SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક r૧૭ આ પ્રસંગે જાણીતા જેન કાર્ય કર શ્રી પિપટલાલ રામચંદ શાહે જણાવેલ કે, જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે મુનિશ્રીએ જે શ્રમ લીધે છે અને જેસલમેરના ભંડારનું જે કામ કર્યું છે તે અજોડ છે. શ્રી કેસરીમલજી લલવાણીએ કહ્યું કે, પૂનાને જ્ઞાનભંડાર તપાસવા આવવા અમે ખૂબ વિનંતી કરેલી, પણ તેઓ અહીં આવે તે પહેલાં જ ચાલ્યા ગયા તેથી ખૂબ દુઃખ થાય છે. આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજીએ વેદના ભરેલા હેયે કહ્યું : શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના જૈન સંઘને સાહિત્યના સતત અને ઊંડા અભ્યાસી પુણ્યાત્માની ખોટ પડી છે. જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના સાધુપુરુષ હતા. આવા પુણ્ય પુરુષની સેંકડો વર્ષ બાદ શાસનને મળેલ ભેટ આમ અચાનક અદશ્ય થવાથી ભારે દુઃખ અને ગ્લાનિ થાય છે. તેઓશ્રીનું અધૂરું કામ આગળ ચલાવવા વિદ્વાને તૈયાર થાય એવી આશા રાખું છું. સભામાં બંગાળના નિરાશ્રિતો માટે ફાળે કરવાનું તથા શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્મારક માટે મુંબઈ તાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ( “જૈન”, તા. ૨૬-૬-૭૧ના અંકને આધારે) श्री जैसलमेर लोद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर ट्रस्ट, जैसलमेर ___ श्री जैसलमेर लोद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर ट्रस्ट परमपूज्य श्री पुण्यविजयजी महाराज साहेबके स्वर्गवास पर अत्यन्त दुःख अनुभव करता है और उनकी स्मृतिमें अपनी श्रद्धांजलि अर्पित करता है। उनके निधनसे जैन समाजका एक महान् पथप्रदर्शक, विद्वान गुरु इस लोकसे उठ गया है, जिसकी क्षति पूर्ति होना सम्भव नहीं है। श्री जिनभद्रसूरि ज्ञानभंडार, जैसलमेरको सुव्यवस्थित करने में उनका विशेष योगदान रहा है, जिसके लिये यह ट्रस्ट उनका आभारी रहेगा। (ता. १५-९-७१) શ્રી પંજાબ જૈન બ્રાતૃસભા, ખાર (મુંબઈ) ખારની શ્રી પંજાબ જૈન બ્રાતૃસભાના ઉપક્રમે, વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીના સાનિધ્યમાં તા. ૧૧-૭-૭૧ ને રવિવારના રોજ સવારના ૮ વાગતાં, અહિંસા હેલમાં, મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, ગુણાનુવાદ સભા રાખવામાં આવી હતી. આ સભાને અહેવાલ “જૈન” સાપ્તાહિકના તા. ૧૭-૭-૭૧ના અંકમાં છપાયો હતો, તે ઉપરથી સભાની કાર્યવાહીની વિગતો અહીં સોભાર રજૂ કરવામાં આવી છે. પ્રારંભમાં જાણીતા વિદ્યાનુરાગી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશીએ જણાવેલ કે, કાળધર્મ એ પ્રકૃતિને સ્વભાવ છે, પરંતુ પ્રાચ્ય સાહિત્ય-સંશોધન ક્ષેત્રને. જે તારક આપણે ગુમાવ્યો છે, તે અસહ્ય છે. આ વિરલ વિભૂતિની ખોટ પૂરી શકાશે કે કેમ એ શંકા છે. એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે, તેમનાં ગમે તેટલાં ગુણગાન કરીએ તોપણ તે ઓછાં લાગે છે. પણ હવે ગુણગાન ગાવાને બદલે તેમનાં બાકીનાં કામ પૂરાં કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આપણું પ્રાચીન હસ્તપ્રતો પ્રાયઃ ૩૦ લાખ છે. તેમાંથી ત્રણ લાખ પ્રતોમાં શું લખાયું છે તે તપાસી, વ્યવસ્થિત કરવાનું કામ મુનિશ્રીએ કરેલ છે. હજુ ૨૭ લાખ પ્રતે એમ જ પડી છે. આપણ સાધુસાધ્વીજી મહારાજની સંખ્યા વિશાળ છે, પણ તેમાં થોડા જ સાહિત્યપ્રવૃત્તિ તરફ પ્રેરાયા છે. શ્રમણસંસ્થા આ કાર્યમાં રસ દાખવે તે જગતને જેને ઘણું આપી શકે. સંશોધનપ્રવૃત્તિમાં આજે સૌની નજર પૂ. મુનિ શ્રી જંબુવિજયજી મહારાજ તરફ છે. પૂ. પુણ્યવિજયજી મહારાજે ઉપાડેલ ૪૫ આગમનું સંશોધનકાર્ય અતિ મહત્ત્વનું છે. આજે આ કાર્યને પૂરે ન્યાય કેણ આપી શકશે તેને વિચાર કરતાં મેટી મૂંઝવણ અનુભવાય છે. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy