SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ આત્માનંદ પ્રકાશ આપણુ સાધુઓએ સામેલ થવું નહી, કઈ ધાર્મિક કારણું પરત્વે સામેલ થવાની જરૂર જણાય તે આચાર્ય મહારાજની પરવાનગી મંગાવી આજ્ઞાનુસાર વર્તવું. ઠરાવની પુષ્ટિમાં પ્રવર્તકજીએ જણાવ્યું કે આ ઠરાવના શબ્દ એટલા બધા સ્પષ્ટ છે કે તે માટે બહુ વિવેચનની જરૂર નથી. સાધુને યા ગ્રહસ્થને ગમે તેને ૮ટે હેય પણ તેમાં સામેલ થવા થી આપણું જ્ઞાન ધ્યાનમાં હરકત પડે છે. એટલું જ નહીં પણ કર્મબંધનું પણ તે કારણ છે. વળી ટંટામાં સામેલ થવાથી તે ટટે પતાવવાની આપણું પેરવી પણું ચાલે નહિ, કારણું કે એક પક્ષની સાચી હકીક્ત છતાં તેને વાજબી ન્યાય આપતાં છતાં બીજો પક્ષ આપણને તેને વિરોધી સમજી ગમેતેમ બેલે-લખે માટે જ્યાં આવા ટંટા બખેડાનું કારણ હોય ત્યાં આપણુમાં શક્તિ હોય તે સમાધાન માટે પ્રયત્ન કરે પણ કેઈપણ પક્ષમાં આપણે સામેલ ન થવું. ઠરાવ સરવાનુમતે બહાલ રહ્યા હતે. કરાવ રર મે. સાધુ સાધુઓમાં સામાન્ય રીતે એકજ ગુરૂના પરીવારમાં પણ જે જોઈએ તે સંપ દેખાતું નથીતે પછી જુદા જુદા ગુરૂઓના સાધુઓમાં તે સંપનું નામ જ શાનું હાય! આવી સ્થીતિ હાલ સાધુઓની છે. તે માટે આ સંમેલન અત્યંત દીલગીરી દર્શાવે છે, ને ઠરાવ કરે છે કે આવા કુસંપથી સાધુ માત્રને ધર્મની ઉન્નતિ કરવાનો જે મૂળ હેતુ છે તે પાર પડતું નથી માટે આપણુ સાધુઓ એ તે કુસંપ દૂર થાય તેવા ઈલાજે લેવા. શ્રી પ્રવર્તકજી મહારાજ કાંતિવિજયજીએ આ ઠરાવ રજુ કરતાં જણુછ્યું કે સામાન્ય રીતે આપણે સાધુ છીએ, એટલે ક્ષમાને ગુણ આપણુમાં હાયજ ને તેથી કુસંપનું નામ સાધુઓથી દૂર રહેવું જોઈએ; પરંતુ હાલતે અવળી પ્રવૃતિ છે. એટલે સંપ આપણુમાં જોઈએ તેવું જણાતું નથી ને તેથી ઘણું ઘણું કાર્યો પાર પડતાં નથી. જે કોઈ પણ કાર્ય કરવું હોય તે તેમાં સંપની મુખ્યતા છે. સંપ For Private And Personal Use Only
SR No.531108
Book TitleAtmanand Prakash Pustak 009 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1911
Total Pages71
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy