SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬] શ્રી આત્માનંદ પ્રકાશ શબ્દ પણ ઓછા પડતા હોય એમ લાગે છે. તેઓશ્રીની પ્રેરણાથી જ સંસ્થાએ આપણે બધાં પવિત્ર મૂળ આગમસૂત્રોને પ્રગટ કરવાની યોજના શરૂ કરવાની હિંમત કરી હતી. અને આ બાબતમાં માત્ર સલાહ કે માર્ગદર્શન આપીને જ સંતોષ ન માનતાં એ યોજનાને અમલી બનાવવા માટે જન આગમ ગ્રંથમાળાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પણ તેઓશ્રીએ ઉલાસપૂર્વક સ્વીકારી હતી. આવા મોટા કાર્યની જવાબદારી સ્વીકારીને મહારાજશ્રીએ ન કેવળ આપણી સંસ્થા ઉપર કે જન સમાજ ઉપર જ ઉપકાર કર્યો છે; ખરી રીતે એથી જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાન અને જિજ્ઞાસુઓ પણ ઉપકૃત બન્યા છે. તેઓની આ નિસ્વાર્થ જ્ઞાનસેવાને લાભ સૌને સદાને માટે મળતા રહેશે, એમાં શક નથી. વળી, આપણી સંસ્થાના એક હિતચિંતક તરીકે તેઓશ્રી જે ચિંતા સેવતા રહેતા હતા એથી તે. તેઓ સંસ્થાના એક શિરછત્ર જ બન્યા હતા. આવા એક જ્ઞાનતપસ્વી અને જ્ઞાનગરિમાથી શોભતા, સંતપ્રકૃતિના પ્રભાવક મુનિવરને મુંબઈમાં વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારના રોજ, સ્વર્ગવાસ થતાં આપણી સંસ્થાને, જૈન સંઘને અને દેશ-વિદેશના વિકત્સમાજને ભાગ્યે જ પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આ સભા જ્ઞાન-ચારિત્રથી શોભતી આવી ઉચ્ચ કોટિની વિભૂતિના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે, અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીને તેઓશ્રીનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની શક્તિ અને ભાવના આ સંસ્થામાં તેમ જ શ્રીસંઘમાં પ્રગટે એવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૩-૭૧) - ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અસામાન્ય પ્રકારના વિદ્વાન, લિપિવિદ્યાના ઉચ્ચ કોટિના જ્ઞાતા, વિધુરીણ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના અણધારેલા અવસાનથી માત્ર ગુજરાતે નહિ, સમગ્ર ભારતે પૌરસ્યવિદ્યાના એક ધુરંધર સારસ્વતની ન પુરાય તેવી ખેટ અનુભવી છે. આ સભા એમના અવસાન માટે ભારે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. (તા. ૩૦-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, सामाना (पटियाला) श्री श्री श्री आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनिराज महान ज्योति श्री पुण्यविजयजी महाराज साहेब बम्बई में जेठ वदि छट रात्रि के साढे आठ बजे प्रतिक्रमण करने के बाद देवलोक हो गये । यह समाचार सुनकर सामाना श्रीसंघ ही नहीं बल्कि सारे जैन समाज को बड़ा भारी आघात पहुँचा है। उनके जाने से जैन समाज ही नहीं बल्कि विश्व के विद्वानों में एक वडा भारी खल्ला पैदा हो गया है, जिसकी पूर्ति होनी मुश्किल है। आगमों का संशोधन करना व प्रकाशित करना यह महान कार्य इन ही महापुरुष का काम था। इस प्रकार जैन समाज एक ऐसे महान ज्योति से वंचित हो गया है। सामाना की श्री आत्मानन्द जेन सभा के सभी सदस्य दु:ख के साथ शोकप्रस्ताव पास करते हुए और उनके चरणकमल में श्रद्धांजलि अपर्ण करते हुए शासनदेव से प्रार्थना करते हैं कि वह देवलोक में भी बैठे हुए जैन समाज पर अपनी करुणादृष्टि रखेंगे । यही प्रार्थना है। (ता. २-७-७१) શ્રી જૈન સંધ, પના તા. ૧૫-૬-૭૧ના રોજ સવારના, મહારાજશ્રીના કાળધર્મ નિમિત્તે સામૂહિક દેવવંદન કર્યા બાદ, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં ચતુવિધ શ્રીસંઘની સભા મળી હતી. સભામાં મુનિ શ્રી વલ્લભદત્તવિજયજી, મુનિ શ્રી ન્યાયવિજયજી તથા મુનિ શ્રી જયવિજયજી મહારાજશ્રીને ગદગદ્દ ભાવે પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy