SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક અંતઃક૨ણનો સજાતીય પ્રવાહ ચલાવવો અને વિજાતીય પ્રવાહની નિરસ્કાર કરવો - ત્યજી દેવા એવો ‘નિયમ’ પરમાનંદરૂપ છે એ વિવેકીઓ દ્વારા નિયમ મુજબ કરાય છે. અનુસરાય છે. આચરણમાં મૂકાય છે. (૩)આસન : સુવેનવ મવેદ્યસ્મિન્નનાં બ્રહ્મચિન્તનમ્। आसनं तधिजानीयान्नेतरत्सुखनाशनम् ।। અપરોક્ષા. ૧૧૨ જેમાં સુખેથી નિરંતર બ્રહ્મનું ચિંતન થાય તેને ‘આસન’ જાણવું. હઠયોગ વગેરેમાં દર્શાવેલ આસનો તો સુખનો નાશ કરનાર હોવાથી આસન ન ગણાય. જોઈ શકો કે વેદાનમાં બ્રહ્મચિંતન એ આસન મનાયું છે. શરીરના અંગમરોડને સુખનાશક ગશાવ્યાં निषेधनं प्रपञ्चस्य रेचकारव्यः समीरणः । દ્રૌવાસ્માતિ યા વૃત્તિ: પૂરો વાયુરીરિતઃ II - અપરોક્ષા. ૧૧૯ પ્રપંચ એટલે જગતનો નિષેધ ક૨વો અર્થાત્ જગત મિથ્યા છે એવું જાણવું એ ‘રેચક' નામનો પ્રાણાયામ કહેવાય. હું જ બ્રહ્મ છું’ એવીં જે વૃત્તિ તે ‘પૂરક’ નામનો પ્રાણાયામ છે. ततस्तद्वृत्तिनैश्चल्यं कुम्भकः प्राणसंयमः । k અન્ય શાપિ દજ્ઞાનાંમજ્ઞાનાં પ્રાગૈનનમ્। - અપરોક્ષા. ૧૨૦ 'હું બ્રહ્મ જ છું' એ વૃત્તિની સ્થિરતા એ ‘કુંભક' પ્રાણાયામ છે. ઉપર દર્શાવ્યા એ જ્ઞાનીઓના પ્રાણાયામ છે, બાકી અજ્ઞાનીઓ નાકને પીડા આપે છે. અહીં યોગમાર્ગના પ્રાણાયામને ઉતરતી કક્ષાના અને વેદાન્તના બ્રહ્મમય થવાના પ્રાણાયામને ઉત્તમ ગણાવ્યા છે. ૫૪ (૫)પ્રત્યાહાર : વિષયેષ્વાત્મતાં વૃદ્ઘ મનસધ્ધિતિમખ્ખનમ્। प्रत्याहारः स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः ।। અપરોક્ષા. ૧૨૧ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયોમાં આત્માપણાનું અનુસંધાન કરીને અંતઃકરણને - મનને ચેતનામાં ડૂબાડી દેવું અને ‘પ્રત્યાહાર’ જાણો. મુમુક્ષુઓએ આનો અભ્યાસ કરવો જોઈએ. એટલે એને વારંવા૨ ક૨વો જોઈએ. આ એક અદ્ભુત વ્યાખ્યા છે. (૬) ધારણા: યંત્રયંત્રમનો પત્તિ ત્તત્ર વર્ણનાત્ मनसोधारणं चैव धारणा सा परा मता ।। (૪)પ્રાણાયામ : વિવિસર્વનાયુઓ બાવનાત્। निरोधः सर्ववृत्तिनां प्राणायामः स उच्यते ।। અપરોક્ષા. ૧૧૮ ચિત્ત વગેરે સર્વ પદાર્થોમાં બ્રહ્મતત્ત્વની ભાવનાથી અંતઃકરણની સઘળી વૃત્તિઓનો નિરોધ કરવો તે ‘પ્રાણાયામ’ કહેવાય. આના જે રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ છે એ પણ અહીં રીતે આ વેદાન્ત શાસ્ત્રમાં દર્શાવ્યા છે. દરેકનું ધ્યેય ‘દં પ્રશ્મિ આમ યોગના યમ નિયમ આસન વગેરે દરેક અંગોને જુદી જ સમજાવ્યા છે - અપાતા. ૧૨૨ જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મના દર્શનથી મનનું ધારણ કરવું એટલે સ્થિર કરવું એ ઉત્તમ ‘ધારા' મનાઈ છે. (૭) ધ્યાન પ્રવાસીપ્તિ સન્માનિરાલમ્બાવા સ્થિતિ: ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी ।। અપરોક્ષા. ૧૨૩ ‘હું બ્રહ્મ જ છું' એ સત્ય વૃત્તિની વિષર્યાના આલંબન - આધાર વિનાની અને પરમાનંદ આપનારી સ્થિતિ તે 'ધ્યાન' શબ્દથી વિખ્યાત છે. (૮)સમાધિ :નાવિયા નૃત્ત્વ દ્વારા પુનઃ | वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः ।। અપરોક્ષા. ૧૨૪ નિર્વિકારવાળી એટલે વિષયોના અનુસંધાન વિનાની જે બ્રહ્માકાર વૃત્તિ છે તેનાથી અન્ય સઘળી વૃત્તિઓનું વિસ્મરણ થઈ જાય છે તેને ‘સમાધિ' કહેવાય છે. 'હું બ્રહ્મ છું' એ વૃત્તિને જીવનમાં શાશ્વત કરવાનું છે. અને અન્ય સઘળી વૃત્તિઓ વિસરાઈ જાય અને મન કેવળ બ્રહ્માકાર વૃત્તિમાં જ સ્થિર થઈ જાય એ વેદાન્ત શાસ્ત્રના યોગનું તાત્પર્ય છે. યોગ શબ્દ યુત્ - જોડાવું એવા ધાતુ પરથી આવ્યો છે અને તેથી વેદાન્ત દર્શન યોગના પ્રત્યેક અંગને બ્રહ્મકારવૃત્તિવાળા થવા માટેના સાધન ગણાવે છે. આ માટે સૃષ્ટિને પતંજલિના યોગદર્શનાનુસાર નાકના અગ્રભાગમાં સ્થિર કરવાની નથી પણ બ્રહ્મમથી કરવાની છે. આવું આદિ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે જુઓ दृष्टिं ज्ञानमय कृत्वा पश्येद्ब्रह्ममयं जगत्। સા દૃષ્ટિ: પરમોવારા ન નાપ્તાગ્રાવતોનિી।। - અપરોક્ષા. ૧૧૬ દૃષ્ટિને જ્ઞાનમય કરીને આખા જગતને બ્રહ્મમય જોવું. આ જ દૃષ્ટિ સર્વોત્તમ છે નહિ કે નાકના અગ્રભાગ તરફ જોવું. આમ વેદાન્તદર્શનનો યોગ અને એના યમ નિયમ વગેરે અંગો પતંજલિના યોગદર્શનના અંગોથી જુદા પડે છે અને એનું ધ્યેય બ્રહ્મમય દ્રષ્ટિ કરી, બ્રહ્મનું અનુસંધાન કરી અને બ્રહ્મમય થઈ અફે બ્રશ્મિ એ વેદાન્તવાક્યને આત્મસાત કરવાનું છે. unn વાલમ એલ-૧૧૧, સ્વાતંત્ર્ય સેનાની નગ૨, નવા વાડજ, અમદાવાદ ૩૮૦૦૧૩, મો. ૯૯૨૫૦૧૧૯૦૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પ્રજીવા
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy