SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગુરૂ–સત્સંગ મહિમા. ૬૫૩ ગુરૂ–રસંગમહિમા ૧ સદગુરૂની કૃપાથી જડ જેવો શિષ્ય જ્ઞાની-પંડીત બનીને પિતે કલ્યાણભાગી થાય છે અને અન્યને પણ સદ્દભાગી કરે છે. ૨ મલયની સુવાસથી અન્ય રૂખડાં (વૃક્ષે ) પણ ચંદન રૂપ બની જાય છે તેમ શુદ્ધચારિત્રસંપન્ન સદગુરૂના સંગથી મલીન વાસનાવાળા જી પણ સુધરી સુવાસિત થાય છે. ૩ પારસમણિના સંગથી જેમ લેહ સુવર્ણ થઈ જાય છે તેમ સંત-મહા માના સમાગમથી (તેમના પ્રસાદથી) જીવનું કલ્યાણ થઈ જાય છે. ૪ વેધક રસના સ્પર્શથી જેમ તાંબુ સુવર્ણ રૂપ થાય છે તેમ સંત-સુસાધુ જનની સેવા-ભક્તિથી ભકતોનું કલ્યાણ થાય છે. ૫ મેરૂ (સુવર્ણગિરિ ) ઉપર ઉગેલું તૃણુ પણ સુવર્ણતાને પામે છે તેમ સત્સંગના પ્રભાવથી જીવનું સદ્દભાગ્યે જાગે છે. ૬ ગમે તેવાં મલીન (મેલાં) પાણે પણ ગંગા નદીમાં ભળવાથી ગંગાજળ તરીકે મનાય છે–સેવાય છે તેમ સાંગના પ્રભાવથી ગમે તેવા હીનાચારી પણ સુધરી સદાચારી બને છે. ૭ જળબિંદુ સમુદ્રમાં ભળવાથી જેમ અક્ષય થાય છે તેમ સંતચરણમાં આત્માર્પણ કરવાથી તદુપ થવાય છે. ૮ જેમ ભમરીના ચટકાથી એળ ફીટીને ભમરી રૂપ બની જાય છે તેમ સંત પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી સંતરૂપ થવાય છે. ૯ સ્વાતિનું જળ છીપલીના સંગથી સાચા મોતી રૂપ થાય છે તેમ સંત પ્રત્યે સાચા હદયની પ્રીતિ-ભક્તિથી જડતા દૂર થઈ જાય છે અને આત્મા સદ્દગુણમય અમર બની જાય છે. ૧૦ જેમ જાંગુલી મંત્રથી વિષધરાદિકનું વિષ ઉતરી જાય છે તેમ સતં–સાધુ જનોની ધમ–આશિષવડે દારિદ્ર-દુ:ખ દૂર થઈ જાય છે અને નવજીવન પ્રગટે છે. ૧૧ સંત મહાત્મા ધર્મ–દેવ હાઈ સદાય સેવવા ગ્ય છે. લે-મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ. For Private And Personal Use Only
SR No.531198
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages56
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy