, જૈન આગમાની સુસ’પાદિત સંપૂર્ણ ગ્રંથમાળા તૈયાર કરવામાં એકાગ્ર હતા. તેમાં ત્રણુ આગમા પ્રકાશિત પણ થયાં. પરંતુ તે ફા તેમના જવાથી અધૂરું રહ્યું. તેમના એ સકલ્પ પૂરા કરવાની વિદ્યાસ્થાનેા અને વિદ્વાનોને શક્તિ મળે, એમણે શરૂ કરેલા જ્ઞાનયજ્ઞ સુદી કાળ ચાલા અને એ પુણ્યવિજયજીને પુછ્યું આત્મા ઉત્તરાત્તર આધ્યાત્મિક વિકાસ સાધી ઉચ્ચત્તમ શિખરે વિરાજો એ જ અમારી અતરની અભિલાષા છે. ( તા. ૨૯-૬-૭૧ ) લુણસાવાડા, માટી પાળ જૈન સંઘ, અમદાવાદ અમદાવાદ લુણુસાવાડા, માટી પાળના જૈન સમસ્ત સંધ ઉપર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીને નામે દેશપરદેશમાં ખ્યાતિ પામેલા જૈનાચાર્ય' બહુશ્રુત, ચારિત્રચૂડામણિ પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની અને તેમની પરંપરાના વિદ્વાન અને નિર્મળ ચારિત્રના ઘણી એવા અનેક મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ રહ્યા કરી છે; તેમાં પરમપૂજ્ય શ્રી પ્રવ`કજી કાન્તિવિજયજી મહારાજની તથા પરમપૂજ્ય શાન્તમૂર્તિ શ્રી હ ંસવિજયજી મહારાજની આ સંધ ઉપર વિશેષ અમી દૃષ્ટિ રહેલી છે, અને તેને લીધે આ સંઘ પેાતાને મહા ભાગ્યવત માને છે અમારા આ જૈન સઘના અપૂર્વ પુષ્ણેાધ્યને લીધે, જોગાનુજોગે, પૂજ્ય શ્રી પ્રવર્તી કજી મહારાજના પ્રશિષ્ય મને આત્માનદ ગ્રંથમાળાના સપાદક પતિપ્રવર મુનિરાજ શ્રી ચતુરવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ આગમે તથા શાસ્ત્રોના સશોધનનું ઘણું જ ગંભીર કામ હાથ ઉપર લઈને આજથી આશરે ૨૫-૨૬ વર્ષ પહેલાં એટલે ઈ. સ. ૧૯૪૫-૪૬માં આ હમારી માટી પોળ લુણસાવાડાના જૈન સધના ઉપાશ્રયમાં પધારેલા અને આ જ ઉપાશ્રયમાં તેમણે ૨૫-૨૬ વર્ષ સુધી એક આસને બેસીને, પેાતાના શરીરની પણ પરવા કર્યા વિના, જૈન શાસ્ત્રોના સંશાધન-સપાદનનું કામ કરેલું. ભલે તેઓશ્રી વચ્ચે વચ્ચે ઘેાડા સમય બહાર જઈ આવે અને જેસલમેર, ખંભાત, કપડવંજ અને વડેદરા જેવાં શહેરામાં જ્ઞાનભડારાના સશોધનનાં કાર્યો માટે ચામાસું પણ કરે, છતાં તેઓ છેવટે પોતાના મૂળ સ્થાનરૂપ આ ઉપાશ્રયે જ ધારી પાતાનું કામ ચાલુ કરતા. અને અમારા જ સંધના એક સભ્યે મુનિપદ સ્વીકારીને તેમની સાથે મિત્રજાવે અને સેવકભાવે આજીવન રહેવાનુ સ્વીકારેલુ. એ બાબત પણ અમારા સંઘને ગૌરવ આપે એવી છે. એ ક્રુનિરાજ પંન્યાસ રમણિકવિજયજી અમારા સંધમાં વિશેષ આદરપાત્ર બનેલા. પણ દૈવયોગે તે મુનિરાજશ્રી તે શ્રી આગમપ્રભાકર મુનિ પુષ્યવિજયજીની પહેલાં જ, તેમની સાથે વિહારમાં, છાણી મુકામે કાળધર્યું પામી ગયા, મેં વાતના નિર્દેશ કરતાં અમને ભારે દુઃખ થાય છે. આમ આ મુનિયુગલની જોડીને લીધે અને તેમની જ્ઞાનપ્લાનની સાધનાને લીધે અમારા આ ઉપાશ્રય સદા ધર્મના ધોષથી ગાજતા અને ભર્યાભર્યા રહેતા તથા અમારા સંધના દરેક સભ્યને એટલે દરેક ભાઈ-બહેનને અને બાળકા સુધ્ધાંને આ મુનિરાોના સદાય લાભ મળ્યા કરતા, એને લીધે અમારા સોંધમાં ધર્મસ સ્કાર સદા જાગતા થયેલા અને જાગતા રહેતા. આવા ઉત્તમ પ્રકારના મુનિ`ડિતા અમારા આ ઉપાશ્રયમાં રહેતા હોવાથી તેમના આકષ ણુથી ખીજા ખીજા મુનિએ અને ખીજા ગુચ્છના મુનિએ પણ આ જ ઉપાશ્રયમાં પેાતાની જ્ઞાનઘ્યાનની સાધના માટે આવીને રહેતા, જેથી અમારા સંધને ઘણા આનદ-પ્રમાદ રહેતા અને એ મુનિઓની સેવાના થાડા-ઘણા લાભ પશુ મળ્યા કરતા. K For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy