SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮] શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીની સંશોધન-સંપાદનની તેજસ્વિતાને બિરદાવીને ગુજરાતના પ્રૌઢ સાહિત્યકાર શ્રી રામપ્રસાદ બક્ષીએ કહ્યું કે–તેઓશ્રીના સ્વર્ગવાસથી માત્ર ગુજરાતને જ નહીં પણ સાહિત્યક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે આપણને સૌને ન પુ. ય તેવી ખોટ પડી છે. બક્ષીસાહેબે મુનિશ્રીને “બહસ્પતિતરીકે ઓળખાવ્યા હતા. મીઠીબાઈ કોલેજના પ્રિન્સીપાલ શ્રી અમૃતલાલ યાજ્ઞિકે જણાવ્યું કે–વીસ વરસથી હું મુનિશ્રીની સાહિત્ય અને સંશોધન-પ્રવૃત્તિથી આકર્ષાયો છું. તેઓ માત્ર મુનિ, સાહિત્યકાર અને સંશોધક જ નહીં પણ સર્વવ્યાપી સંસ્થા જેવા હતા. સ્વભાવે બહુ નમ્ર અને સંશોધનક્ષેત્રે હરહમેશ ઉપયોગી થવા તેઓ ઝંખતા. સાહિત્ય-સંશોધનને અમૂલ્ય વારસે વધુ પ્રમાણમાં વિસ્તરે તેવી તેઓશ્રીની ભાવના હતી; અને તેને પુષ્ટિ આપવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેઓની તીવ્ર સંશોધનવૃત્તિથી પરદેશના વિદ્વાને પણ ખૂબ આકર્ષાયા હતા. તેમણે સંપાદિત કરેલા ગ્રન્થ તેમને ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્યના તેમ જ વિદ્વત્તાને ઘોતક છે. બૃહકલ્પ જેવો મહાગ્રન્થ તેઓએ સંપાદિત કર્યો છે. આ ગ્રન્થનું મહત્વ વિદ્દજગતમાં અંકાયું છે. તે જ બીજે ગ્રન્થ “વસુદેવહિન્ડી” કથાવસ્તુ તથા ગુણાઢયની દષ્ટિએ અનુપમ છે. પ્રાચીન સાહિત્યને આ વારસે. જગતમાં પ્રસરે તે માટે મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ચેરની સ્થાપના કરી મુનિશ્રીનું સ્મારક રચી શકાય. આ કામ જૈને સહેલાઈથી કરી શકશે. - ઈસ્માઈલ યુસુફ કેલેંજના સંસ્કૃતના પ્રોફેસર ડં. વી. એમ. કુલકણીએ મુનિશ્રીને ભારતીય સંસ્કૃતિના મહાન સંત તરીકે ઓળખાવી કહેલ કે મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ દુનિયાભરની વિદ્વત્તાના ક્ષેત્રમાં ન પૂરી શકાય તેવી ખેટ બની રહેશે. - પ્રોફેસર શ્રી રમણલાલ સી. શાહે મુનિશ્રીના સંપર્કમાં આવ્યા પછીનાં સંસ્મરણોને ઉલ્લેખ કરતાં કહેલ કે–મુનિશ્રીની સંયમસાધના ઊંચી હતી. અને તેને બળે તેઓ રાત્રિના બે વાગ્યા સુધી કાર્ય કરતા અને પાછા વહેલા પાંચેક વાગ્યે સ્વસ્થ રીતે સાધુધર્મની ક્રિયાઓ કરતા. આમ છતાં કોઈ દિવસ, દિવસના આરામ લેતા નહિ. સંધ કે સમાજને ખેટા ખર્ચ કરાવવાથી તેઓ અલિપ્ત જ રહેતા. આજે આપણે જોઈએ છીએ કે મોટી વ્યક્તિને મળવું હોય તે કેટલી વિધિમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન શ્રમણે અને તેમાંયે આવા વિદ્વાન મુનિશ્રી, આટલી મોટી અને ઝીણવટભરી પ્રવૃત્તિમાં પણ, પિતાને સમય નાનામેટા સૌને વિના સંકેચે આપતા. તેઓ ખરેખરા ધર્મની પરિણતિવાળા મહાત્મા હતા. શ્રી જન છે. કેન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ એલ. શાહે જણાવેલ કે જૈસલમેરના જ્ઞાનભંડારને ઉદ્ધાર કરવામાં જે શ્રમ લીધે છે, તેની પ્રશંસા વિશ્વના વિદ્વાને પણ કરે છે. જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં અને તેને સમૃદ્ધ બનાવવામાં મુનિશ્રીએ ભારતીય સાહિત્યની વિરલ સેવા બજાવી છે. શ્રી કુલચંદભાઈ દોશીએ જણાવેલ કે–આવી મહાન વિભૂતિનું સ્મારક પાંચ-પચાસ હજારની રકમ એકત્ર કરવાથી જાળવી ન શકાય; આવી ઉત્તમ વિભૂતિનું સ્મારક તો નાલંદા કે તક્ષશિલા જેવી પુણ્યવિદ્યાપીઠ અને જ્ઞાનવિહારની સ્થાપના કરવાથી જ જાળવી શકાય. શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના પ્રમુખ અને મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈને જણાવેલ કે પંજાબકેશરી વિજયવલ્લભસૂરિજી મહારાજની ભાવના સાંપ્રદાયિકતા દૂર કરી દરેક જનો એક થાય તેવી હતી, તેના પુરસ્કર્તા મુનિશ્રી હતા. તેઓ સાંપ્રદાયિકતાથી પર રહીને દરેકને સમાન ભાવે નિહાળતા. તેઓશ્રીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી ગણાય જયારે આપણે સૌ ભેદભાવ ભૂલી ભગવાન મહાવીરના ઝંડા નીચે એક થઈએ. છેલે પૂ. વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીએ જણાવેલ કે આ મહાપુરુષના ગુણેની તુલના હું શું કરી શકું? તેઓશ્રીના જ્ઞાન અને હૃદયની વિશાળતાને મને તાજેતરમાં સવિશેષ અનુભવ થયો છે. આ મહા For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy