SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૬મું અધિવેશન, મદ્રાસ આરંભમાં હું આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજ્યજીના થયેલા દુઃખદ અવસાન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના જવાથી આપણું અલ્પધન સંશોધનક્ષેત્ર વધુ દરિદ્ર બન્યું છે. તેમનામાં પ્રકાંડ વિદ્વત્તા, ઉદાર વિઠપ્રીતિ અને આજીવન સંશોધનનિષ્ઠાને જે વિરલ સુયોગ હતો તેની બેટ નજીકના ભવિષ્યમાં પુરાવાની નથી. (એપ્રિલ, ૧૯૭૨) ડો. હરિવલ્લભ ભાયણ, પ્રમુખ, ધન વિભાગ મુંબઈ શ્રીસંઘની શ્રદ્ધાંજલિ મુંબઈની જુદી જુદી એકાવન સંસ્થાઓ તરફથી, તા. ૨૦-૬-૭૧ રવિવારના રોજ મુંબઈના વાલકેશ્વર ઉપરના શ્રી આદીશ્વર જૈન દેસાસર સાથેના ઉપાશ્રયમાં, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં, ચતુર્વિધ સંઘની સભા મળી હતી. સભામાં જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીને ભાવભરી અંજલિ આપતાં વક્તવ્ય રજુ કર્યા હતાં. આ વક્તવ્યના મુખ્ય મુદ્દા ભાવનગરના “જૈન” પત્રના તા. ૨૬-૬-૭૧ના અંકમાં, સભાના અહેવાલમાં, રજૂ કરવામાં આવ્યા છે. તે અહી સાભાર ઉદ્દત કરવામાં આવ્યા છે. આચાર્ય મહારાજના મંગલાચરણ બાદ પ્રારંભમાં આગમપ્રભાકરજીના વ્યાખ્યાનની ટેપ કરેલ રેકર્ડને અમુક ભાગ સંભળાવવામાં આવતાં, મુનિશ્રીના શબ્દોથી સૌનાં મન લાગણીભીનાં બની ગયાં હતાં. તે પછી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે આજની સભાનું આયોજન અને ભૂમિકા સમજાવી મુનિશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. * ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજ્યજી મહારાજઃ નમ્ર અને સૌજન્યશીલ એવા જ્ઞાની પુરુષની વિદાય એ અમારા સમુદાયની ભારે ખોટ બની રહે એવી છે. ઉપાધ્યાય શ્રી પ્રકાશવિજયજી મહારાજ: આગમપ્રભાકરજીએ દાદાગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની પ્રેરણાથી હસ્તપ્રતોના ઉદ્ધારના કાર્યમાં નાની ઉંમરથી જ ઝંપલાવ્યું હતું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા તેઓ આગળ આવ્યા હતા. | મુંબઈના શેરીફ શ્રી શાદીલાલ જૈન વિદ્યાક્ષેત્રે જેમણે ચિર જીવે અર્પણ કર્યું છે, તેવા આ મહાન જ્ઞાની પુરુષના સ્વર્ગવાસથી માત્ર જૈનેને જ નહિ પણ આપણે દેશને અને પ્રાચ્યવિદ્યા સંશોધનને મેટી ખોટ પડી છે. - શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશીઃ દેહને વિલય એ સ્વાભાવિક છે, પણ આવા જ્ઞાની પુરુષ કે જેઓને વિદ્યાને જરા પણ અહંકાર ન હતો, તેવા મુનિશ્રીને સ્વર્ગવાસ એ આપણા સૌ માટે ભારે ખોટ બની રહે છે. મુનિ શ્રી પદ્મસાગરજી ઃ વિનમ્રતા અને આદર્શતાની જીવંત મૂતિ સમા મહાપુરુષ ચાલ્યા ગયા છે. પંન્યાસજી શ્રી ભાનુચંદ્રવિજ્યજી: રાગદ્વેષને તેઓને સ્પર્શ પણ થયું ન હતું. અને એમનું જીવન સરિતાના વહેતા નિર્મળ જળપ્રવાહ જેવું હતું. - બાલમુનિ શ્રી અરુણવિજયજી : આગના સંશોધનનું કામ એમના શિમેરોમમાં વસેલું હતું. જિજ્ઞાસુઓને તેઓ આદર આપતા એટલું જ નહિ, બાલસુલભ અમારા જેવા સાધુઓ પ્રત્યે મમતાભરી લાગણી રાખતાં. આ મહાપુરુષના કાળધર્મથી શ્રમણ સંસ્થાને ભારે ખેટ પડી છે. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy