SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભર્તુહરિ અને દિનાગ. ૨૩ પ્રસિદ્ધ ચીની યાત્રી ઇસિંગે જણાવેલે ભતૃહરિનો ઈસ્વીસન ૬૫૦ માં મૃત્યુસમય થીથી આઠમી શતાબદી સુધીના ભારતીય દાર્શનિક ઈતિહાસમાં એક સીમાચિહ્ન (Milestone) રૂપે થઈ પડ્યો છે. તેને આધારે ઘણુય ગ્રંથકારોને સમય નક્કી કરવામાં આવ્યો છે. યુરોપીય અને ભારતીય વિદ્વાનોએ ઈસિંગના વચનને એક આવાયરૂપે જ માની લીધું હતું, છતાં ઇસિંગનું આ કથન સત્ય નથી, એમ કેટલાક વિદ્વાનોના મનમાં ઘણા સમયથી ઘોળાયા કરતું હતું. મેં પણ મારા નયચક્રના લેખમાં આ વાતને અગાઉ નિર્દેશ કર્યો જ છે, પરંતુ દિનાગે બે કારિકા ભતૃહરિના વાક્યપદાયમાંથી ઉદ્ધત કરી છે. આ વાતની સર્વપ્રથમ શોધ શ્રી આયંગરે જ કરી છે અને ઇત્સિંગના કથનની અસત્યતા તેમણે બરાબર સપ્રમાણ સિદ્ધ કરી આપી છે. વિરાસ્કામરાવતી( પ્રમાણસમુચ્ચયટીકા)ની કાપી કરતાં આ હકીકત તેમને જડી આવી હતી. આ શોધનું મહત્વ કેટલું બધું છે, એ તે વિષયમાં રસ ધરાવતા માણસો સહજ રીતે સમજી શકશે. ૪ થી ૮ મી શતાબ્દી સુધીના વિદ્વાનોના સમયની જે વ્યવસ્થિત શૃંખલા સંશોધકોએ તૈયાર કરી છે તેને હવે બદલ્યા સિવાય છૂટકે જ નથી. અસ્તુ. તા. ૧૫-૩-૧ર ના અંકમાં જે માહિતી મેં રજૂ કરી હતી તથા સાથેના ઈગ્લીશ લેખમાં પણ જે માહિતી છે તેનાથી અધિક તપાસ કરતાં જે વધારે માહિતી મને મળી આવી છે તે નીચે પ્રમાણે છે. પ્રમાણસર ઉપરની દિનાગની વૃત્તિના બે ટિબેટન અનુવાદ થયેલા છે. એક અનુવાદ ભારતીયપંડિત વસુધાત કે જે ટિબેટમાં ગયે હવે તેણે કર્યો છે, જ્યારે બીજો અનુવાદ જન વર્માએ કરેલો છે. એક જ ગ્રંથના બંને અનુવાદ હેવાથી આશય એક જ છે, છતાં અનુવાદકે જુદા જુદા હોવાથી ભાષામાં ઘણો ઘણે ફરક પડી ગયું છે. કોઈક સ્થળે અનુવાદકની ભૂલ પણ થઈ ગઈ છે, છતાં અહીં એ અપ્રસ્તુત છે. બે અનુવાદમાં બીજો અનુવાદ વધારે સારો છે. પ્રત્તિના અનુવાદમાં મૂળ કારિકાઓને પણ અનુવાદ મોટાભાગે ભેગે આવી જાય છે, છતાં ન વર્માએ કરેલ મૂત્રને જુદો અનુવાદ પણ મળે છે. આ બંને કરતાં વિરામવતી દીવાનો અનુવાદ ઘણે સુંદર છે. દિનાગે જે પ્રસંગમાં જે રીતે વાક્ય પદયની કારિકાઓ ઉદ્ધત કરી છે તે આખો પ્રસંગ કૃત્તિના બંને અનુવાદોનું પરિશીલન કરીને સંસ્કૃતમાં ભાષાંતર કરીને નીચે આપવામાં આવે છે. ૧૪થ જ્ઞાતિ-જમુદાર જો વિરોલ તિ વેત, વિપિ નાસિતા જ્ઞાતિરાખ્યો િકવિવિરત રત્ રામવાવેવુ મારો યથા-સમજ્ય ગ્રામર इति । क्वचित्तु मुख्यः । यथोक्तम् ૧ પ્રમાણુ સમુચ્ચયવૃત્તિના બંને ટિબેટન અનુવાદ નાર્થ ગએડીશતની Tanjur, Mao, No. 95 પ્રતિમાં અનુક્રમે પૃ. ૧૦ A-૯૬ B તથા પૃ. ૯૬ B-૧૭૯ B માં છપાયેલા છે. આ બંને અનુવાદોનાં અતિ દુર્લભ પાનાં મને જેવા આપવા બદલ મિત્રવર્ય શ્રી H, R. R. આયંગરને અનેકશઃ ધન્યવાદ આપું છું. ૨ પ્રમાણસમયત્તિના બંને અનુવાદોને તપાસીને મેં આ સંસ્કૃત રૂપાંતર (Retranslation ) તૈયાર કર્યું છે. તેમાં પણ મુખ્યતયા હું અહીં બીજા અનુવાદને અનુસર્યો છું. વૃત્તિના બંને ટિબેટન અનુવાદ તથા વિજ્ઞાામઢવતી ટીમને પણ ટિબેટન અનુવાદ અહીં આપવાની મારી ઇચ્છા હતી, પરંતુ આ માસિકના મોટા ભાગના વાચકે ટિબેટન ભાષાથી અપરિચિત હોવાને લીધે તેમને એ લાંબા લાંબા અવતરણો કંટાળાદાયક થઈ પડશે. એમ સમજીને એ અનુવાદ આપવાને લેભ અહી For Private And Personal Use Only
SR No.531584
Book TitleAtmanand Prakash Pustak 050 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1952
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy