SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ શ્રો આત્માનંદુ પ્રકાશ આધક રીવાજો જેવા કે ખાળલગ્ન, કન્યાવિક્રય અને વૃદ્ધવિવાહ સામે સખ્ત વિરોધ આ કોન્ફરન્સ જાહેર કરે છે. સી॰ કુંડલાકરે એ બાબતમાં એક લાંબુ ભાષણુ કરી સ્ત્રી શિક્ષણુની આવચકતા દર્શાવી હતી. મી॰ મુળચંદ આશારામ વૈરાટી, પંડિત હંસરાજજી, મગનમલજી કાચર ખી. એ., અખાલાવાળા મી, ગોપીચંદજી, મી. સમરથમલજી સીંધી વિગેરેએ ઉપલી દરખાસ્તને ટેંકે તથા અનુમેદન આપ્યા બાદ એ ઠરાવ પસાર થયા હતા. ( તાળીઓ ). માદ ધાર્મિક શિક્ષણુના ઠરાવ રજુ કરવામાં આવ્યા હતા. તેમાં ઠરાવ મુકનાર ગાંધી વટ્ઠલદાસ ત્રિભુવનદાસ તથા અનુમાદન આપનાર શેઠ લખમીચંદજી ધીયા હતા. પરંતુ આ દિવસે રાત્રિના ઘણા ટાઈમ બ્યતીત થવાથી તે ઠરાવ તથા હાનિકારક રિવાજોને લગતા ઠરાવા વગેરે પ્રમુખ તરફથી મુકવા માં આવ્યા હતા. બાદ નીચે મુજબ કાર્ય ટુકામાં પતાવવામાં આવ્યું હતું. ગાયકવાડને વિનતી. નામદાર ગાયકવાડ સરકારની મેઢશામુ ખેરાળુ રેલ્વેની લાઇનનું તાર'ગાહીલ સ્ટેશન તા. ૧-૧૨-૧૯ થી બધ થવાથી જૈન જાત્રાળુઓને હાડમારીએ ઉભી થઇ છે. તેથી તે સ્ટેશન ફ્રી ઉઘાડવા નામદાર ગાયકવાડ સરકારને આ કાન્ફરન્સ વિનતી કરે છે તથા એ લાઇન આગળ વધારી ડુંગરની તળેટી સુધી લઇ જવા તા. ૧૬-૧૦-૧૯ ની ધારાસભામાં જે ઠરાવ થયા તેને આ કાન્ફરન્સ ટેકા આપે છે, અને તે પ્રમાણે તાકીદથી કરવા આ કૈાન્સ સંપૂર્ણ આગ્રહ કરે છે. ઉપલા ઠરાવ પ્રમુખ સાહેબે રજુ કરતાં તે પસાર થયા હતા. માદ આગલી કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવાને ચાલુ કોન્ફરન્સ ટેકા આપે છે, એવા ઠરાવ પ્રમુખસાહેબે રજુ કર્યાં હતા, જે પસાર થયા હતા. શ્રીમદ્ મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજીના આભાર. પરમ પૂજય મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ સાહેબ મારવાડ-ગેાડવાડ પ્રાંતના ઉદ્ધાર માટે કેળવણી સંબંધી મહાન્ પ્રયાસ કરી રહ્યા છે. તે કા કાન્ફરન્સના મુખ્ય ઉદ્દેશને અમલમાં મુકનારૂ હોઈને તેના તરફ આ કાન્ફરન્સ સંપૂર્ણ સહાનુભૂતિ બતાવે છે અને તે માટે મહારાજશ્રીના અત:કરણપૂર્વક આભાર માને છે, અને દરેક સ્થળે કેળવણીના પ્રશ્નના ઉપાડી લેવા સમુનિ મહારાજોને વિનંતી કરે છે. ( તાળીઓ ) એ ઠરાવ નામઢાર પ્રમુખે રજુ કર્યા બાદ પસાર થયા હતા. For Private And Personal Use Only
SR No.531198
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages56
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy